Skip to main content

ધ્રોલમાં ધડાધડ ફાયરિંગ કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપીઓ અંતે પકડાયા

 ટોલનાકે વાહન ચલાવવા બાબતે થયું હતું મનદુખ : દિનદહાડે યુવાનની હત્યા નિપજાવી બે ભાડૂતી મારાઓ સહિતના શખ્સો નાશી ગયા હતા



જામનગર તા.૧૮

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે સાડા છ માસ પૂર્વે ત્રિકોણબાગ ખાતે એક કારમાં આવેલા ત્રણ થી ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી ક્ષત્રિય યુવાનની કરપીણ હત્યા નિપજાવી હતી. જે તે સમયે મોરબી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા ત્યારબાદ હત્યાની સોપારી લેનાર બે પરપ્રાંતિય શખ્સોને પણ પોલીસે દબોચી લીધા હતા જો કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર લાબો સમય ફરાર રહ્યા બાદ આજે આરઆરસેલ પોલીસે બંનેને ચોટીલા પાસેથી પકડી પાડ્યા હતા.

ધ્રોલ તાલુકા મથકે ગત તા.૬-૩-૨૦૨૦ના રોજ ત્રિકોણ બાગ પાસે પોતાની કાર તરફ જઇ રહેલા દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાનની કારમાં આવેલા ચાર શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરી હત્યા નિપજાવી નાશી ગયા હતા. જો કે જે તે દિવસે જ મોરબી પોલીસે બે શખ્સોને પકડી પાડ્યા હતા. ત્યારબાદ જામનગર એલસીબી પોલીસે અન્ય રાજ્યના બે શાર્પશૂટરોને પણ પકડી પાડ્યા હતા.

પડધરી ટોલનાકામાં વાહનો પસાર થવા બાબતે મૃતક અને આરોપી મુસ્તાક વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું. આ બાબતે જ બે ભાડૂતી માણસો રોકી મુસ્તાક અને આજ દિવસ સુધી ફરાર રહેલા અનિરુદ્ધસિંહ સોઢાએ હત્યા નીપજાવવાનો સમગ્ર પ્લોટ રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જો કે હત્યાનું કારણ સ્પષ્ટ થઈ ગયા બાદ આજ દિવસ સુધી મુસ્તાક પઠાણ અને અનિરુદ્ધસિંહ પોલીસના હાથે લાગ્યા ન હતા. દરમિયાન રેન્જ પોલીસને મળેલ ચોક્કસ હકીકતના આધારે આજે આ બંને શખ્સોને ચોટીલાથી જસદણ વચ્ચે આંતરી લીધા હતા. જે તે સમયે આરોપી અનિરુદ્ધસિંહે બંને ભાડૂતીમારાઓની વયવસ્થા કરી હતી જ્યારે આરોપી મુસ્તાકે અન્ય આરોપી સાથે મળીને વરદાતને અંજામ આપ્યો હોવાનું જાહેર થયું હતું. પોલીસ દ્વારા બંને આરોપીઓનો કબ્જો સંભાળવા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.