Skip to main content

જામનગરમાં સતત વધતો જતો કોરોનાનો કહેર : લોકો ભયભીત

સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધીમાં 13 નવા પોઝિટિવ કેસ: જિલ્લામાં વધતો જતો ખતરો: કુલ આંક 178 પર પહોંચ્યો: શહેરના મોટાભાગના કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય લોકલ સંક્રમણ વધ્યું 

જામનગર તા.25
સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે જામનગરમાં પણ હવે લોકલ સંક્રમણ ચાલુ થઇ ગયું છે. જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા દસ દિવસમાં કોરોનાના ઘણા કેસ સામે આવ્યા છે. એમાય છેલ્લા ત્રણ દિવસમાં કોરોના વાયરસે કાળો કેર વર્તાવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી વાયરસનો ચેપ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં શહેરની કોવિડ હોસ્પિટલમાં ૧3 દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે.
જેમાં (1) ૬૫ વર્ષીય સ્ત્રી, પટેલ પાર્ક, સાંઈબાબા મંદિર પાસે (2) ૪૭ વર્ષીય સ્ત્રી શેરી નં. ૭, વસંત વાટિકા, રણજીતનગર રોડ, (3) ૫૨ વર્ષીય સ્ત્રી, રામેશ્વરનગર, નુતન નગર કુટીર ચામુંડા પાન સામે (4) ૪૧ વર્ષીય પુરુષ, નારાયણ નગર ગુલાબ નગર અને (5) ૩૩ વર્ષીય પુરુષ  ગાયત્રીનગર બેડેશ્વર (6) ૨૪ વર્ષીય સ્ત્રી, શ્રીજી કૃપા, ચાંદી બજાર રોડ, કલ્યાણજીનો ચોક (7) ૩૮ વર્ષીય સ્ત્રી શ્રીજી કૃપા, ચાંદી બજાર રોડ, કલ્યાણજીનો ચોક અને (8) ૩૨ વર્ષીય પુરુષ શેરી નં. ૩, જય કલ્યાણ સોસાયટી, કાલાવડ નાકા બહાર, (9) ૩૧ વર્ષીય પુરુષ, સિદ્ધિ વિનાયક પાર્ક નં. ૧, રણજીતસાગર રોડ (10) ૩૧ વર્ષીય સ્ત્રી બાલનાથ સોસાયટી મોરકંડા રોડ, (11) ૧૮ વર્ષીય યુવતી, બાલનાથ સોસાયટી મોરકંડા રોડ, અને (12) ૧૯ વર્ષીય યુવાન, બાલનાથ સોસાયટી મોરકંડા રોડ, જામનગર વિસ્તારના છે. જયારે એક કેસ ધ્રોલની ગજાનંદ સોસાયટીમાં રહેતા  ૫૦ વર્ષીય સ્ત્રીનો સમાવેશ થઇ છે.
અત્યાર સુધીમાં જામનગરમાં કુલ છ દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થયા છે. જયારે અન્ય ૫૫ થી ૬૫ વર્ષની ઉમરના વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...