Skip to main content

લાલપુર અને જામજોધપુરમાં પરિસ્થિતિની સમીક્ષા માટે કલેકટરે બેઠક યોજી




જામનગર તા.16
નોવેલ કોરોના વાયરસ કોવિડ-19નો જામનગર જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે અનુસંધાને આજરોજ લાલપુર તથા જામજોધપુર મામલતદાર કચેરી ખાતે અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. 
આ બેઠકમાં જિલ્લા કલેકટર  રવિશંકરએ લાલપુર તથા જામજોધપુર તાલુકામાં બહારના જિલ્લામાં આવીને આ જિલ્લામાં કોરન્ટાઇન રહેલા નાગરિકોને હોમ કોરન્ટાઇનમાં કેવી રીતે રહે છે ? તેની વિસ્તુતમાં જાણકારી મેળવી ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપેલ હતું. 
નાના બાળકો, સગર્ભા બહેનો અને વૃધ્ધોની ખાસ કેર લેવા આરોગ્ય અધિકારીઓને જિલ્લા કલેકટર રવિશંકરએજણાવી વધુમાં ઉમેર્યું કે, લોકો  ઘરેથી ઓફિસે અથવા કામકાજના સ્થળે નિકળતી વખતે જરૂરી ચીજવસ્તુઓની સાથે માસ્ક પણ ન ભૂલે તેવી ખાસ અપીલ કરી હતી. 
આગામી દિવસોમાં સરકારી કચેરીઓ હવે ચાલુ થવાની છે જેથીકયાં પ્રકારની તકેદારી કચેરીઓમાં રાખવી તે અંગે અધિકારીઓને જિલ્લા કલેકટર રવિશંકરએ સુચન કરેલ હતું. જિલ્લા કલેકટર રવિશંકરએ લાલપુર ખાતે આજરોજ બેઠક યોજતા પહેલા લાલપુર સબ રજીસ્ટ્રાર કચેરીની મુલાકાત લીધી હતી. 
આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અફસાના મકવા, લાલપુર મામલતદાર અરવિંદ રાઠોડ, લાલપુર તાલુકા વિકાસ અધિકારી દિયા કોટેચા, લાલપુર તાલુકા હેલ્થ ઓફિસર કુડેચા, જામજોધપુર મામલતદાર  ડી.એચ.કાછળ,  જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી  પી.ડી.સંચાણીયા, જામજોધપુર પોલીસ ઇન્સપેકટર પ્રજાપતી, પોલીસ સબ ઇન્સપેકટર વાળા,  જામજોધપુર તાલુકા હેલ્થ ઓફિસર , પટેલ,જામજોધપુર ચિફ ઓફિસર અશ્વિન વ્યાસ ઉપસ્થિત રહ્યાં હતા.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...