Skip to main content

જામનગરમાં કોરોનાને કોરાણે મુકી હોળી પર્વની શ્રધ્ધાભેર ઉજવણી




જામનગર તા.30:

જામનગરમાં રવિવારે કોરોનાના કહેરની ચિંતા કર્યા વગર લોકોએ સાદાઇથી છતા હોશભેર હોલિકા દહનના કાર્યક્રમના આયોજનની પરંપરા જાળવી રાખી હતી.

જામનગરમાં પણ સરકારની સુમના પછી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ અંગે કાર્યવાહી શરૂ કરાઇ છે. સરકારે મર્યાદિત સંખ્યામાં અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે હોળી પર્વની ઉજવણીની છુટ આપી હતી. જયારે ધુળેટી રમવા ઉપર પ્રતિબંધ મુકયો હતો.

કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે પણ ખોટી ચિંતામાં આવ્યા વગર જામનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકોએ હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરી હતી.

અધર્મ ઉપર ધર્મની જીતના પ્રતિક સમાન હોળી પર્વનું ધાર્મિક મહત્વ ઘણું છે. હિરણ્ય કશ્યપના શાસનમાં કોઇ ભકતને ભગવાનની પુજા-ભકિત કરવાની મનાઇ હતી. પરંતુ બાળભકત પ્રહલાદ ભગવાનની ભકિત બંધ કરવા તૈયાર ન થતા આખરે હિરણ્ય કશ્યપે તેની બહેનને ફાગણ સુદ પૂનમની રાત્રે ભકત પ્રહલાદને મારી નાંખવાનું કામ આપ્યું હતું. હોલિકાને વરદાન હતું કે તે જે ચુંદડી ઓઢે છે તે ચુંદડી જયાં સુધી તેની માથે રહે ત્યાં સુધી તેને અગ્નિ બાળી ન શકે. આથી ગામના ચોકમાં છાણા-લાકડા ખડકી દેવામાં આવ્યા અને તેની ઉપર હોલિકા વરદાનવાળી ચુંદડી ઓઢીને ભકત પ્રહલાદને ખોળામાં લઇ બેસી ગઇ અને પછી આગ લગાડી દેવાઇ હતી. આમ આગમાં ભકત પ્રહલાદને જીવતો ભુંજી નાંખવાનું આ ષડયંત્ર હતું. પરંતુ ભગવાને પણ તેની લીલા ભકતનો પ્રાણ બચાવવા દેખાડી. તેમણે પવનદેવને આજ્ઞા કરી કે જે સ્થળે આ કૃત્ય થવાનું છે ત્યાં ભારે વંટોળિયો ફેલાવવામાં આવે આથી જેવી આગ ચાંપવામાં આવી કે તુરંત જ અચાનક ભારે ઝડપે પવન ફુંકાવા લાગ્યો જેથી હોલિકાએ ઓઢેલી વરદાનવાળી ચુંદડી ઉડીને ભકત પ્રહલાદને ફરતે વીંટલાઇ ગઇ. જોતજોતામાં તેનો બચાવ થયો અને આગમાં હોલિકા પોતે જ બળી મરી. આ ઘટનાને અધર્મ ઉપર ધર્મની જીત ગણવાઇ અને ત્યારથી ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહનના તહેવારની પરંપરા શરૂ થઇ તે વખતે બીજા દિવસે એટલે ફાગણ વદ એકમને દિવસે લોકોએ અબીલ-ગુલાલ એકબીજા ઉપર ઉડાડી ઉજવણી કરી હતી. જેથી તેનું નામ ધુળેટી પડયું. આથી દર વર્ષે તહેવાર મનાવાય છે.

આ પરંપરાની ઉજવણી કોરોનાના કહેર વચ્ચે પણ લોકોએ જાળવી રાખી હતી. રવિવારે મોડી સાંજ પછી જામનગરમાં શાકમાર્કેટ ચોક સહિત અનેક સ્થળે નાના-મોટા પ્રમાણમાં હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શાકમાર્કેટ ખાતે છેલ્લા 65 વર્ષથી ભોંઇ જ્ઞાતિ દ્વારા અનોખી રીતે હોળિકા દહનના કાર્યક્રમનું આયોજન કરાય છે. જેમાં આગમાંથી ભક્ત પ્રહલાદના પૂતળાને બચાવવાની ઘટનાનું નિર્દેશન કરાય છે. મોટી સંખ્યામાં લોકો આ કાયક્રમમાં જોડાય છે. જો કે અમુક સ્થળે આ વખતે હોલિકા દહનનો કાર્યક્રમ સ્વૈચ્છિક રીતે રદ થયો હતો. તો કેટલાક સ્થળે લોકોની એકસાથે હાજરી જોવા મળી ન હતી. પરંતુ એકંદરે હોળીની ઉજવણીની પરંપરા જામનગરવાસીઓએ જાળવી રાખી હતી. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.