Skip to main content

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કમિશનરશ્રી જામનગરની લોકોને અપીલ


જામનગર તા ૧૬

    ૧૬ મે એટલે કે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”. ડેન્ગ્યુ રોગથી ભારતમાં દર વર્ષે લાખો લોકો અસરગ્રસ્ત થાય છે જામનગર જિલ્લામાં પણ ગત વર્ષે ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો હતો ત્યારે આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કમિશનરશ્રી સતીષ પટેલે ડેન્ગ્યુ તાવને અટકાવવા લોકોને તકેદારીના પગલાં લેવા અપીલ કરી છે.

    ડેન્ગ્યુએ એડીસ ઇજીપ્તી મચ્છરથી ફેલાય છે. જે એક ઘરમાં અંદર કે આજુબાજુમાં રહેલા ચોખ્ખા અને બંધિયાર પાણીના પાત્રોમાં ઉત્પન્ન થાય છે. આ ચેપી માદા એડીસ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થાય છે આ મચ્છર દિવસે કરડે છે તેમજ આ મચ્છરો અંદાજે ૨૦૦ મીટર સુધી ઊડી શકે છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં સ્નાયુ અને સાંધાનો દુખાવો, શરીર પર લાલ ચકામા, આંખોની પાછળ દુખાવો તેમજ સખત તાવ જોવા મળે છે.

    ગત વર્ષે જામનગર પણ ડેન્ગ્યુના અનેક કેસ જોવા મળ્યા હતા ત્યારે ડેન્ગ્યુને અટકાવવા અત્યારથી જ તકેદારીના પગલાં લેવાય તેવા અનુરોધ સાથે કમિશનરશ્રીએ કહ્યું હતું કે, મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પાણી ભરેલા પાત્રને/ટાંકીઓને લોકો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખે. દર અઠવાડિયે કુલરનું પાણી ખાલી કરી, સાફ કરી તડકામાં સુકવી અને ત્યારબાદ પાણી ભરે. ફૂલદાની, છોડના કુંડા, ફ્રીજની ટ્રે તથા પક્ષીકુંજમાંથી અઠવાડિયામાં બે વાર પાણીનો નિકાલ કરી, સાફ કરી, સૂકવી ફરીથી ઉપયોગમાં લે. ઘરનાં ધાબા તથા ફળિયામાં પડેલા તમામ બિનઉપયોગી પાત્રો, વાહનોના ભંગાર, જુના ટાયર, તૂટેલા વાસણ, બિનઉપયોગી કાચની બોટલો, ડબ્બા તથા અન્ય ભંગારની વસ્તુઓ, નાળિયેરની કાચલી વગેરેનો યોગ્ય નિકાલ કરે. મચ્છરના કરડવાથી બચવા લોકો પૂરે-પૂરું શરીર ઢંકાય તેવા લાંબી બાયના કપડાં પહેરે તેમજ મચ્છરથી બચવા માટે અગરબત્તી, રીપેલેન્ટસ તેમજ અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરે. દિવસ દરમિયાન આરામ કરતા સમયે મચ્છરોના કરડવાથી બચવા લોકો મચ્છરદાનીનો ખાસ ઉપયોગ કરે અને દર રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મિનિટનો સમય કાઢી ઘરના તમામ પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી. જો તેમાં મચ્છરના પોરા દેખાય તો પુરાવાનો નાશ કરે, આમ કરવાથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાશે અને જામનગર મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને મેલેરિયાથી બચી શકશે તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.


Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...