Skip to main content

રણજીતનગરમાં ડીમોલીશન વખતે દુકાનદારે ફિનાઇલ પીતા દોડધામ મચી

હાઉસીંગ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાની મદદથી હાથ ધરાયેલા ડીમોલીશનની કાર્યવાહી અટકાવવા એક દુકાનદારે ફિનાઇલ પી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો: પોલીસે ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી




જામનગર તા.19

જામનગરમાં રણજીતનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીની ભાડે આપેલ દુકાનોના ભાડા અને ગેરકાયદેસર બાંધકામ અંગે આજે ગુજરાત હાઉસિંગ બોર્ડ એ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને સાથે રાખીને હાથ ધરેલ હતું. આ દીમોલેશનની કાર્યવાહી સામે એક ભાડૂતે ઝેરી દ્વાપી આત્મહત્યાની કોશિષ કરતા પોલીસે ત્રણની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા પ્રથમવાર ડીમોલેશનની પ્રક્રિયા ગેરકાયદેસર બાંધકામો કરનારાઓમાં ફફડાટ ફેલાયો હતો. 

જામનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રણજીતનગર વિસ્તારમાં જ્યાં ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફીસ ભૂતકાળમાં આવેલ હતી તે ઓફિસની નીચે ચાર દુકાનો આવેલ છે. આ દુકાનોના ભાડૂત ભાડાની રકમ ચુકવતા ન હતા. તેમજ  ગેરકાયદેસર  રીતે દુકાનો કબજો રાખેલ હોય આજે રાજકોટથી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીનો કાફલો આવી પહોચ્યો હતો. ગોડાઉન તેમજ દુકાનો ખાલી કરવા ભાડૂતોને સુચના  નોટીસ પણ આપી હતીપરંતુ ભાડૂતોએ નોટિસોની પણ કોઈ દરકાર ન કરી હોવાનું જાણવા મળે છે. એવું પણ જાણવા મળે ચેક ગુજરાત હાઉસિંગ બોર્ડે જેને ભાડે દુકાનો આપેલ હતી તે ભાડૂતે પણ પેટા ભાડૂતને દુકાન ભાડે આપી હોવાનો ચોક્વ્નારો ખુલાસો થયો હતો. આજે ડીમોલેશનની કાર્યવાહી ને અટકાવવા એક ભાડૂતે આ કાર્યવાહી અટકાવવા પ્રયાસ કર્યો હતો

એક સમયે ભાડૂતો અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ આમને સામને આવી ગયા હતા. જો કે પોલીસ બંદોબસ્ત સાથે હોય પોલીસે પરિસ્થિતિને ધ્યાને લઈને ત્રણ વ્યક્તિની અટકાયત કરી હતી. જો કેપોલીસ કાર્યવાહીને લઇને ભાડૂત રાજુભાઈ ડી સોલંકી એ  દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ત્રણેય આસામીઓની સામે અત્કાયેતી પગલા લઇલીધા હતા.

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આ ડીમોલેશન માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મદદમાં જોડાયું હતું. રણજીતનગર વિસ્તારમાં ગેરકાયદેસર અનેક દુકાનો  રહેણાક મકાનોમાં પેસકદમી કરીને  ખડકી દેવાઈ છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્રારા બોર્ડની બંધ થયેલી ઓફિસ અને આ દુકાનો દુર કરી ત્યાં નવા બિલ્ડીંગ બનાવવાનું આયોજન  હોવાનું જાણવા મળે છે. જો કે આજે એકાએક ગુજરાત હાઉસિંગ બોર્ડના દીમોલેશનની કાર્યવાહી હાથ ધરવી પડી હોવાનું ચર્ચા રહ્યું છે.  

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...