Skip to main content

જામનગરમાં ત્રણ દિવસમાં કોરોનાના 109 કેસ: 78 દર્દી સ્વસ્થ થયા

શનિ, રવિ અને સોમવાર દરમિયાન કુલ 5359 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાયો હતો: શહેરમાં 71 અને ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા: 12 દર્દીઓએ દમ તોડ્યો



જામનગર તા.30

જામનગ શહેર-જિલ્લામાં હોળીના તહેવારના ત્રણ દિવસ દરમિયાન કોરોનાના 109 પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને 78 દર્દી સ્વસ્થ થયા હતાં.

 શનિ-રવિ અને સોમવાર મિનિવેકેશન હતું. શનિવારે ચોથો શનિવાર હોવાથી સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બેંકોમાં રજા હતી. જ્યારે રવિવારની રૂટીન રજા હતી અને હોળી પર્વ હતું જ્યારે સોમવારે રંગપર્વ-ધૂળેટી નિમિતે જાહેર રજા હતી. કોરોનાના બીજા તબક્કામાં સંક્રમણ વધ્યું છે અને સતત વધી રહ્યું છે.

શનિવારે જામનગર શહેરમાં 1311 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 22 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 15 દર્દીઓ સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે કોરોનાના 747 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ પૈકી 15 કેસમાં વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આ સામે શનિવારે પાંચ દર્દીઓ સ્વસ્થ થયા હતાં. શુક્રવારે 44 કેસ હતાં જેની સરખામણીએ શનિવારે ટેસ્ટીંગ વધ્યું હોવા છતાં કુલ 37 કેસ એટલે કે 7 કેસ ઓછા મળી આવ્યા હતાં. આમ શનિવારે જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 2058 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 37 પોઝીટીવ કેસ મળ્યા હતાં તો 20 દર્દીએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

તા.28 માર્ચ રવિવાર (હોળી)ના દિવસે જામનગર શહેરમાં 1127 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 24 વ્યક્તિનો રિપોર્ટ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ સામે શહેરમાં કોરોના સંક્રમિત 16 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં.

રવિવારે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 626 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 15 વ્યક્તિનો કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો હતો તો 14 દર્દી સ્વસ્થ બની જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

આમ રવિવારે જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 1753 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 39 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું નોંધાયું હતું. જ્યારે કુલ 30 દર્દી સ્વસ્થ થયા હતાં.

ગઇકાલે ધૂળેટીની જાહેર રજા હોવાથી કોરોનાના ટેસ્ટ સ્વાભાવિક રીતે ઘટ્યા હતાં. જામનગર શહેરમાં 1083 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 25 વ્યક્તિ કોરોના પોઝીટીવ મળી આવી હતી. આ સામે 22 દર્દી સ્વસ્થ બન્યા હતાં. જેથી તેઓને ડિસ્ચાર્જ અપાયું હતું.

સોમવારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 455 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 8 લોકોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાહેર કરાયું હતું. જ્યારે તેની સામે 6 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. શહેર અને ગ્રામ્યમાં મળીને સોમવારે કોરોનાના કુલ 1538 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી 33 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને 28 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં.

આમ ત્રણ દિવસ દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 5359 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 109 વ્યક્તિ કોરોના સંક્રમિત બની ચુકી હોવાનું નોંધાયું હતું. જ્યારે તેની સામે ત્રણ દિવસમાં કુલ 78 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.