Skip to main content

ડબલ સવારી વાહન ચાલકો ચેતી જજો, અન્યથા થશે કાર્યવાહી : એસપી



જામનગર તા.9: જામનગરમાં આજ થી લોક ડાઉન સંદભે નવું જાહેરનામું  બહાર પાડી વહીવટી પ્રસાસનને સખ્તાઈ ભર્યા પગલા ભરવા માટે મજબુર થવું પડ્યું છે. એક સપ્તાહ દરમિયાન આપવામાં આવેલ છૂટછાટને લઈને કોવીડ સંક્રમણ વધી જતા તંત્રએ આકરા નિયંત્રણો લાદી દીધા છે. બીજી તરફ તોળાઈ રહેલા ખતરાને લઈને જીલ્લા પોલીસ વડા ફરી એ જ રંગમાં આવી ગયા છે અને શહેર જીલ્લામાં જાહેરમાર્ગ પર પસાર થતા દ્વિચક્રી વાહનોમાં માત્ર એક જ ચાલકને પરિવહન માટે મંજુરી આપી છે. સોશિયલ ડીસટન્સ જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજ થી ડબલ કે ત્રિપલ સવારીએ નીકળેલ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
જામનગરમાં આજ થી લોકડાઉનના ત્રીજા તબ્બકામાં કડક નિયંત્રણ લાદી દેવામાં આવ્યા છે. ગઈ કાલે એક જ દિવસમાં 14 પોજીટીવ કેશ અને એક મૃત્યુ થતા તંત્ર હરકતમાં આવ્યું અને કલેકટર દ્વારા મોડી રાત્રે નીયંત્રણ લાદતા બે જાહેરનામાં પ્રસિદ્ધ કરી જિલ્લાની બોર્ડર સીલ કરી દીધી છે. દરમિયાન આજ સવારથી શહેરમાં વાહનવયવહાર રાબેતા મુબજ અને સોશિયલ અંતરના લીરે લીરા ઉડાડતો જોવા મળતા જીલ્લા પોલીસ વડા શરદ સિંધલએ કડક નિયત્રણ મુક્યા છે ખાસ કરીને મોટરસાયકલ પર પસાર થતા ડબલ સવાર નાગરિકોમાં સામજિક અંતરનો સદંતર અભાવ જોવા મળ્યો હતો જેને લઈને પોલીસ દ્વારા દ્વિ  ચક્રી વાહન પર ડબલ સવારી  પર ફરી પ્રતિબંધ મુક્યો છે. આજ થી ડબલ સવાર પસાર થતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાનો એસપીએ નિર્ણય કર્યો છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...