Skip to main content

જાંબુડા પાટીયા નજીક ટેન્કર-કાર વચ્ચેના અકસ્માતમાં ભાઇની નજર સામે ભાઇનું મોત

જામનગરના વિપ્ર બંધુઓ ધ્રોલથી જામનગર આવતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા: મૃતકના લગ્ન ચાર માસ પુર્વે જ થયા હતા

Late Bhavya Dave





જામનગર તા.6 :
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પરના જાંબુડા પાટીયા પાસે ગઇકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના સુમારે પુરઝડપે દોડતા એક ટેન્કરે કારને ઠોકર મારી નિપજાવેલા ગમખ્વાર અકસ્માતમાં મોટા ભાઇની નજર સામે નાના ભાઇનું મૃત્યું નિપજ્યું છે. આ બનાવની જાણ થતાં વિપ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 
આ બનાવની પ્રાપ્ત વિગત જામનગરમાં રણજીતસાગર રોડ પર મયુર ટાઉનશીપમાં રહેતો ભવ્ય નરેન્દ્રભાઈ દવે (24) અને તેનો  મોટો ભાઇ યસ દવે (26) ગઇકાલે સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં પોતાની જીજે 10 ડી.એ. 3959 નંબરની કારમાં બેસી ધ્રોલ તરફથી જામનગર આવતા હતા ત્યારે જાંબુડા તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે કારને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અને અકસ્માતમાં કાર રોડ પરથી નીચે ઉતરી બાવળની ઝાડીઓમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારચાલક ભવ્ય સંજયભાઇ દવે (ઉ.વ.23)ને અને તેના ભાઇ યશ (ઉ.વ.26)ને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં ભવ્યનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયું હતું. જયારે ગંભીર રીતે ઘવાયેલા મૃતકના મોટાભાઈ યશ દવેને  ઇજા સાથે 108 નંબર ની એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા મૃતકના પરિવાર જી.જી.હોસ્પિટલ પહોંચ્યો હતો. જયાં માતા-પિતાના આંક્રદથી વાતાવરણમાં ગમગીની છવાઇ ગઇ હતી. જાણવા મળતી વિગત અનુસાર મૃતક ભવ્યના ચાર માસ પુર્વે જ દિપક જગદીશભાઇ (કાકા)કનખરા (રવી ગેસ એજન્સી)ની  દિકરી સાથે લગ્ન થયા હતા.લગ્નના ચાર માસ બાદ જ કરુણ ઘટના ઘટી જતાં બન્ને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયા છે. પંચકોશી એ ડીવીઝન પોલીસે આ બનાવ અંગે જીજે-10-એકસ-9014 નંબરના ટોરસ ટ્રક ચાલક સામે આઇપીસી કલમ 289, 337, 304(અ) અને એમવી એકટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.