Skip to main content

જામનગરમાં એક સપ્તાહમાં કોરોનાના સંક્રમણમાં 12 થી 25 ટકા સુધીનો ઘટાડો

 જામનગર શહેરમાં ગત સપ્તાહમાં 6034 સેમ્પલમાંથી 640 વ્યકિતના રિર્પોટ કોરોના પોઝીટીવ નોંધાયા: 644 દર્દીઓને અપાયું ડિસ્ચાર્જ: જામનગર ગ્રામ્યમાં 7105 ટેસ્ટમાંથી 110 વ્યકિતને કોરોનાનું સંક્રમણ થયાનું નોંધાયું: ગ્રામ્યના 100 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી અપાઇ રજા



જામનગર તા.28:

જામનગરમાં કોરોનાના સંક્રમણમાં સપ્ટેમ્બર માસના ત્રીજા સપ્તાહની સરખામણીએ ચોથા સપ્તાહમાં આશરે 12 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

જામનગરમાં ચાલુ (સપ્ટેમ્બર)માસના ત્રીજા સપ્તાહમાં જામનગર શહેરમાંથી 5980 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 731 દર્દીનો રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ સામે 862 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે 278 દર્દી એકટીવ કેસ હતા. 

આ સામે સપ્ટેમ્બરનું ગઇકાલે બે પુરૂ થયેલું ચોથુ અઠવાડીયુ કોરોના સંક્રમણની રીતે થોડું હળવું સાબિત થતા આોરગ્ય તંત્રને કોરોનામા ઘટાડો થવાની ફરી એક વખત આશા જાગ છે.

જામનગર શહેરની જ વાત કરીએ તો ચોથા સપ્તાહ (તા.21 થી 27) દરમ્યાન શહેરમાંથી 6034 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ સાથે શહેરમાંથી ગઇકાલ સુધીમાં કરાયેલા ટેસ્ટની કુલ સંખ્યા 73,852 થઇ હતી. આ સપ્તાહ દરમ્યાન શહેરમાં કોરોનાના નવા 640 કેસનો ઉમેરો થયો હતો. જયારે ગઇકાલની સ્થિતિએ શહરેમાં 174 એકટીવ કેસ હતા. નવા 640 કેસ સામે 644 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સપ્તાહ દરમ્યાન કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યું ન થયાનો દાવો તંત્રે કર્યો છે.

જામનગર ગ્રામ્યમાં ત્રીજા સપ્તાહ દરમ્યાન 7013 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 147 વ્યકિતને આવ્યો હતો. આ સપ્તાહમાં 147 નવા કેસની સામે 132 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અને એકટીવ કેસ 80 હતા.

ત્રીજા સપ્તાહની સરખામાણીએ ચોથા સપ્તાહમાં જામનગર ગ્રામ્યમાં 7105 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ પૈકી 110 વ્યકિતને કોરોના થયાનો રિર્પોટ આવ્યો હતો. ગઇકાલની સ્થિતિએ ગ્રામ્યમાં એકટીવ કેસ 81 હતા. જયારે ગ્રામ્યમાં પણ થોા સપ્તાહ દરમ્યાન કોઇ દર્દીનું કોરોનાથી મોત ન થયાનું ગાણૂં તંત્રે ગાયું હતું. નવા 110 કેસ સામે આ સપ્તાહમાં ગ્રામ્યના 100 દર્દીને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

કોરોનાના સંક્રમણ સંદર્ભે ત્રીજા સપ્તાહ અને ચોથા સપ્તાહની સરખામણી કરવામાં આવે તો જામનગર શહેરમાં ત્રીજા સપ્તાહના 731 કેસ સામે ચોથા સપ્તાહમાં 91 કેસનો ઘટાડો નોંધાયો હતો. જે 12 ટકા જેટલો ગણી શકાય.

જામનગર ગ્રામ્યમાં ત્રીજા સપ્તાહની અંદર 147 કેસ નોંધાયા હતા તો ચોથા ગત સપ્તાહ દરમ્યાન 110 જે કેસ નોંધાયા હતા. આમ ગ્રામ્યમાં એક સપ્તાહમાં કોરોનાના કેસમાં 25 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.