Skip to main content

જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ રદ્દ ટ્રેનની ટિકીટના રિફંડ ચુકવવાનું આજથી શરૂ


જામનગર તા.25
કોરોના સંક્રમણને લઈને દેશમાં રેલ્વે સહિતની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. જો કે લોકડાઉનના ચોથા ચરણમાં રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણો હળવા કરી મોટાભાગની સેવાઓ રાબેતા મુજબ કરી છે. કેન્દ્ર સરકાર પણ હવે મોટાભાગની જાહેર સેવાઓ શરુ કરવા જઈ રહી હોવાનાં સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મોટી પરિવહન રેલ્વે સેવાને હરી જંડી આપવા જઈ રહી હોવાના સંકેત મળી રહ્યા છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા આવતી કાલથી સૌરાષ્ટ્રના મોટા ભાગના રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે એમ રાજકોટ શાખાના પીઆરઓ વિવેક તિવારીએ એક પ્રેસબ્રીફમાં જણાવ્યું છે. કોરોના સંક્રમણને કારણે 22 માર્ચથી 30 જુન સુધી રેલ્વે પરિવહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જે મુસાફરોએ  આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે ટીકીટ બુક કરાવી હતી તે પેસેન્જરો પુરા રુપીયા સાથે રીફંડ ચુકવવામાં આવશે. રેલ્વે સ્ટેશન પર ખોટી ભીડ ન થાય તે માટે વિભાગ દ્વારા અગાઉથી જ સપ્તાહ સુધીના મુસાફરોને બોલાવી વિતરણ વ્યવસ્થા ઉભી કરી છે.
જામનગર સહિત હાલારના ઓખા, દ્વારકા ભક્તિનગર, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશન પરથી રીજર્વેશન કાઉન્ટર ખુલ્લા મુકવામાં આવશે, આ સાથે જ અગાઉના જે બુકિંગ થઇ ગયા છે તેના પર રીફંડ સેવા પણ આવતી કાલથી જ શરૂ થઇ રહી છે. જેમાં તા. 22/3/2020 થી 31/3/2020 સુધી જે પેસેન્જરોએ  રીજર્વેશન કરાવ્યું છે તેઓના માટે તા. 25/5/2020થી 31/5/2020 સુધી અને તા. 1/4/2020થી 14/4/2020 સુધીના ગાળામાં મુસાફરી કરવા માંગતા હતા તે મુસાફરોને માટે  1/6/2020 થી 6/6/2020 સુધી રીફંડ ચુક્કવામાં આવશે. જયારે તા. 15/4/2020 થી 30/4/2020 માટે તા.7/6/2020થી 13/6/2020 તેમજ તા. 1/5/2020થી 15/5/2020 માટે તા. 14/6/2020થી 20/6/2020 સુધી અને તા. 16/5/2020થી 30/5/2020 સુધીની મુસાફરી માટે જે પેસેન્જરોએ બુકિંગ કરાવ્યું હતું તેને માટે તા. 21/6/2020 થી 27/6/2020 સુધી રીફંડ મળશે. તેમજ તા. 1/6/2020થી 30/6/2020 સુધી જે પેસેન્જરોએ એડવાંસ બુકિંગ કરાવ્યું છે તેઓના માટે તા. 30/6થી તા. 31/6 સુધી રીફંડ ચુકવવામાં આવશે. જો કોઈ પણ કારણસર કોઈ મુસાફર આ સમય અવધિમાં રીફંડ લેવા ન આવી શકે તો તેઓના માટે આગામી છ મહિના સુધી ( જે તારીખનું બુકિંગ હતું તે તારીખથી છ મહિના સુધી) સમય અવધી નક્કી કરવામાં આવી છે એમ રેલ્વે દ્વારા સતાવાર જાહેર કરવામાં આવ્યું છે.
જે રીતે રેવલે દ્વારા જુન માસ સુધીનું એડવાન્સ બુકિંગ રદ કર્યું છે તે પરથી સંકેત આપ્યો છે કે આગામી જુલાઈ સુધી રેલ્વે પરિવહન સેવા નહી શરુ થાય. પરંતુ સતાવાર રીતે રેલ્વે દ્વારા સંપૂર્ણ સેવા ક્યારે શરુ થશે એવું જાહેર કર્યું નથી.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.