Skip to main content

જામનગર શહેરમાં કોરોનાનો ક્રૂર પંજો: ગઇકાલે અને આજે સવારે એકીસાથે ચાર દર્દીઓના મોતથી સન્નાટો

શહેરી વિસ્તારમાંથી વધુ 24 દર્દીઓના પોઝીટીવ કેસ નોંધાતા લોકોમાં ગભરાટનો માહોલ

જામનગર તા.6
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ માઝા મૂકી રહ્યું છે. જેમાં ખાસ કરીને ગઈ કાલનો દિવસ કોરોના માટે ખૂબ જ ગોઝારો સાબિત થયો છે. કોરોનાની મહામારી માટે કાલે મોડી રાત્રે જી. જી. હોસ્પિટલના બિછાને બે દર્દીઓએ દમ તોડી દીધો છે, ત્યાર પછી આજે સવારે પણ બે દર્દીઓના મૃત્યુ નીપજતાં હાહાકાર મચી ગયો છે. ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 62 પોઝિટિવ કેસ નોંધાયા પછી આજે સવારે વધુ 24 પોઝિટિવ કેસ સામે આવતા ભયનો માહોલ ફેલાયો છે.
 જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં સારવાર લઇ રહેલા જામનગરના કેશવજીભાઇ નામના 78 વર્ષના વયોવૃદ્ધ દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું. ઉપરાંત જામનગરના 76 વર્ષની ઉંમરના નવીનભાઈ કંસારા નામના વૃદ્ધ દર્દીનું પણ જી.જી.હોસ્પિટલ ના બિછાને મૃત્યુ નિપજયું છે. આ ઉપરાંત આજે સવારે પણ વધુ બે દર્દીઓએ દમ તોડી દીધો છે. ગઈકાલે રાત્રે તેમજ આજે સવારે ચાર દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ નિપજયા હોવાથી શહેરમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે.
 જામનગર શહેરમાં ગઇકાલે એક જ દિવસમાં એકીસાથે 62 પોઝિટિવ કેસ નોંધાયા હતા, અને તમામને જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારનો પણ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. દરમિયાન આજે સવારે જામનગરની જી.જી.હોસ્પિટલ ની લેબોરેટરીમાં ચકાસણી માટે આવેલા જામનગર શહેરના વધુ 24 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
 જેમાં કેશવજીભાઇ મૂળજીભાઇ મુંગરા (76), પૂજાબેન વિમલભાઈ કનખરા (40) ફિરોજભાઈ મોહમ્મદભાઈ કાદીયાણી (31), રેખાબેન પ્રફુલભાઈ સાવલિયા (64), હિરેન જયંતીભાઈ મૂંજાલ  (37), દામજીભાઈ કરસનભાઈ દડીયા (61), હર્ષદ દિનેશભાઈ મોદી(28), બાબુલાલ ભાલારા(62), દક્ષાબેન ભીમાણી(53), રૂપલ મહેતા (44), જસ ભાગ્યેશ ભાઈ મહેતા(19), નીપાબેન દિનેશ ભાઈ કટારીયા(50), આસલ ભાઈ મોહનભાઈ (49) હુજેફાબેન સોની(49), ભાગ્યશ્રી બેન (25), કેવલ છત્રાલા (27), વિમલભાઈ કનખરા (44), જાદવજીભાઈ જોઈસર (50), દિનકરભાઈ જોઇસર (45), લવપ્રીતસિંગ હરપાલસિંઘ ( હોટલ પ્રેસિડન્ટ) (27), વિનેશ ભાઈ નારણભાઈ (49), સાગર નાકર (28), અને હસમુખભાઈ નાકર (62) વગેરેનો સમાવેશ થાય છે. જે તમામને પણ જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડ મા દાખલ કરવામાં આવ્યા છે.
 જામનગર શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે, સાથોસાથ લોકોમાં પણ તહેવારના સમયે કોરોનાનું સંક્રમણ વધવાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.