Skip to main content

અયોધ્યામાં ભગવાન રામના મંદિરની ચળવળમાં જામનગરમાં ઋતુંભરા દેવીની સભા યોજાઇ હતી

રામ સેવક સમિતિની તસ્વીરો સોશ્યલ મીડિયા દ્વારા તાજી થઇ: આજે પણ જામનગરમાં જયશ્રી રામ જયશ્રી રામના નારા ગુંજી રહ્યા છે



જામનગર તા.5:
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે ત્યારે આ મંદિર માટેની ચળવળ માટે જામનગર રૂત્રુભા દેવીની સભા, રામ સેવકોના ધરણા સહિતની ચળવળની તસ્વીરો આજે સોશ્યલ મીડીયા દ્વારા તાજી થઇ હતી. જામનગરમાં ચળવળમાં જોડાયેલા અનેક રામ સેવકોએ આજે પોતાના સ્વપ્નાને સાકાર થતા જોયુ હતું.
વર્ષો પહેલા જામનગરમાં ભગવાન શ્રીરામના અયોધ્યામાં મંદિર બને તે માટે રામ સેવક સમિતિ દ્વારા ચળવળનો આરંભ કરાયો હતો. તે સમયે અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર બનાવવા માટે જુદી-જુદી ચળવળો શરૂ થઇ હતી. તેમા ખાસ કરીને આ મંદિર માટે થઇને જામનગરના ખડપીઠના મેદાનમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ આયોજીત એક સભામાં ખાસ રૂત્રુભા દેવીએ પોતાની આગવી સહેલીમાં ભગવાન રામના મંદિર માટે સંબંધો કર્યુ હતું. આ ઉપરાંત ચાંદી બજારના ચોકમાં પણ ભગવાન શ્રી રામના મંદિર માટે સભાનું આયોજન કરાયું હતું.
તેમજ લાલ બંગલાના સર્કલ ખાતે તેમજ ચાંદીબજાર અને તળાવની પાળે ખઠપીઠના મેદાનમાં  રામ સેવા સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ રેલીઓ અને સભા યોજાઇ હતી. જેમાં મહિલાઓ નિલમબેન ભટટ્ટ, ડો.હંસાબેન વ્યાસ, પ્રતિક્ષાબેન જાની, નિતાબેન જોષી, ઇન્દુબેન પરમાર અને પ્રો.મીરાબેન ભટ્ટ પણ ઉત્સાભેર જોડાઇ હતી અને ભગવાન શ્રીરામનું મંદિર બને તેવા સંકલ્પ સાથે અનેક મહાનુભાવો જોડાયા હતા. જેની તસ્વીર આજે ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતેના મંદિરના નિર્માણના શિલાન્યાસ સમયે સોશ્યલ મિડીયામાં તાજી થઇ હતી. આ તસ્વીરોમાં સ્વામીનારાયણ મંદિરના ચત્રભુજદાસજી, ડો.જગદીશભાઇ ધોળકીયા, અનિરૂધ્ધ ભટ્ટ, ખુમાનસિંહ સરવૈયા, સુરેન્દ્રભાઇ વ્યાસ, આર.કે.કનખરા, ડો.વૈકુંઠ ધોળકીય, ત્રિલોકભાઇ પટેલ, નારણભાઇ, જગદીશભાઇ વ્યાસ, અશોકભાઇ પાંઉ, તખ્તાણીભાઇ સહિતના  અનેક બજરંગદળના સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત અનેક રામ સેવકો તસ્વીરમાં નજરે પડે છે. તેવા તમામ લોકોનું આજે આ સ્વપ્ન પુરૂ થયું છે અને આ ચળવળમાં જોડાયેલા જામનગરવાસીઓનું જીવનની મોટી સફળતા ગણાવે છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.