Skip to main content

જામનગર શહેરમાં કોરોનાનો ક્રૂર પંજો: ગઇકાલે અને આજે સવારે એકીસાથે ચાર દર્દીઓના મોતથી સન્નાટો

શહેરી વિસ્તારમાંથી વધુ 24 દર્દીઓના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ગભરાટનો માહોલ

જામનગર તા.6
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ માઝા મૂકી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગઈ કાલનો દિવસ કોરોના માટે ખૂબ જ ગોઝારો સાબિત થયો છે. કોરોનાની મહામારી માટે કાલે મોડી રાત્રે જી. જી. હોસ્પિટલના બિછાને બે દર્દીઓએ દમ તોડી દીધો છે, ત્યાર પછી આજે સવારે પણ બે દર્દીઓના મૃત્યુ નીપજતાં હાહાકાર મચી ગયો છે. ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 62 પોઝિટિવ કેસ નોંધાયા પછી આજે સવારે વધુ 24 પોઝિટિવ કેસ સામે આવતા ભયનો માહોલ ફેલાયો છે.
 જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા જામનગરના કેશવજીભાઇ નામના 78 વર્ષના વયોવૃદ્ધ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. ઉપરાંત જામનગરના 76 વર્ષની ઉંમરના નવીનભાઈ કંસારા નામના વૃદ્ધ દર્દીનું પણ જી.જી.હોસ્પિટલ ના બિછાને મૃત્યુ નિપજયું છે. આ ઉપરાંત આજે સવારે પણ વધુ બે દર્દીઓએ દમ તોડી દીધો છે. ગઈકાલે રાત્રે તેમજ આજે સવારે ચાર દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નિપજયા હોવાથી શહેરમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
 જામનગર શહેરમાં ગઇકાલે એક જ દિવસમાં એકીસાથે 62 પોઝિટિવ કેસ નોંધાયા હતા, અને તમામને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. દરમિયાન આજે સવારે જામનગરની જી.જી.હોસ્પિટલ ની લેબોરેટરીમાં ચકાસણી માટે આવેલા જામનગર શહેરના વધુ 24 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
 જેમાં કેશવજીભાઇ મૂળજીભાઇ મુંગરા (76), પૂજાબેન વિમલભાઈ કનખરા (40) ફિરોજભાઈ મોહમ્મદભાઈ કાદીયાણી (31), રેખાબેન પ્રફુલભાઈ સાવલિયા (64), હિરેન જયંતીભાઈ મૂંજાલ  (37), દામજીભાઈ કરસનભાઈ દડીયા (61), હર્ષદ દિનેશભાઈ મોદી(28), બાબુલાલ ભાલારા(62), દક્ષાબેન ભીમાણી(53), રૂપલ મહેતા (44), જસ ભાગ્યેશ ભાઈ મહેતા(19), નીપાબેન દિનેશ ભાઈ કટારીયા(50), આસલ ભાઈ મોહનભાઈ (49) હુજેફાબેન સોની(49), ભાગ્યશ્રી બેન (25), કેવલ છત્રાલા (27), વિમલભાઈ કનખરા (44), જાદવજીભાઈ જોઈસર (50), દિનકરભાઈ જોઇસર (45), લવપ્રીતસિંગ હરપાલસિંઘ ( હોટલ પ્રેસિડન્ટ) (27), વિનેશ ભાઈ નારણભાઈ (49), સાગર નાકર (28), અને હસમુખભાઈ નાકર (62) વગેરેનો સમાવેશ થાય છે. જે તમામને પણ જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડ મા દાખલ કરવામાં આવ્યા છે.
 જામનગર શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે, સાથોસાથ લોકોમાં પણ તહેવારના સમયે કોરોનાનું સંક્રમણ વધવાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.