Skip to main content

જાણો જામનગરના 80 વર્ષ જૂના હાટકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ

હાટેકેશ્વર મહાદેવ મંદિરમાં પંચેશ્વર મહાદેવ, ત્રિ શિવલિંગ સિવાયના અન્ય નાના મોટા 19 દેવી-દેવતાઓ : કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને નિયમોનું ચુસ્ત પાલન : ભક્તોને માત્ર દર્શન કરવાની જ છૂટ : તમામ પ્રકારની ધાર્મિક વિધિ પર રોક : લાઈવ દર્શનનું આયોજન




જામનગર જિલ્લાના દરેક શિવાલયોમાં શ્રાવણમાસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ દરેક વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના વાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને મોટાભાગની પ્રવૃતિઓ પર રોક લગાવવામાં આવી છે. તેવું જ એક મંદિર છે જામનગરના હવાઈચોક વિસ્તારમાં આવેલ હાટકેશ્વર મહાદેવ નું મંદિર.
જામનગર શહેરના હાવઈચોક વિસ્તારમાં આશરે 80 વર્ષ પહેલા નાગર જ્ઞાતિ દ્વારા  હાટકેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. ચૈત્ર સુદ ચૌદસના દિવસે નાગર જ્ઞાતિ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હાટકેશ્વર મહાદેવ નાગર જ્ઞાતિના ઈસ્ટદેવ પણ છે. મુખ્ય મંદિર સિવાય પણ મંદિરમાં ભગવાન શિવના અન્ય મંદિરો જેમાં નર્મદેશ્વર મહાદેવ, રીંડેશ્વર મહાદેવ, પંચેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ,ગોપાલેશ્વર મહાદેવ ઉપરાંત અન્ય દેવી દેવતાઓના મંદિર જેમાં ગાયત્રી માતા, અંબાજીમાતા, ભક્ત શ્રી નરસિંહ મહેતા, ઉપરાંત કાલભૈરવનું મંદિર આવેલ છે. કાલભૈરવના મંદિરને લઈને ભકતોમાં અનેરી શ્રદ્ધા છે.

મંદિરના પૂજારી રમેશભાઈ ભટ્ટે જણાવ્યુ હતું કે હાલ કોરોના વાઇરસની મહામારીને લઈને મંદિરમાં દર્શનાર્થે આવતા તમામ ભક્તો પાસે નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે છે. મંદિરનો સમય સવારે 6થી12 અને સાંજે 5થી8નો રાખવામા આવેલ છે. મંદિરમાં જળાભિષેક તથા તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ પર પ્રતિબંધ રાખવામા આવ્યો છે. આ ઉપરાંત પ્રવેશ કરનાર દરેક વાયક્તિ માટે સેનિટાઇઝરની અને હાથ ધોવાની વયવસ્થા પણ કરવામાં આવી છે. તથા તમામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત તમામ નિયમોનું પાલન કરવાનું રહે છે. વધુમાં મંદિરના પૂજારીએ જણાવ્યુ હતું કે દરવર્ષે મંદિરમાં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે પરંતુ હાલ ચાલી રહેલ મહામારીના પરિણામે રોજે 60-70 ભક્તો આવે છે. મોટા પ્રમાણમાં ભક્તો આરતીનો લ્હાવો લઈ શકે તે માટે લાઈવ દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

શ્રાવણ માસના દરેક સોમવારે મંદિરમાં મહાઆરતી અને ભવ્ય શણગારનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે લઘુરુદ્રનું આયોજન પણ કરવામાં આવે છે. મંદિરની સ્થાપના ચૈત્ર સુદ ચૌદસના દિવસે કરવામાં આવી હોવાથી દર વારે ભવ્ય શોભાયાત્રાનું તથા શણગારનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત મંદિરના પ્રમુખ અમિતભાઈ ઓઝા દ્વારા અનેક રચનાત્મક પ્રવૃતિઓ કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.