Skip to main content

અયોધ્યામાં ભગવાન રામના મંદિરની ચળવળમાં જામનગરમાં ઋતુંભરા દેવીની સભા યોજાઇ હતી

રામ સેવક સમિતિની તસ્વીરો સોશ્યલ મીડિયા દ્વારા તાજી થઇ: આજે પણ જામનગરમાં જયશ્રી રામ જયશ્રી રામના નારા ગુંજી રહ્યા છે



જામનગર તા.5:
અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરનો શિલાન્યાસ થવા જઇ રહ્યો છે ત્યારે આ મંદિર માટેની ચળવળ માટે જામનગર રૂત્રુભા દેવીની સભા, રામ સેવકોના ધરણા સહિતની ચળવળની તસ્વીરો આજે સોશ્યલ મીડીયા દ્વારા તાજી થઇ હતી. જામનગરમાં ચળવળમાં જોડાયેલા અનેક રામ સેવકોએ આજે પોતાના સ્વપ્નાને સાકાર થતા જોયુ હતું.
વર્ષો પહેલા જામનગરમાં ભગવાન શ્રીરામના અયોધ્યામાં મંદિર બને તે માટે રામ સેવક સમિતિ દ્વારા ચળવળનો આરંભ કરાયો હતો. તે સમયે અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર બનાવવા માટે જુદી-જુદી ચળવળો શરૂ થઇ હતી. તેમા ખાસ કરીને આ મંદિર માટે થઇને જામનગરના ખડપીઠના મેદાનમાં વિશ્ર્વ હિન્દુ પરિષદ આયોજીત એક સભામાં ખાસ રૂત્રુભા દેવીએ પોતાની આગવી સહેલીમાં ભગવાન રામના મંદિર માટે સંબંધો કર્યુ હતું. આ ઉપરાંત ચાંદી બજારના ચોકમાં પણ ભગવાન શ્રી રામના મંદિર માટે સભાનું આયોજન કરાયું હતું.
તેમજ લાલ બંગલાના સર્કલ ખાતે તેમજ ચાંદીબજાર અને તળાવની પાળે ખઠપીઠના મેદાનમાં  રામ સેવા સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ રેલીઓ અને સભા યોજાઇ હતી. જેમાં મહિલાઓ નિલમબેન ભટટ્ટ, ડો.હંસાબેન વ્યાસ, પ્રતિક્ષાબેન જાની, નિતાબેન જોષી, ઇન્દુબેન પરમાર અને પ્રો.મીરાબેન ભટ્ટ પણ ઉત્સાભેર જોડાઇ હતી અને ભગવાન શ્રીરામનું મંદિર બને તેવા સંકલ્પ સાથે અનેક મહાનુભાવો જોડાયા હતા. જેની તસ્વીર આજે ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતેના મંદિરના નિર્માણના શિલાન્યાસ સમયે સોશ્યલ મિડીયામાં તાજી થઇ હતી. આ તસ્વીરોમાં સ્વામીનારાયણ મંદિરના ચત્રભુજદાસજી, ડો.જગદીશભાઇ ધોળકીયા, અનિરૂધ્ધ ભટ્ટ, ખુમાનસિંહ સરવૈયા, સુરેન્દ્રભાઇ વ્યાસ, આર.કે.કનખરા, ડો.વૈકુંઠ ધોળકીય, ત્રિલોકભાઇ પટેલ, નારણભાઇ, જગદીશભાઇ વ્યાસ, અશોકભાઇ પાંઉ, તખ્તાણીભાઇ સહિતના  અનેક બજરંગદળના સભ્યો, વિશ્ર્વ હિન્દુ પરિષદના સભ્યો સહિત અનેક રામ સેવકો તસ્વીરમાં નજરે પડે છે. તેવા તમામ લોકોનું આજે આ સ્વપ્ન પુરૂ થયું છે અને આ ચળવળમાં જોડાયેલા જામનગરવાસીઓનું જીવનની મોટી સફળતા ગણાવે છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.