Skip to main content

જામનગરમાં હિટવેવ જેવો માહોલ: તાપમાનનો પારો ઉંચકાઇને 39 ડિગ્રીએ પહોંચ્યો



જામનગર તા.27:

જામનગરમાં તાપમાનમાં એકાએક સીધો બે ડિગ્રીનો વધારો થતા મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેને લઇને આકરો તાપ અનુભવાઇ રહ્યો છે. આમ જોઇએ તો હોળીના પર્વ સાથે શિયાળાની વિદાય અને ઉનાળાનું આગમન થશે.

જામનગરમાં આ અઠવાડિયામાં ઠંડીમાં ધીમે-ધીમે ઘટાડા સાથે શિયાળાની વિદાય હોળીના પર્વ ઉપર જ થઇ જાય તેવુ વાતાવરણ સર્જાયુ છે. સાથે સાથે સુર્યના તાપે આકરો મિજાજ ધીમે-ધીમે બતાવવાનું શરૂ કરી દેતા ઉનાળાનું આગમન શરૂ થઇ જશે. જો કે, મહત્તમ તાપમાનનો પારો પણ 24 કલાકમાં જ 2 ડિગ્રીના વધારા સાથે 39 ડિગ્રીએ પહોંચ્યો છે. મૌસમમાં સૌથી ગરમ દિવસ 39 ડિગ્રી સાથે આજથી શરૂ થઇ ગયો હોય તેવુ લાગે છે. લઘુત્તમ તાપમાનનો પારો પણ 19 ડિગ્રીએ પહોંચ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું છે. જયારે પવનની ઝડપ ઘટીને 4.9 પ્રતિ કિલોમીટર નોંધાઇ છે.

જામનગરમાં ઉનાળાના આગમન જેવો તાપ અને ગરમી જેવુ વાતાવરણ સવારથી જ શરૂ થઇ જાય છે અને મધ્યાહન સમયે તો સુર્યનો તાપ અને ત્રિવ ગરમી સાથે વિશેષ તાપનો અનુભવ રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે.  પવનની ગતિમાં ઘટાડો થયો છે. ધીમે-ધીમે શહેરીજનો ઉનાળાની લુ જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ દરિયાઇ કાંઠા વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરી છે ત્યારે આરોગ્ય વિભાગે પણ ગરમી અને તાપમાનમાં લોકોને કામ વગર બહાર ન નિકળવા સાથે પાણી પીવાનું વધારવા અનુરોધ કર્યો છે. સાથે સાથે તાપથી બચવા માટે થઇને બપોરના 1 થી 3 દરમ્યાન ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. જે લોકો આ તાપમાં બહાર નીકળે તેઓએ માથા ઉપર શરીરના રક્ષણ માટે કેપ પહેરીને નિકળવા પણ જણાવાયું છે. ઉનાળાની શરૂઆત થતા જ શરેડીનો રસ, ઠંડાપીણાની દુકાનો અને રેકડીઓ ઉપર લોકોની ભીડ જામી રહી છે સાથે સાથે ઉનાળાના આરોગ્ય માટે લાભદાયક તરબુચની માંગમાં વધારો થયો છે. ઉનાળાના આગમન સાથે શહેરી જીવન પણ બપોરના સમયે સુમસામ થઇ જાય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...