Skip to main content

જામનગરમાં ત્રણ દિવસમાં કોરોનાના 109 કેસ: 78 દર્દી સ્વસ્થ થયા

શનિ, રવિ અને સોમવાર દરમિયાન કુલ 5359 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરાયો હતો: શહેરમાં 71 અને ગ્રામ્યમાં 38 કેસ નોંધાયા: 12 દર્દીઓએ દમ તોડ્યો



જામનગર તા.30

જામનગ શહેર-જિલ્લામાં હોળીના તહેવારના ત્રણ દિવસ દરમિયાન કોરોનાના 109 પોઝીટીવ કેસ નોંધાયા હતાં અને 78 દર્દી સ્વસ્થ થયા હતાં.

 શનિ-રવિ અને સોમવાર મિનિવેકેશન હતું. શનિવારે ચોથો શનિવાર હોવાથી સરકારી, અર્ધ સરકારી કચેરીઓ, બેંકોમાં રજા હતી. જ્યારે રવિવારની રૂટીન રજા હતી અને હોળી પર્વ હતું જ્યારે સોમવારે રંગપર્વ-ધૂળેટી નિમિતે જાહેર રજા હતી. કોરોનાના બીજા તબક્કામાં સંક્રમણ વધ્યું છે અને સતત વધી રહ્યું છે.

શનિવારે જામનગર શહેરમાં 1311 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 22 વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 15 દર્દીઓ સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં. જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારે કોરોનાના 747 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. આ પૈકી 15 કેસમાં વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. આ સામે શનિવારે પાંચ દર્દીઓ સ્વસ્થ થયા હતાં. શુક્રવારે 44 કેસ હતાં જેની સરખામણીએ શનિવારે ટેસ્ટીંગ વધ્યું હોવા છતાં કુલ 37 કેસ એટલે કે 7 કેસ ઓછા મળી આવ્યા હતાં. આમ શનિવારે જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 2058 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 37 પોઝીટીવ કેસ મળ્યા હતાં તો 20 દર્દીએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

તા.28 માર્ચ રવિવાર (હોળી)ના દિવસે જામનગર શહેરમાં 1127 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 24 વ્યક્તિનો રિપોર્ટ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યું હતું. આ સામે શહેરમાં કોરોના સંક્રમિત 16 દર્દી સ્વસ્થ બની ડિસ્ચાર્જ થયા હતાં.

રવિવારે જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 626 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 15 વ્યક્તિનો કોરોના હોવાનો રિપોર્ટ આવ્યો હતો તો 14 દર્દી સ્વસ્થ બની જતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં.

આમ રવિવારે જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 1753 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા 39 વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું નોંધાયું હતું. જ્યારે કુલ 30 દર્દી સ્વસ્થ થયા હતાં.

ગઇકાલે ધૂળેટીની જાહેર રજા હોવાથી કોરોનાના ટેસ્ટ સ્વાભાવિક રીતે ઘટ્યા હતાં. જામનગર શહેરમાં 1083 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 25 વ્યક્તિ કોરોના પોઝીટીવ મળી આવી હતી. આ સામે 22 દર્દી સ્વસ્થ બન્યા હતાં. જેથી તેઓને ડિસ્ચાર્જ અપાયું હતું.

સોમવારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 455 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 8 લોકોને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જાહેર કરાયું હતું. જ્યારે તેની સામે 6 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં. શહેર અને ગ્રામ્યમાં મળીને સોમવારે કોરોનાના કુલ 1538 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી 33 લોકોનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને 28 દર્દી ડિસ્ચાર્જ થયા હતાં.

આમ ત્રણ દિવસ દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યમાં મળીને કુલ 5359 વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 109 વ્યક્તિ કોરોના સંક્રમિત બની ચુકી હોવાનું નોંધાયું હતું. જ્યારે તેની સામે ત્રણ દિવસમાં કુલ 78 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ડિસ્ચાર્જ થયા હતાં.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.