Skip to main content

જામનગર જિલ્લામાં ગત્ વર્ષની સરખામણીએ ખરીફ પાકનું 97 ટકા વાવેતર

3,37,444 હેક્ટરમાં ખરીફ પાકનું થઇ ચુક્યું છે વાવેતર: ધ્રોલ અને જોડિયામાં થયેલા ભારે વરસાદને કારણે ખરીફ પાકને ફટકો: જો કે હજુ વાવેતરની પ્રક્રિયા ચાલુ હોવાથી ગત્ વર્ષ કરતા વધુ વાવેતર થવાની શક્યતા



જામનગર જિલ્લામાં ચાર વર્ષ બાદ ચાલુ વર્ષે પ્રિ-મોન્સુન એકટીવીટીમાં નોંધપાત્ર વરસાદ બાદ 15 જૂન પછી વિધિવત ચોમાસાના આગમન બાદ મેઘરાજાએ સમયસર સચરાચર મેઘમહેર કરતા ખેડૂતોએ ખરીફ પાકનું હોશભેર વાવેતર કર્યું હતું. જિલ્લામાં સરેરાશ 3,46,150 હેકટર ખરીફ પાકના વાવેતર સામે ગતવર્ષે સીઝનમાં કુલ 346886 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું. જેની સાપેક્ષમાં ચાલુ વર્ષે સમયસર ચોમેર શ્રીકાર વર્ષા થતાં જિલ્લામાં 23 જુલાઇ સુધીમાં એટલે કે એક મહિનામાં જિલ્લામાં 97 ટકા એટલે કે 3,37,444 હેકટરમાં ખરીફ પાકનું વાવેતર થઇ ચૂકયું છે. જો કે, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખરીફ પાકના વાવેતરને ફટકો પડયો છે. પરંતુ હજુ ખરીફ પાકના વાવેતરની પ્રક્રિયા ચાલી રહી હોય વાવેતર વધશે તેમ ખેતીવાડી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
જામનગર જિલ્લામાં ગતવર્ષે ખરીફ પાકમાં કુલ 1,47,978 હેકટરમાં મગફળીનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું. પરંતુ આ વર્ષે સચરાચર મેધવર્ષા થતાં મગફળીનું કુલ 2,23,175 હેકટરમાં વાવેતર થયું છે.જે ગતવર્ષની સાપેક્ષમાં 75,197 હેકટર વધુ છે. જો કે, ગતવર્ષે 1,66,549 હેકટરમાં થયેલા કપાસના વાવેતરની સરખામણીએ આ વર્ષે ફકત 931,94 હેકટરમાં વાવેતર થતાં 73,355 હેકટરનો ધટાડો નોંધાયો છે.
જોડિયા તાલુકામાં અન્ય પાક તરીકે અજમાનું વાવેતર થયું છે. વળી આ તાલુકામાં વરસાદ અન્ય તાલુકા કરતા થોડો મોડો થતાં હાલમાં વાવણીની કામગીરી ચાલુ છે. તદઉપરાંત ભૌગોલીક પરિસ્થિતિના કારણે ચણાનું વાવેતર ખરીફ સીઝનના બદલે રવી સીઝનમાં થાય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...