Skip to main content

જામનગરમાં બે દિવસમાં કોરોનાની બેવડી સદી : 2 મોત

જામનગર શહેરમાં 176 નવા કેસ સાથે કોરોનાનો કુલઆંક 2158: ગ્રામ્યમાં 29 કેસ નોંધાયા: કુલ 205 નવા કેસ સામે 197 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

જામનગર તા.31:
જામનગર શહેર-જિલ્લામાં વીકએન્ડમાં કોરોનાના 205 કેસ નોંધાયા હતા. જે સામે 197 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. બે  દર્દીઓના કોરોનાથી મૃત્યું થયા હતાં. શનિ-રવિવારે પણ જામનગર શહેર-જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની રફતાર યથાવત રહેવા પામી હતી. 
શનિવારે જાહેર થયેલ કેસ
જામનગર શહેરમાં શનિવારે સાંજ સુધીમાં કોરોનાના 1006 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના ટેસ્ટીંગમાંથી 89 દર્દીઓના રિર્પોટ પોઝીટીવ આવ્યા હતા. આ સામે શનિવારે શહેરના 93 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. મહત્વની અન્ય એક બાબત એ છે કે, ઘણા દિવસ પછી જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યું નિપજ્યાનું જાહેર કરી કોરોનાનો કુલ મૃત્યુઆંક 14થી વધારી 15 કર્યો હતો. શનિવાર સુધીમાં શહેરમાંથી લેવાયેલા કુલ સેમ્પલ-ટેસ્ટીંગનો આંકડો 25,167એ પહોંચ્યો હતો. કુલ કેસ 2071 થયા હતા.
આ રીતે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે સાંજ સુધીમાં 24 કલાકમાં 1013 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ પૈકી માત્ર 14 દર્દીના રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જયારે 6 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
શનિવારે એકંદરે જામનગર શહેર-જિલ્લામાંથી 2019 સેમ્પલમાંથી 103 દર્દીઓના રિર્પોટ કોરોના પોઝીટીવ આવ્યા હતા. આ સામે 99 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એક દર્દીનું મૃત્યું થયું હતું. જેથી કુલ મૃત્યુંઆંક 24 થયો હતો. શનિવારે શહેરમાં 343 અને ગ્રામ્યમાં 49 દર્દી એકટીવ હતાં.
રવિવારનું કોરોનાનું ચિત્ર
ગઇકાલે (રવિવારે)પણ જામનગર શહેરમાં કોરોનાના 893 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. આ પૈકી 87 દર્દીઓના રિર્પોટ  કોરોના પોઝીટીવ આવ્યા હતાં. આ સામે રવિવારે શહેરના 84 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. જયારે વધુ એક પણ દર્દીનું કોરોનાથી ગઇકાલે મૃત્યું ન થયાનું જાહેર કરાયું હતું.
જામનગર જિલ્લામાં પણ રવિવારે મોટી સંખ્યામાં શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. 1094 દર્દીના સેમ્પલના ટેસ્ટીંગમાંથી 15 દર્દીઓનો રિર્પોટ કોરોના પોઝીટીવ  આવ્યો હતો. ગઇકાલે ગ્રામ્યના 14 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આશ્ર્ચર્યની વાત એ છે કે શુક્રવાર સુધીમાં ગ્રામ્યમાં કુલ 9 દર્દીના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું હતું. આ પછી શનિવાર  અને રવિવારે કોરોનાથી કોઇ દર્દીનું મોત થયું નહી હોવાનું દર્શાવાયુ છે પરંતુ કુલ મૃત્યુંઆંકમાં 1 વધારી 10 જાહેર કરાયેલ છે.
આમ જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લાની વાત કરીએ તો બે દિવસમાં કોરોનાના નવા કેસ 205 નોંધાયા છે જે સામે 197 દર્દીઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જયારે સત્તાવાર રીતે કોરોનાથી 2 દર્દીઓના મૃત્યું નિપજ્યા હતા. આ બે દિવસમાં કુલ 4006 સેમ્પલ લેવાયા હતા. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.