Skip to main content

ગોકુલનગરમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની મોકાણ: મહિલા કોર્પોરેટરના ઘરને ઘેરાવ કરતું ટોળું

પંદરેક દિવસથી પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ દુષિત પાણીના મુદ્દે કર્યો હલ્લાબોલ: ભૂગર્ભ ગટરના ધીમીગતિએ ચાલતા કામથી પણ લોકોને હાલાકી



જામનગર તા.16

જામનગર વોર્ડ નં.8માં આવતા ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી દુષિત પિવાના પાણીની તકલીફ હોવાથી ત્રાસેલા લોકોએ આજે આ વોર્ડના નવનિર્વાચિત મહિલા કોર્પોરેટરના ઘરને ઘેરાવ કરી રોષ ઠાલવ્યો હતો. આ ઉપરાંત મંથર ગતિએ ચાલતા ભૂગર્ભ ગટરના કામ અંગે પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

જામનગરના અનેક વિસ્તારોમાં પિવાના પાણીની લાઇન સાથે ચેડા થતાં તેમાં ગટરના પાણી ભળી જતાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે.

ગઇકાલે વોર્ડ નં.12, વોર્ડ નં.6ના વિપક્ષી કોર્પોરેટરોએ પોતાના વિસ્તારમાં લોકોને પાઇપલાઇન વાટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અપાતું પાણી ઘણું દુષિત હોવાની પુરાવા સહિતની ફરિયાદો કમિશનર સમક્ષ કરી હતી. દુષિત પાણીના સેમ્પલો પણ રજૂ કર્યા હતાં. આથી કમિશનર સતિષ પટેલ અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયાએ આ દુષિત પાણીના નમુના લેબોરેટરીમાં મોકલી દીધા હોવાનું જણાવ્યું હતું.

આ પહેલાં પ્રથમ સામાન્ય સભામાં જ વોર્ડ નં.4ના વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણિયાએ નવાગામ ઘેડ વિસ્તારમાં દુષિત પાણી મળતું હોવાની ફરિયાદ કરી હતી.

આવી ફરિયાદોનો સીલસીલો હજુ ચાલુ છે અને તેમાં હવે લોકો પણ ફરિયાદ કરવા જાહેરમાં આવી રહ્યાં છે. આજે વોર્ડ નં.8ના ગોકુલનગર વિસ્તારના રહેવાસીઓએ 15 દિવસથી મળતા દુષિત પાણીના મુદ્દે તેમજ ભૂગર્ભ ગટરની સાવ ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકોને પડતી હાડમારી મામલે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. લોકોએ આ વોર્ડના મહિલા કોર્પોરેટર સોનલબેન યોગેશભાઇ કણઝારિયાના ઘરે જઇ ઘેરાવ-સુત્રોચ્ચાર કર્યા હતાં અને તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગણી કરી હતી.

લોકોના કહેવા મુજબ ભૂગર્ભ ગટરની કામગીરી માટે રસ્તાના ખોદકામમાં કોન્ટ્રાકટરો દ્વારા બેદરકારી દાખવાય છે અને પાણીની લાઇન તુટી જતાં તેમાં ગટરના પાણી ભળી જાય છે. આ મામલે તંત્રે સતત મોનીટરીંગ કરી જરૂરી કાર્યવાહી કરવી જરૂરી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.