Skip to main content

જામનગરમાં જન્માષ્ટમીનો મેળો રદ થવાની શકયતા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત ચાલુ છે: પોઝીટીવ કેસની સંખ્યા અર્ધી સદી નજીક પહોંચી: હજારોની મેદનીવાળા મેળો યોજાય તો સ્થાનિક સંક્રમણ ફાટી નિકળવાની દહેશત: ગુરૂવારે મળનારી બેઠકમાં લોકમેળા મુદ્દે નિર્ણય લેવાવાની શકયતા

જામનગર તા.26:
જામનગર શહેર અને જિલ્લામાં કોરોના પોઝીટીવના 49 કેસ નોંધાઇ ચુકયા છે અને હજુ નવા કેસ આવી રહ્યા છે ત્યારે આ વખતનો શ્રાવણી લોક મેળો જામનગર મહાનગરપાલિકા લોકહિતમાં રદ કરે તેવી શકયતા છે.
જામનગર શહેર અને જિલ્લામાં જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી લોક મેળાનું 5 દિવસ માટે આયોજન થાય છે. મેળાના આયોજન માટે પ્રદર્શન મેદાન જિલ્લા તંત્ર પાસેથી મહાનગરપાલિકા મેળવે છે અને તેમાં પ્લોટીંગ પાડી  ખાન-પાન, રમકડા અને રાઇડ માટે ધંધાર્થીઓને હરરાજીથી ભાડે આપે છે. આ ઉપરાંત નાગમતી નદીના પટમાં પણ મેળાના ધંધાર્થીઓને પ્લોટ ભાડે આપવામાં આવે છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક જામનગર મહાનગરપાલિકા જન્માષ્ટમી-શ્રાવણી લોકમેળાથી મેળવતી હોય છે.
આજે હવે જેઠ મહિનો શરૂ થઇ ગયો છે. સામાન્ય રીતે મેળાની તૈયારીના ભાગરૂપે 20-25 દિવસ અગાઉ તજવીજ શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાનો કોપ શ્રાવણી મેળાને ભરખી જાય તેવી પુરી શકયતા છે.
જામનગરમાં યોજાતા જન્માષ્ટમીના તહેવારના 4-5 દિવસના લોકમેળામાં શહેરના લોકો ઉપરાંત આસપાસના ગામડામાંથી પણ હજારો લોકો મેળો માણવા આવતા હોય છે. જો કે મેળાનો અર્થ જ થાય મહેરામણ. જયાં માનવ મહેરામણ ઉમરે એને જ મેળો કહેવાય. પરંતુ કોરોનાના સમયમાં માનવ મહેરામણ મોકાણ માટે નિમિત બને તે સ્વાભાવિક છે. લોકોને કોરોનાના સંક્રમણથી બચવા માટે તંત્ર સતત સોશ્યલ ડિસ્ટન્સ (ઓછામાં ઓછુ એક મિટરનું) રાખવાનો અનુરોધ કરે છે. આથી મેળામાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું શકય બની શકે તેમ નથી.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો વિકરાળ પંજો હજુ પણ નવા કેસની સતત શોધમાં છે. ટ્રાવેલ્સ હિસ્ટ્રીની સાથોસાથ હવે સ્થાનિક સંક્રમણના કેસ પણ શરૂ થયા છે. હજુ એક-દોઢ માસમાં કોરોના સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે તેવી શકયતા બહું નહિવત છે. આ સંજોગોમાં શ્રાવણી લોકમેળો લોકહિતમાં રદ કરવો પડે તેવી શકયતા વધુ છે અને તેમ કરવામાં આવે તો પણ કંઇ ખોટું નથી. કેમ કે માણસની તંદુરસ્તી કે જીંદગી જળવાશે તો મેળો તો આવતા વર્ષે પણ થઇ શકશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.