Skip to main content

યમરાજ પડ્યા ભુલ્લા: 108 ના પાઇલોટે કોરોના દર્દીનું બંધ હ્યદય કર્યું ફરી ધબકતું



જામનગર સહિત સમગ્ર રાજ્ય તથા દેશમાં કોરોના મહામારીએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. અને આ મહામારીમાં દરરોજ હજારો વ્યકિતઓ ઝપટે ચડે છે. આવી કપરી પરિસ્થિતિમાં જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કોવિડ દર્દીને 108ના પાયલોટે તાત્કાલિક સારવાર આપતા બંધ પડેલ ધબકારા ફરીથી શરૂ થઇ ગયા હતા.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં દરરોજ 300 થી વધુ કોરોના પોઝિટીવ કેસો આવી રહ્યા છે. તેની સામે દરરોજ 120 થી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરે છે. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા 24 કલાક સતત કાર્યરત છે. તેવામાં શુક્રવારે ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સાંજે 7:30 વાગ્યાના અરસામાં એક ખાનગી ઇકો વાહનમાં કોરોનાનું દર્દી આવ્યું હતું. જ્યાં વોર્ડના કોરિડોરમાં જ ઓક્સિજન ઓછું થતા દર્દીનું હ્યદય અચાનક બંધ થયું હતું. ત્યારે જ 108ના પાયલોટ ભરત સિસોદિયાએ તાત્કાલિક દર્દી પાસે જઇ દર્દીને સીપીઆર આપતા થોડી જ ક્ષણોમાં આ દર્દીનું હ્યદય ફરીથી ધબકતું થતાં પરિવારજનોમાં જીવમાં જીવ આવ્યો હતો. જેથી દર્દીના પરિવારજનોએ 108ના પાયલોટ ભરત સિસોદિયા તથા 108ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.