Skip to main content

જામનગરના ઓટો રીક્ષા ચાલકો લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયા


જામનગર તા.26 :
જામનગર શહેરમાં લોકડાઉનને કારણે ઓટો રીક્ષાના માલિકો અને ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એકતા ઓટો રીક્ષા વેલ્ફર સોસાયટીના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ રીક્ષા ચાલકો સામે ખાસ પેકેજ જાહેર કરવા રાજય સરકાર સમક્ષ માંગ કરી છે.
જામનગર શહેરમાં શહેરીજનો માટે પરીવહન કરવા 7 થી 8 હજાર જેટલી રીક્ષાઓ દોડી રહી છે. લોકડાઉનના સમયે આ રીક્ષાઓ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. જેના કારણે આ ઓટો રીક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ જે ઓટો રીક્ષા ચાલકોએ રીક્ષા ભાડા ઉપર ચલાવીને તેનું જીવન નિર્વાણ ચલાવતા હતાં તેઓની રોજગારી જ બબ્બે માસથી બંધ થઇ ગઇ છે. જેને કારણે તેઓ આર્થિક સંક્રામણમાં મોકાયા હોવાની ફરિયાદ ઓટો રીક્ષા ચાલકો કરી રહ્યા છે.
જામનગર શહેરમાં ઓટો રીક્ષાના ચાલકો અને માલિકો દ્વારા એકતા ઓટો રીક્ષા વેલફેર સોસાયટી નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થાના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ ઓટો રીક્ષાના ચાલકો અને તેના માલિકો હાલમાં આ લોકડાઉનને લઇને આર્થિક રીતે ખુબ જ નુકશાની વેઠી રહ્યા છે. એક તરફ જે ઓટો રીક્ષાના માલિકોએ લોન અથવા હપ્તેથી રીક્ષા લીધી હતી તેના હપ્તા કયાંથી ભરવા તેની મુંઝવણમાં મુકાયા છે. સાથે સાથે ઓટો રીક્ષા બંધ હોવાથી તેમની રોજગારી પણ બંધ થઇ ગઇ છે. સાથે સાથે આ રીક્ષા ચાલકો અભણ અને અજ્ઞાન હોવાથી કોઇ તેમનું હાથ પકડતું નથી. રાજય સરકાર દ્વારા જામનગરના ઓટો રીક્ષા ચાલકો માટે આર્થિક પગભર થવા કોઇ ખાસ પેકેજ આપવું જોઇએ. તેવી માંગ એસોસીએશનના પ્રમુખ દ્વારા કરાઇ છે.
લોકડાઉનના સમયે જ ઓટો રીક્ષાના ચાલકો માટે સહાય માટે થઇને અનેક લોકોએ જામનગરની આરટીઓ કચેરીમાં ફોર્મ ભરીને આપેલ હતાં. પરંતુ આ ફોર્મ અંગે પણ કોઇ કાર્યવાહી ન થતાં રીક્ષા ચાલકો માટેની રાહત અંગેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. જામનગરના રીક્ષા ચાલક કહે છે કે, એક રૂપિયાની સહાય પણ અમોને મળેલ નથી. હાલમાં અમે અમારા કુટુંબ પરિવારજનો સાથે ખુબ જ ખરાબ દિવસો જીવનના જીવી રહ્યાં છીએ. હાલના સંજોગોમાં રીક્ષા ચાલુ કરાવવામાં આવી છે. પરંતુ જિલ્લામાંથી જામનગર શહેરમાં લોકોની અવર-જવર ખુબ જ ઓછી હોવાથી ઓટો રીક્ષા ચાલકોને મુસાફરો મળવા મુશ્કેલ બન્યા છે. જેથી ઓટો રીક્ષા ચાલકોને તો છુટછાટ મળ્યા પછી પણ ધંધો-રોજગારીમાં મુશ્કેલીમાં કોઇ રાહત મળી નથી. સામાન્ય રીક્ષાઓ ચાલુ થઇ છે. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સના કારણે મુસાફરો માત્ર બે જ બેસાડતા રીક્ષાના ધંધામાં આવકનું પ્રમાણ ઓછું રહે છે.
જામનગરના ઓટો રીક્ષા ચાલકોને લોકડાઉનના સમયથી બંધ થયેલી રીક્ષાઓ ફરી ક્યારે ચાલુ થશે અને જેનાથી ઓટો રીક્ષા ચાલકોને આર્થિક મુશ્કેલીમાં રાહત મળશે તેની રાહમાં અને રાહત પેકેજની રાહમાં રીક્ષા ચાલક બેઠો છે. સરકાર દ્વારા જામનગરના ઓટો રીક્ષા ચાલકોને દૈનિક ભથ્થુ લોકડાઉનના સમયનું ચુકવવામાં આવે તો થોડી આર્થિક રાહત મળે તેમ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.