Skip to main content

જામનગરમાં જન્માષ્ટમીનો મેળો રદ થવાની શકયતા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ચાલુ છે: પોઝીટીવ કેસની સંખ્યા અર્ધી સદી નજીક પહોંચી: હજારોની મેદનીવાળા મેળો યોજાય તો સ્થાનિક સંક્રમણ ફાટી નિકળવાની દહેશત: ગુરૂવારે મળનારી બેઠકમાં લોકમેળા મુદ્દે નિર્ણય લેવાવાની શકયતા

જામનગર તા.26:
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવના 49 કેસ નોંધાઇ ચુકયા છે અને હજુ નવા કેસ આવી રહ્યા છે ત્યારે આ વખતનો શ્રાવણી લોક મેળો જામનગર મહાનગરપાલિકા લોકહિતમાં રદ કરે તેવી શકયતા છે.
જામનગર શહેર અને જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોક મેળાનું 5 દિવસ માટે આયોજન થાય છે. મેળાના આયોજન માટે પ્રદર્શન મેદાન જિલ્લા તંત્ર પાસેથી મહાનગરપાલિકા મેળવે છે અને તેમાં પ્લોટીંગ પાડી  ખાન-પાન, રમકડા અને રાઇડ માટે ધંધાર્થીઓને હરરાજીથી ભાડે આપે છે. આ ઉપરાંત નાગમતી નદીના પટમાં પણ મેળાના ધંધાર્થીઓને પ્લોટ ભાડે આપવામાં આવે છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક જામનગર મહાનગરપાલિકા જન્માષ્ટમી-શ્રાવણી લોકમેળાથી મેળવતી હોય છે.
આજે હવે જેઠ મહિનો શરૂ થઇ ગયો છે. સામાન્ય રીતે મેળાની તૈયારીના ભાગરૂપે 20-25 દિવસ અગાઉ તજવીજ શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનો કોપ શ્રાવણી મેળાને ભરખી જાય તેવી પુરી શકયતા છે.
જામનગરમાં યોજાતા જન્માષ્ટમીના તહેવારના 4-5 દિવસના લોકમેળામાં શહેરના લોકો ઉપરાંત આસપાસના ગામડામાંથી પણ હજારો લોકો મેળો માણવા આવતા હોય છે. જો કે મેળાનો અર્થ જ થાય મહેરામણ. જયાં માનવ મહેરામણ ઉમરે એને જ મેળો કહેવાય. પરંતુ કોરોનાના સમયમાં માનવ મહેરામણ મોકાણ માટે નિમિત બને તે સ્વાભાવિક છે. લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે તંત્ર સતત સોશ્યલ ડિસ્ટન્સ (ઓછામાં ઓછુ એક મિટરનું) રાખવાનો અનુરોધ કરે છે. આથી મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું શકય બની શકે તેમ નથી.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો હજુ પણ નવા કેસની સતત શોધમાં છે. ટ્રાવેલ્સ હિસ્ટ્રીની સાથોસાથ હવે સ્થાનિક સંક્રમણના કેસ પણ શરૂ થયા છે. હજુ એક-દોઢ માસમાં કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે તેવી શકયતા બહું નહિવત છે. આ સંજોગોમાં શ્રાવણી લોકમેળો લોકહિતમાં રદ કરવો પડે તેવી શકયતા વધુ છે અને તેમ કરવામાં આવે તો પણ કંઇ ખોટું નથી. કેમ કે માણસની તંદુરસ્તી કે જીંદગી જળવાશે તો મેળો તો આવતા વર્ષે પણ થઇ શકશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.