Skip to main content

બરડા ટ્રીપલ મર્ડર: રહસ્ય આવ્યું સામે




પોરબંદર વનવિભાગના મહીલા ફોરેસ્ટ ગાર્ડ અને તેમના શિક્ષક પતિ તેમજ વન વિભાગના રોજમદાર સહીતના ૩ વ્યકિત શનિવારે લાપતા બન્યા બાદ આજે સોમવારે ત્રણેય ની લાશ કાટવાણા નજીકના બરડા ડુંગરમાંથી મળી હતી અને તેમની બેરહેમીપૂર્વક હત્યા કરવામા આવી છે ત્રીપલ મર્ડરની ઘટનાને પગલે સમગ્ર જીલ્લામાં  ભારે ચકચાર જાગી છે.
પોરબંદર વન વિભાગમાં ફોરેસ્ટગાર્ડ તરીકે બજાવતા હેતલબેન રાઠોડ અને તેમના શિક્ષાક પતિ કીર્તિભાઈ સોલંકી તેમજ વનવિભાગ માં રોજમદાર તરીકે કામ કરતા નાગાભાઈ આગઠ સહીતના ત્રણ લોકો શનિવાર થી લાપતા બન્યા હતા અને કાટવાણા નજીકના જંગલમાંથી તેમની કાર રેઢી મળી હતી અને લાપતા બન્યાની આશંકા ને લઈ પોલીસ અને વન વિભાગ દ્વારા સતત બે દીવસથી તેમની શોધખોળ કરવામા આવી રહી હતી. તે દરમ્યાન આજે સોમવારે કાટવાણા નજીકના બરડા ડુંગર માંથી ત્રણેય નો મૃતદેહ મળી આવ્યો હતો. તિક્ષણ હથિયાર ના ઘા ઝીકીને હત્યા કરવામા આવી હોવાનુ બહાર આવ્યુ છે. મહીલા ફોરેસ્ટગાર્ડ હેતલ રાઠોડ ની લાશ પાણીના ઝરણા નજીકથી મળી આવી હતી જ્યારે તેમના પતિ અને રોજમદાર યુવાનની લાશ ત્યાથી થોડે દુર બાવળની કાટમાંથી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા જીલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સેની અને વન વિભાગના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણેયના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે લાવવામા આવ્યા હતા. મહીલા ફોરેસ્ટગાર્ડ સગર્ભા હતી.
સુત્રોમાંથી પ્રકરણની સનસનાટીભરી વિગતો મુજબ જે આરોપીએ ત્રણેય વ્યક્તિઓની હત્યા નીપજાવી તે તે વનકર્મી જ છે. સગર્ભા મહિલા વનકર્મીના બીટમાં બરડા ડુંગરમાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનું આરોપીએ જણાવી મહીલા વનકર્મીને બીટમાં આવવા કહ્યું હતું. જેને લઈને મહિલા કર્મીએ પોતાના પતિ અને રોજમદારને સાથે લીધા હતા. શનિવારે પાંચ વાગ્યે જ ત્રણેય બીટમાં ગયા હતા. જ્યાં આરોપી રસ્તામાં મળી ગયો હતો. ડુંગરાળ વિસ્તારમાં એક જગ્યાએ ગાડી ઉભી રખાવી, એક પછી એકને આગળ લઇ જઈ, કુહાડીના પ્રહાર કરી હત્યા નીપજાવી હતી. ત્રણેયની હત્યા બાદ તમામને અલગ અલગ જગ્યાએ ફેકી દીધા હતા. આ વારદાતને અંજામ આપી આરોપી પરત ઘરે આવી ગયો હતો અને સવારે નોકરીએ પણ લાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ હત્યા પ્રકરણમાં કશું ફોડ પાડ્યો નથી, આરોપીએ કયા કારણોસર આ વારદાતને અંજામ આપ્યો છે તે હજુ સ્પષ્ટ થયું નથી. સુત્રોનું માનવામાં આવે તો આ પ્રકરણ હજુ અન્ય આરોપીઓ પણ સંડોવાયા છે. પોલીસ દ્વારા અન્ય આરોપીઓ સુધી પહોચવા ચક્રો ગતિમાન કર્યા છે. આવતી કાલ સુધીમાં આ પ્રકરણમાં પોલીસ સતાવાર વિગતો જાહેર કરશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...