Skip to main content

જામનગર શહેરમાં 24 કલાકમાં 11 કેસનો વધારો

એક કુટુંબની ત્રણ વ્યક્તિઓ, એક ઘુઘરા વેચતા યુવાનનો રિપોર્ટ પોઝીટીવ: જામનગર શહેર સહિત જિલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને 139 થઇ: 88 પુરૂષ અને 51 મહિલા દર્દી નોંધાયા 

જામનગર તા.23 :
જામનગર શહેરમાં ગઇકાલે બપોરથી રાત સુધીના 24 કલાકના ગાળામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા હતાં. આ કેસને પગલે ગઇકાલ સુધીમાં જામનગર જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસની કુલ સંખ્યા 139 થઇ છે. જયારે જી.જી. કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા 74 એ પહોંચી ગઇ છે.
જામનગર શહેરમાં હવે કોરોનાનું સ્થાનિક સંક્રમણ પણ વધી રહ્યું છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. જામનગર શહેરમાં ગઇકાલે બપોરે 5 અને રાત્રે 1 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા હતાં. આ સાતેયના રિપોર્ટ પોઝીટીવ આવતા તેઓને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બપોરથી રાત્રી  સુધીના 10 કલાકના સમયગાળામાં જ આ સાત કેસ આવ્યા હતાં.
ગઇકાલે બપોરે જે સાત કેસ જામનગર શહેરમાં નોંધાયા હતાં તેમા સાધના કોલોની વિસ્તારમાં રહેતા 47 વર્ષના પુરૂષ, રણજીતનગરમાં ઇ લાઇનમાં રહેતા 31 વર્ષના પુરૂષ તેમજ પંચેશ્ર્વર ટાવર વિસ્તારમાં રહેતા 44 વર્ષના પુરૂષનો રિપોર્ટ પોઝીટીવ જાહેર થયો હતો. આ ઉપરાંત પાણાખાણ વિસ્તારમાં આવેલ લાલ સ્કુલ નજીક રહેતા 53 વર્ષના મહિલા, 27 વર્ષિય મહિલા, 60 વર્ષના પુરૂષનો રિપોર્ટ પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો.
ઉપરોકત કેસને પગલે આ દર્દીઓ જયાં રહેતા હતા તે મકાનોને સેનેટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
વધુમાં જામનગરમાં કાલાવડ નાકા બહાર હનુમાન મંદિરપાસે રહેતા 35 વર્ષના એક યુવાનનો રિપોર્ટ ગઇકાલે પોઝીટીવ જાહેર થયો હતો. આ યુવાન ઘુઘરા વેચવાનો ધંધો કરતો હતો.
જામનગર શહેરમાં ઉપરોકત કેસ બાદ લોકોમાં ફરી કોરોનાનો ડર વધવો શરૂ થયો છે. શહેરની ચારેય દિશાઓમાં ક્ધટેન્ટમેન્ટ ઝોન થઇ રહ્યા છે. ઉપરોકત કેસને પગલે જામનગર જિલ્લાના (શહેર સહિત) લોકોના કેસની કુલ સંખ્યા વધીને 135 ઉપર પહોચી ગઇ છે. જયારે જી.જી.કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા પણ 70 થઇ ગઇ છે.
કોરોનાને કારણે જામનગર જિલ્લામાં કુલ 4 દર્દીઓના મૃત્યું થયા છે. જેમાં ત્રણ બાળકો અને એક વૃધ્ધાનો સમાવેશ થાય છે. જો કે આ ચારેય દર્દી અન્ય બિમારીઓથી પણ પિડાતા હોવાથી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે કોરોનાનો હુમલો સહન કરી ન શકતા મૃત્યુંને ભેટ્યા હતાં.
આ પછી આજે સવારે હોસ્પિટલના સુત્રોએ જાહેર કરેલી વિગત અનુસાર જામનગર શહેરમાં વધુ ત્રણ અને જિલ્લામાં એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે. જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલ બાલનાથ સોસાયટીમાં રહેતાં 55 વર્ષના મહિલા, 37 વર્ષના પુરૂષ અને 35 વર્ષના પુરૂષ દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવતા આ ત્રણેયને જી.જી.કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજણ ગામે રહેતાં 75 વર્ષના એક વૃધ્ધનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા તેમને પણ જી.જી.હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં આજે સવાર સુધીમાં નોંધાયેલા કેલ 139 કેસમાં 88 દર્દી પુરૂષ અને 51 મહિલા દર્દીનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.