Skip to main content

જામ્યુકોની સામાન્ય સમાભાં બજેટ રજૂ કરતાં ચેરમેન: વિપક્ષ દ્વારા તડાપીટ



જામનગર તા.30:

જામનગર મહાનગરપાલિકાનું 2021-22 ના વર્ષનું બજેટ આજે મહાનગરપાલિકાની સમાન્ય સભામાં સ્ટેન્ડિંગ કમિટીના  ચેરમેન મનીષ કટારીયાએ રજુ કર્યું હતું. ત્યારે વિરોધપક્ષએ આ બજેટને આંકડાની માયાજાળ ગણાવ્યું હતું. શાશક પક્ષને વિરોધપક્ષ દ્રારા રાજકીય રીતે બજેટ બેઠકમાં ધેરવાનો પ્રયાસ થયો હતો. ગતવર્ષે જે બજેટમાં જોગવાઈ કરેલ હતી તે વિકાસના કામો પણ હજુ દીવા સ્વપ્ન સમાન રહ્યાનો આક્ષેપ  વિપક્ષે કર્યો હતો. જો કે મેયરએ બજેટને વિકાસલક્ષી ગણાવ્યું હતું. 



કોરોનાની મહામારી વચ્ચે જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે સોશ્યલ ડીન્સન્ટન્ટ  સાથે  ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી. સામાન્યસભામાં  સ્ટેન્ડિંગ કમિટીમાં મજુર કરાવવામાં આવેલ મહાનગરપાલિકાનું 2021-2022 ના  વર્ષનું  બજેટ  સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા એ રજુ કરતા જણાવ્યું હતું કે આ બજેટમાં સાત રસ્તા સર્કલથી સુભાષબ્રીજ સુધીના ઓવરબ્રિજ સહીત અનેક  નવા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી નવા કોઈ કરબોજ નાખવામાં આવેલ નથી. આમ છતાં જામનગરનો વિકાસ કરવા માટે થઇને  મહાનગરપાલિકા આવકને વધારવાબાકી નીકળતી વસુલાતને વેગવટી કરશે.

બજેટ બેઠકમાં વિરોધ પક્ષના પૂર્વ નેતા અસ્લમ ખિલજી સહિતના વિપક્ષના કોર્પોરેટરોએ બજેટ બેઠકમાં રાજકીય રીતે શાસકપક્ષ ઉપર ભારે પડેલ હતો. વિરોધપક્ષના કોર્પોરેટરોએ બજેટને આંકડાની માયાજાણ ગણાવ્યું હતું અને ગત વર્ષે જે કામોને બજેટમાં રજુ કરવામાં આવેલ હતા તે કામો પણ હજુ બાકી છે તેવો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત જે  કામો 2021-22 ના બજેટમાં  સૂચવેલ છે કે શહેરીજનોને દીવા સ્વપ્ન સમાન ગણાવ્યા હતા. શહેરીજનો ઉપર દેવું વધ્યું છે. મહાનગરપાલિકાના શાસક પક્ષ આર્થિક બાબતમાં નિષ્ફળ ગઈ છે. મહાનગરપાલિકા  હસ્તકની જમીનો વહેચી રહી છે.  નવા  આર્થીક કોઈ આવકના ઉભા કરી શકેલ નથી. વિરોધપક્ષ ણા કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો હતો કે  વર્ષો ભાજપનું શાસન હોવા છતાં શહેરીજનોને દેનિક પીવાનું શુદ્ધ પાણી પણ આપી શકયું નથી. ત્યાં નવા વિકાસના કામોની બજેટના પેઇઝ ઉપર રહે છે. 

મેયર બીનાબેન કોઠારીએ બજેટને વિકાસલક્ષી ગણાવીને વિરોધપક્ષના તમામ આક્ષેપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કરવામાં આવતા વિકાસના કામોને લીધે ભાજપને શહેરીજનોએ જીત આપી સતાનો મેંન્ડેડ  આપ્યો છે.

જો કે મહાનગરપાલિકામાં વિરોધપક્ષનું સંખ્યાબળ  ઓછુ હોવા છતાં રાજકીય રીતે બજેટ બેઠકમાં શાસકપક્ષને  રાજકીય રીતે  આક્રમક બન્યું હતું. જો કે  શાસકપક્ષએ પણ વિરોધપક્ષને  જવાબ આપ્યા હતા. 

બજેટ બેઠકમાં ભાજપના શાસકપક્ષના રાજકીય રીતે અનુભવી બોલકળા કોર્પોરેટરોની ખામી નજરે પડતી હતી. લાંબા સમય થી પ્રથમ બેઠક ઉપર નજરે પડતા કોર્પોરેટરોના બદલે નવા ચુટાયેલા કોર્પોરેટરો જોવા મળતા હતા.આ બજેટ બેઠકમાં  શાસકપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે  રાજકીય રીતે  વાકયુદ્ધ છેડાયું હતું. આમ છતાં ભાજપના પીઢ અનુભવી કોર્પોરેટરોની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.તેજ રીતે વિરોધપક્ષમાં પાસે તો ગત ટર્મ કરતા પણ ઓછુ સંખ્યાબળથી શાસકપક્ષ ગેલમાં હતો.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...