Skip to main content

જામનગરની જીજી હોસ્પીટલમાંથી આજે વધુ બે કોરોના સંક્રમિત દર્દીને અપાઈ રજા


જામનગર.તા.30                                                                     
જામનગરની જીજી હોસ્પીટલમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓમાં આજે વધુ બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસમાં જામનગરમાં કોરોના વાયરસના કુલ 10  દર્દીને રજા આપવામાં આવી છે. જયારે હવે જીજી હોસ્પીટલના કોવીડ-19 વોર્ડમાં 7 દર્દી સારવાર હેઠળ છે.
જામનગરમાં કોરોના વાયરસના કહેર વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. જામનગરમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 52 દર્દી નોંધાયા છે. જેમાં બે દર્દીના મોત થઇ ચુક્યા છે. જયારે અન્ય દર્દીઓને શહેરની જાણીતી સરકારી જીજી હોસ્પીટલમાં તૈયાર કરવામાં આવેલા કોવિડ-19 વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી  હતી. તેવામાં આજે બે દર્દીની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી.
જામનગરથી છેલ્લા ત્રણ દિવસથી સતત રાહતના સમાચાર આવી રહ્યા છે. બે દિવસ અગાઉ જીજી હોસ્પીટલમાં કોરોના સંક્રમિત એક જ પરિવારના પાંચ સભ્યો  સારવાર હેઠળ હતા. જેમની તબિયતમાં સુધારો થતા તેમને રજા આપવામાં આવી હતી. જયારે ગઈકાલે પણ ત્રણ દર્દીને રજા આપવામાં આવી હતી. ત્યારે કોવીડ-19 વોર્ડમાં સારવાર લઇ રહેલા વધુ બે દર્દીની તબિયતમાં સુધારો થતા આજે તેમને રજા આપવામાં આવી છે.
નોંધનીય છે કે, જામનગરની જીજી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા કોરોના સંક્રમિત દર્દીઓની તબિયતમાં સુધારો થતા છેલ્લા ત્રણ દિવસમાં 10 દર્દીને રજા આપવામાં આવી છે. હાલ હવે માત્ર સાત દર્દી સારવાર હેઠળ છે. જેમને હોસ્પીટલના નિષ્ણાત તબીબો દ્વારા સઘન સારવાર આપવામાં આવી રહી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.