Skip to main content

જામનગરમાં ખજૂર, પતાસા, ધાણીના ભાવમાં 25 થી 30 ટકાનો વધારો




જામનગર તા.22

જામનગરમાં હોળી ના પર્વ ને લઇ ખજૂર, પતાસા,ધાણી દારિયાનું વિશેષ મહત્વ બની રહ્યું છે ત્યારે હોળીના પર્વ ઉપર ખજૂર  પતાશાના ભાવમાં 20 થી 25 ટકાનો ભાવ વધારો થયો છે  આમ હોળીને પણ મોંઘવારીનું ગ્રહણ લાગ્યાનું વેપારીઓ જણાવી રહયા છે.

જામનગરમાં હોળીના પર્વ ઉપર ખુબ મોટા પ્રમાણમાં લોકો ખજૂરની ખરીદી કરતા હોય છે. ત્યારે ખજૂરના વેપારીઓને આ વર્ષે હોળીના પર્વ ઉપર કેવું વેચાણ છે ખજૂરના ભાવ અંગે પૂછતાં તેઓ જણાવ્યું હતું કે  ગત વર્ષ કરતા ખજૂરના ભાવમાં 20 થી 25 ટકા જેટલો વધારો થયો છે. આ વર્ષે કોરોનાને કારણે વિદેશી ખજૂરની આયાતમાં ઘટાડો નોંધાતા માર્કેટમાં ખજૂરની માંગ ઉપર મોંઘવારીની અસર દેખાઈ રહી છે,  ખજૂરના ભાવ  રૂ 80 થી 120  સુધીના બજારમાં છે, જો કે સારા પ્રકારના ખજૂરના  ભાવમાં 40 ટકા જેટલો વધારો  થયો છે. તેવી જ રીતે  હોળીના પર્વ ખજૂરની જેમ જ ખાંડના પતાસાનું મહત્વ છે, ધાર્મિક રીતે જે બાળક ની પ્રથમ હોળી હોઈ તેવા બાળકને  પતાસાનો પહેરાવીને હોળીની પ્રદિક્ષણા કરવામાં આવે છે, ત્યારે પતાસાનીના ભાવમાં પણ 25થી 30નો વધારો થયો છે. એક તરફ માંગમાં પણ ધટાડો થતો હોઈ તેવા ભાવમાં વધારો વેચાણ ઉપર સીધી અસર કરશે. આ ઉપરાંત હોળી ઉપર ધાણી દાળિયા પણ ધાર્મિક રીતે મહત્વના છે હોળીની પ્રદિક્ષણા સાથે પધરાવવાની પરપરા રહી છે જો કે  દાળિયાના ભાવ કિલોના રૂ 80 થી  100 પહોંચ્યા છે  તો ધાણી ના ભાવ તો  રૂ 100ને આંબી ગયાનું વેપારીએ જણાવ્યું હતું. આમ હોળીના પર્વ ઉપર ખજૂર, દાળિયા કે પતાસા સહિતના વેચાણ ઉપર મોંઘાવારીની અસર પડશે તે નક્કી છે. હાલ તો કોરોના મહામારીને કારણે જે ખરીદી દર વર્ષે હોઈ છે તે બજાર માં નથી, વેપારીઓ  ત્યાંસુધીનું કહે છે કે ભાવ માં વધારો અને બજારમાં મંદીનું વાતાવરણ વચ્ચે હોળીનો તહેવાર  આવ્યો છે. આમ હોળીના પર્વને પણ ફિક્કી પાડી દીધી છે, જો કે વેપારીઓ હજુ પણ વેચાણનો આશાવાદ સેવી રહયા છે.    

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...