Skip to main content

મહાનગરપાલિકાના ઇતિહાસમાં શાસક જૂથના નેતા તરીકે કુસુમબેન પંડયાએ કાર્યભાર સંભાળ્યો

શહેરીજનોને શુધ્ધ પીવાનું પાણી આપવાનો લક્ષ્યાંક વ્યકત કર્યો: મહાનગરપાલિકા અને કોર્પોરેટરો વચ્ચે એક કડીરૂપ ભૂમિકા ભજવી



જામનગર તા.16:

જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા તરીકે નવનિયુકત થયેલા પ્રથમ મહિલા નેતા કુસુમબેન પંડયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના પ્રાથમિક આવશ્યક સેવાઓ જેવી કે પાણી, લાઇટ, સફાઇ જેવા કાર્યને પ્રાદ્યનીય આપી નિયમિત્ત રીતે મહાનગરપાલિકામાં હાજરી સાથે લોકોના પ્રશ્ર્નને સાંભળીને ઉકેલ માટે તત્પર રહીશ.

મહાનગરપાલિકાના શાસક જૂથમા મહિલાના નેતા તરીકે પદભાર સંભાળતા કુસુમબેન પંડયાએ જણાવ્યુ હતું કે, મહાનગરપાલિકાના પાંચેય પદાધિકારીઓ તેમજ કોર્પોરેટરોને સાથે રાખી વિકાસના કાર્યોને વેગ આપીશ. એક મહિલા તરીકે મારૂ પહેલુ કાર્ય શહેરીજનોને નિયમિત શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે લક્ષ્યાંક છે. મને જયારે ભારતીય જનતા પક્ષ દ્વારા મારામાં વિશ્ર્વાસ મુકી જે પદભાર શાસક જૂથના નેતા તરીકેની જવાબદારી મહાનગરપાલિકામાં સોંપેલ છે. તેને હું એળે નહી જવા દઉ. મારા કોર્પોરેટર કાળના વિસ્તારના પ્રશ્ર્નોથી અને કોર્પોરેટરોની સમસ્યાથી હું વાકેફ છું. ત્યારે શાસક જૂથના નેતા તરીકે પાંચયે પદાધિકારીઓ અને વિરોધપક્ષ તેમજ વહીવટી પાંખ તેમજ કોર્પોરેટરો માટે  એક કડીરૂપ બની સાકળની ભૂમીકા અદા કરીશ. મહાનગર પાલિકામાં દૈનિક સવારે સાડા અગ્યિાર વાગ્યાથી તેમજ સાંજે સાડા પાંચ વાગ્યાથી શાસક જૂથના નેતાની ઓફિસમાં લોકોને નિયમિત મળીશ. મહાનગરપાલિકાને લગતા શહેરીજનોના કોઇ પણ પ્રશ્ર્નો હશે તો તે રજૂ કરી શકે છે. આ સાથે સાથે એક મહિલા તરીકે પણ મહાનગરપાલિકાની શાખામાં મહિલાઓને લગતા જુદી-જુદી સેવાઓ અંગે પણ વધુમાં વધુ મહિલાઓ સુધી પહોંચે તે માટેના મારા પ્રયાસો હશે. આવાસ યોજનામાં રહેતા લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ ઉકેલવા મારો પ્રયાસ રહેશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.