Skip to main content

જામનગરના ઓટો રીક્ષા ચાલકો લોકડાઉનના કારણે મુશ્કેલીમાં મુકાયા


જામનગર તા.26 :
જામનગર શહેરમાં લોકડાઉનને કારણે ઓટો રીક્ષાના માલિકો અને ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એકતા ઓટો રીક્ષા વેલ્ફર સોસાયટીના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ રીક્ષા ચાલકો સામે ખાસ પેકેજ જાહેર કરવા રાજય સરકાર સમક્ષ માંગ કરી છે.
જામનગર શહેરમાં શહેરીજનો માટે પરીવહન કરવા 7 થી 8 હજાર જેટલી રીક્ષાઓ દોડી રહી છે. લોકડાઉનના સમયે આ રીક્ષાઓ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવેલ હતો. જેના કારણે આ ઓટો રીક્ષા ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ જે ઓટો રીક્ષા ચાલકોએ રીક્ષા ભાડા ઉપર ચલાવીને તેનું જીવન નિર્વાણ ચલાવતા હતાં તેઓની રોજગારી જ બબ્બે માસથી બંધ થઇ ગઇ છે. જેને કારણે તેઓ આર્થિક સંક્રામણમાં મોકાયા હોવાની ફરિયાદ ઓટો રીક્ષા ચાલકો કરી રહ્યા છે.
જામનગર શહેરમાં ઓટો રીક્ષાના ચાલકો અને માલિકો દ્વારા એકતા ઓટો રીક્ષા વેલફેર સોસાયટી નામની સંસ્થા ચાલે છે. આ સંસ્થાના પ્રમુખ વિક્રમસિંહ ઝાલાએ ઓટો રીક્ષાના ચાલકો અને તેના માલિકો હાલમાં આ લોકડાઉનને લઇને આર્થિક રીતે ખુબ જ નુકશાની વેઠી રહ્યા છે. એક તરફ જે ઓટો રીક્ષાના માલિકોએ લોન અથવા હપ્તેથી રીક્ષા લીધી હતી તેના હપ્તા કયાંથી ભરવા તેની મુંઝવણમાં મુકાયા છે. સાથે સાથે ઓટો રીક્ષા બંધ હોવાથી તેમની રોજગારી પણ બંધ થઇ ગઇ છે. સાથે સાથે આ રીક્ષા ચાલકો અભણ અને અજ્ઞાન હોવાથી કોઇ તેમનું હાથ પકડતું નથી. રાજય સરકાર દ્વારા જામનગરના ઓટો રીક્ષા ચાલકો માટે આર્થિક પગભર થવા કોઇ ખાસ પેકેજ આપવું જોઇએ. તેવી માંગ એસોસીએશનના પ્રમુખ દ્વારા કરાઇ છે.
લોકડાઉનના સમયે જ ઓટો રીક્ષાના ચાલકો માટે સહાય માટે થઇને અનેક લોકોએ જામનગરની આરટીઓ કચેરીમાં ફોર્મ ભરીને આપેલ હતાં. પરંતુ આ ફોર્મ અંગે પણ કોઇ કાર્યવાહી ન થતાં રીક્ષા ચાલકો માટેની રાહત અંગેની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. જામનગરના રીક્ષા ચાલક કહે છે કે, એક રૂપિયાની સહાય પણ અમોને મળેલ નથી. હાલમાં અમે અમારા કુટુંબ પરિવારજનો સાથે ખુબ જ ખરાબ દિવસો જીવનના જીવી રહ્યાં છીએ. હાલના સંજોગોમાં રીક્ષા ચાલુ કરાવવામાં આવી છે. પરંતુ જિલ્લામાંથી જામનગર શહેરમાં લોકોની અવર-જવર ખુબ જ ઓછી હોવાથી ઓટો રીક્ષા ચાલકોને મુસાફરો મળવા મુશ્કેલ બન્યા છે. જેથી ઓટો રીક્ષા ચાલકોને તો છુટછાટ મળ્યા પછી પણ ધંધો-રોજગારીમાં મુશ્કેલીમાં કોઇ રાહત મળી નથી. સામાન્ય રીક્ષાઓ ચાલુ થઇ છે. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સના કારણે મુસાફરો માત્ર બે જ બેસાડતા રીક્ષાના ધંધામાં આવકનું પ્રમાણ ઓછું રહે છે.
જામનગરના ઓટો રીક્ષા ચાલકોને લોકડાઉનના સમયથી બંધ થયેલી રીક્ષાઓ ફરી ક્યારે ચાલુ થશે અને જેનાથી ઓટો રીક્ષા ચાલકોને આર્થિક મુશ્કેલીમાં રાહત મળશે તેની રાહમાં અને રાહત પેકેજની રાહમાં રીક્ષા ચાલક બેઠો છે. સરકાર દ્વારા જામનગરના ઓટો રીક્ષા ચાલકોને દૈનિક ભથ્થુ લોકડાઉનના સમયનું ચુકવવામાં આવે તો થોડી આર્થિક રાહત મળે તેમ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.