Skip to main content

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કમિશનરશ્રી જામનગરની લોકોને અપીલ


જામનગર તા ૧૬

    ૧૬ મે એટલે કે “રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ”. ડેન્ગ્યુ રોગથી ભારતમાં દર વર્ષે લાખો લોકો અસરગ્રસ્ત થાય છે જામનગર જિલ્લામાં પણ ગત વર્ષે ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો હતો ત્યારે આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કમિશનરશ્રી સતીષ પટેલે ડેન્ગ્યુ તાવને અટકાવવા લોકોને તકેદારીના પગલાં લેવા અપીલ કરી છે.

    ડેન્ગ્યુએ એડીસ ઇજીપ્તી મચ્છરથી ફેલાય છે. જે એક ઘરમાં અંદર કે આજુબાજુમાં રહેલા ચોખ્ખા અને બંધિયાર પાણીના પાત્રોમાં ઉત્પન્ન થાય છે. આ ચેપી માદા એડીસ મચ્છરના કરડવાથી ડેન્ગ્યુ થાય છે આ મચ્છર દિવસે કરડે છે તેમજ આ મચ્છરો અંદાજે ૨૦૦ મીટર સુધી ઊડી શકે છે. ડેન્ગ્યુ તાવના લક્ષણોમાં સ્નાયુ અને સાંધાનો દુખાવો, શરીર પર લાલ ચકામા, આંખોની પાછળ દુખાવો તેમજ સખત તાવ જોવા મળે છે.

    ગત વર્ષે જામનગર પણ ડેન્ગ્યુના અનેક કેસ જોવા મળ્યા હતા ત્યારે ડેન્ગ્યુને અટકાવવા અત્યારથી જ તકેદારીના પગલાં લેવાય તેવા અનુરોધ સાથે કમિશનરશ્રીએ કહ્યું હતું કે, મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા પાણી ભરેલા પાત્રને/ટાંકીઓને લોકો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખે. દર અઠવાડિયે કુલરનું પાણી ખાલી કરી, સાફ કરી તડકામાં સુકવી અને ત્યારબાદ પાણી ભરે. ફૂલદાની, છોડના કુંડા, ફ્રીજની ટ્રે તથા પક્ષીકુંજમાંથી અઠવાડિયામાં બે વાર પાણીનો નિકાલ કરી, સાફ કરી, સૂકવી ફરીથી ઉપયોગમાં લે. ઘરનાં ધાબા તથા ફળિયામાં પડેલા તમામ બિનઉપયોગી પાત્રો, વાહનોના ભંગાર, જુના ટાયર, તૂટેલા વાસણ, બિનઉપયોગી કાચની બોટલો, ડબ્બા તથા અન્ય ભંગારની વસ્તુઓ, નાળિયેરની કાચલી વગેરેનો યોગ્ય નિકાલ કરે. મચ્છરના કરડવાથી બચવા લોકો પૂરે-પૂરું શરીર ઢંકાય તેવા લાંબી બાયના કપડાં પહેરે તેમજ મચ્છરથી બચવા માટે અગરબત્તી, રીપેલેન્ટસ તેમજ અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરે. દિવસ દરમિયાન આરામ કરતા સમયે મચ્છરોના કરડવાથી બચવા લોકો મચ્છરદાનીનો ખાસ ઉપયોગ કરે અને દર રવિવારે સવારે ૧૦:૦૦ કલાકે ૧૦:૦૦ મિનિટનો સમય કાઢી ઘરના તમામ પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી. જો તેમાં મચ્છરના પોરા દેખાય તો પુરાવાનો નાશ કરે, આમ કરવાથી મચ્છરની ઉત્પત્તિ અટકાવી શકાશે અને જામનગર મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને મેલેરિયાથી બચી શકશે તેમ કમિશનરશ્રીએ ઉમેર્યું હતું.


Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.