Skip to main content

યુપીના મજૂરોને લઇને જામનગરથી રાત્રે સ્પેશ્યલ ટ્રેન રવાના થશે

ઉત્તરપ્રદેશના ગાઝીપુર સ્ટેશન સુધી દોડનારી આ ટ્રેનમાં 1000 થી વધુ શ્રમિકો બેસાડાશે: વહીવટી તંત્ર અને રેલવે તંત્ર દ્વારા વ્યવસ્થાને અપાતો આખરી ઓપ: વધુ મજૂરો માટે 50 જેટલી બસો પણ સ્ટેનડ બાય રખાઇ


જામનગર તા. 6 :
વતન જવા ઇચ્છતા પરપ્રાંતિય શ્રમિકોને લઇને આજે રાત્રે જામનગરથી એક સ્પેશ્યલ ટ્રેન રવાના થનાર હોવાનું જાણવા મળે છે. 
પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે પ્રતિક્ષામાં છે. જામનગરમાંથી ખાનગી બસોમાં 30 મુસાફરો લેખે અત્યાર સુધીમાં 300 જેટલી બસો રવાના થઇ ચુકી છે એટલે 9 હજાર જેટલા મુસાફરો રવાના થઇ ચુકયા છે અને હજુ ત્રણ હજારથી વધુ મજુરોના નામ પેન્ડીંગ છે. તેમજ નોંધણીનું વેઇટીંગ લંબાતું જાય છે. બસોની વ્યવસ્થામાં પહોંચવું થોડું મુશ્કેલ જણાતા જામનગર જિલ્લા કલેકટર તંત્રે આ માટે રેલવે પાસે સ્પેશ્યલ ટ્રેનની માંગણી કરી હતી. જે મંજુર કરવામાં આવી છે. 
આજે રેલવેના સુત્રોએ સાંજ સમાચાર સાથેની ટેલિફોનિક વાતચિતમાં જણાવ્યું હતું કે લગભગ 1000 થી વધુ મુસાફરો (મજુરો) ને લઇને એક સ્પેશ્યલ ટ્રેન આજે રાત્રે રવાના કરવામાં આવશે. આ માટે જામનગર-હાપા રેલવે સ્ટેશન ખાતે સંબંધિત રેલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને સાંજે 4-30 કલાકથી ફરજમાં હાજર થવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર તંત્ર બપોર સુધીમાં મજુરોની સંખ્યાને ધ્યાને લઇ આ ટ્રેનનું ડેસ્ટીનેશન નકકી થશે. જો કે ઉ.પ્ર.ના મુઝફુરપુર કે ગાજીપુર માટે રવાના થાય તેવી શકયતા વધુ છે. 
વધુમાં પ્રાપ્ત વિગત મુજબ 24 કલાકથી વધુની મુસાફરી મુજબ 24 કલાકથી વધુની મુસાફરી હોવાની સરકારની ગાઇડલાઇન મુજબ વતન જઇ રહેલા મજુર પ્રવાસીઓને રેલવે સ્ટેશનથી જ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી ફુડ પેેકેટ અને પાણીની બોટલ આપવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...