Skip to main content

જાંબુડા પાટીયા નજીક ટેન્કર-કાર વચ્ચેના અકસ્માતમાં ભાઇની નજર સામે ભાઇનું મોત

જામનગરના વિપ્ર બંધુઓ ધ્રોલથી જામનગર આવતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા: મૃતકના લગ્ન ચાર માસ પુર્વે જ થયા હતા

Late Bhavya Dave





જામનગર તા.6 :
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના જાંબુડા પાટીયા પાસે ગઇકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના સુમારે પુરઝડપે દોડતા એક ટેન્કરે કારને ઠોકર મારી નિપજાવેલા ગમખ્વાર અકસ્માતમાં મોટા ભાઇની નજર સામે નાના ભાઇનું મૃત્યું નિપજ્યું છે. આ બનાવની જાણ થતાં વિપ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 
આ બનાવની પ્રાપ્ત વિગત જામનગરમાં રણજીતસાગર રોડ પર મયુર ટાઉનશીપમાં રહેતો ભવ્ય નરેન્દ્રભાઈ દવે (24) અને તેનો  મોટો ભાઇ યસ દવે (26) ગઇકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં પોતાની જીજે 10 ડી.એ. 3959 નંબરની કારમાં બેસી ધ્રોલ તરફથી જામનગર આવતા હતા ત્યારે જાંબુડા તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે કારને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અને અકસ્માતમાં કાર રોડ પરથી નીચે ઉતરી બાવળની ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક ભવ્ય સંજયભાઇ દવે (ઉ.વ.23)ને અને તેના ભાઇ યશ (ઉ.વ.26)ને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ભવ્યનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા મૃતકના મોટાભાઈ યશ દવેને  ઇજા સાથે 108 નંબર ની એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા મૃતકના પરિવાર જી.જી.હોસ્પિટલ પહોંચ્યો હતો. જયાં માતા-પિતાના આંક્રદથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. જાણવા મળતી વિગત અનુસાર મૃતક ભવ્યના ચાર માસ પુર્વે જ દિપક જગદીશભાઇ (કાકા)કનખરા (રવી ગેસ એજન્સી)ની  દિકરી સાથે લગ્ન થયા હતા.લગ્નના ચાર માસ બાદ જ કરુણ ઘટના ઘટી જતાં બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયા છે. પંચકોશી એ ડીવીઝન પોલીસે આ બનાવ અંગે જીજે-10-એકસ-9014 નંબરના ટોરસ ટ્રક ચાલક સામે આઇપીસી કલમ 289, 337, 304(અ) અને એમવી એકટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...