Skip to main content

જાણો દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરતાં શ્રી કુબેરભંડારી મહાદેવનો રસપ્રદ ઇતિહાસ

વર્ષોથી શ્રદ્ધાળુઓ આવે છે મહાદેવના દર્શનાર્થે : માત્ર પાંચ અમાસ ભરવાથી મનોકામના પૂર્ણ કરે છે મહાદેવ : ગુજરાત બહારથી પણ લોકો આવે છે સ્વયં ભૂ પ્રગટ થયેલ શિવલિંગના દર્શનાર્થે : શ્રાવણમાસમાં રોજે શિવને અનેરા શણગાર થાય છે : કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શનની મંજૂરી


આજના વધી રહેલા ટેકનોલોજી અને વિજ્ઞાનના યુગમાં પણ હજુ ધર્મનું વર્ચસ્વ ખોવાયું નથી. ભક્તોમાં દેવ-દેવીઓને લઈને હજુ પણ અનેરી શ્રદ્ધા અને લોકવાયકા છે. તેવું જ એક મંદિર છે જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલ ‘કુબેરભંડારી મહાદેવ‘ નું મંદિર. આ મંદિરનો ઇતિહાસ એટલો જ રસપ્રદ છે કે દરેક ભક્તને એક વખત તો શિવના દર્શને જવાની ઈચ્છા જાગૃત થાય જ.
જામનગરના પંચેશ્વર ટાવર નજીક આવેલ ‘કુબેર ભંડારી મહાદેવ‘ સ્વયં ભૂ પ્રગટ થયા છે. મંદિરની બાજુમાં જ જોગી બાબાની સમાધિ આવેલ છે. વર્ષો પહેલા જોગીબાબા આ જગ્યા પર રહેતા ઝૂપડું બાંધીને રહેતા ત્યારે ભિક્ષાવૃતિ કરીને ખાતા હતા. અને એક દિવસ મહાદેવ સ્વયં તેમના સપનામાં આવ્યા અને મહાદેવે કહ્યું કે જો તમે પીપળાનું આ ઝાડ આવેલ છે તેના નીચે સવારના સમયે ખોદકામ કરશો તો ધનની પ્રાપ્તિ થશે અને રાત્રિના સમયે ખોદકામ કરશો તો સ્વયં શિવલિંગ પ્રગટ થશે. પરંતુ સાધુને ધનની લાલચ ન હોવાથી તેણે લોકો સાથે મળીને રાત્રિના સમયે ખોદકામ કર્યું અને સાક્ષાત શિવલિંગ પ્રગટ થઈ. બાદમાં શિવલિંગની ફરતે મંદિરની રચના કરવામાં આવી. અને ભગવાનની આ લીલાથી "કુબેર ભંડારી મહાદેવ" મંદિરનો મહિમા ધીમે ધીમે વધતો ગયો. ત્યારથી ભગવાન શિવના દર્શન માટે અંહી રોજે મોટી સંખ્યામાં લોકો આવે છે.
મંદિરના પૂજારી દિલીપગિરિ ડી.ગોસાઇએ જણાવ્યુ હતું કે કે કોઈ ભાવિક સાચા દિલથી કુબેરભંડારી મહાદેવ ને રટે છે તેની મનોકામના આવશ્ય પૂરી થાય છે. અને પાંચ અમાસ ભરવાથી લોકોની દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે. માટે આ મંદિરે શ્રાવણમાસ, તેમજ સોમવારની સાથે સાથે અમાસના દિવસે આવવાનું પણ મહત્વ અનેરૂ છે. લોકો જામનગર જિલ્લા તથા આજુ બાજુના વિસ્તારોમાંથી પણ શિવલિંગના દર્શનાર્થે આવે છે.
હાલ ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીના પરિણામે મંદિરે આવનારા ભક્તોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ઉપરાંત મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જ ભક્તોને દર્શન કરવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત શ્રાવણમાસમાં મહાદેવના અલગ અલગ શણગાર કરવામાં આવે છે. એમાં કૈલાશ દર્શન, રુદ્રાક્ષ લિંગ જેવા દર્શન રાખવામા આવે છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.