Skip to main content

જામનગરના કોરોના વોરીયર્સ સાથે પ્રજા-નેતાઓએ માનવતા નેવે મુકી

જામનગરના પ્રજાહિતમાં વર્ષોથી કામ કરતા ‘સાંજ સમાચાર’ના સિનિયર પત્રકાર જગત રાવલને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા સંવેદના દર્શાવવાના બદલે લોકોએ કાવાદાવા કર્યા, ખોટા મેસેજ વાયરલ કર્યા: ખુદ રાજકીય નેતા પણ માનવતા ચૂકયા: રાજકીય રોટલા શેકવાના પ્રયાસો થયા કોર્પોરેટર પત્નીની અમદાવાદમાં ‘ઈમરજન્સી’ સર્જરી કરાવીને પરત આવ્યા બાદ જગત રાવલ તથા પરિવારે ઘરમાંથી પગ પણ બહાર નથી મુકયો છતાં લોકોના અનુચિત વર્તનથી ‘સામાજીક સમભાવ’ની દ્દષ્ટિએ ચિંતાજનક





જામનગર તા.12
કોરોના વાયરસની લડાઈ સામે દેશગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના લોકો ‘વોરીયર્સ’ તરીકે ઉભર્યા છે છતાં તેઓને પ્રજાકીય સંવેદના મળવાને બદલે સામાજીક દ્રષ્ટીએ અનુચિત વર્તનનો સામનો કરવો પડતો હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ‘સાંજ સમાચાર’ના સિનિયર પત્રકાર અને વર્ષોથી અખબારી આલમ સાથે સંકળાયેલા જગત રાવલને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા તેમની સાથે અનેક લોકોએ સંવેદના દર્શાવવાના બદલે મોઢુ ફેરવી લીધુ છે. એટલું જ નહી અનેકવિધ કાવાદાવા કરીને રાજકીય રોટલા શેકવાના પ્રયત્નો કરવાનું શરૂ કરતા સામાજીક દરારની છાપ ઉભી થઈ છે.
જામનગરના ‘સાંજ સમાચાર’ના પત્રકાર જગત રાવલને ગઈકાલે કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. તેઓના કોર્પોરેટર પત્ની ડિમ્પલબેન રાવલને સ્પાઈનની ઈમરજન્સી સર્જરીની સ્થિતિ સર્જાતા અમદાવાદની સેલ્બી હોસ્પિટલમાં સર્જરી કરાવવા માટે તેઓ અમદાવાદ ગયા હતા ત્યાંથી પરત આવ્યા બાદ હોમ કવોરેન્ટાઈન દરમ્યાન રિપોર્ટ કરાવાતા કોરોના પોઝીટીવ હોવાનું માલુમ પડયું છે. વાસ્તવિકતા એ છે કે અમદાવાદમાં સેલ્બી હોસ્પિટલમાં સર્જરી દરમ્યાન તેઓએ હોસ્પિટલની બહાર પગ મુકયો નથી. અમદાવાદમાં જ તેઓના બહેન સહિતના સગાસંબંધીઓ રહેતા હોવા છતાં કોઈના નિવાસે ગયા ન હતા કે કોઈ સંબંધીઓને હોસ્પિટલ પણ તેડાવ્યા ન હતા. આ જ રીતે પત્નીની સર્જરી કરાવીને પરત આવ્યા બાદ ધ્રોલ ચેકપોસ્ટ નજીક સ્ક્રીનીંગ કરાવ્યું હતું અને ત્યારબાદ આરોગ્યતંત્રની સૂચના મુજબ હોમ કવોરેન્ટાઈન થઈ ગયા હતા. આ દરમ્યાન રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો અને તે પોઝીટીવ આવ્યો હતો. જો કે તેમના પત્ની ડિમ્પલબેનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. રાવલ પરિવાર ઈમરજન્સી સર્જરીને કારણે આરોગ્યની દ્રષ્ટીએ માનસિક પીડા ધરાવતો જ હતો તેવા સમયે જગત રાવલને પોઝીટીવ રિપોર્ટ આવતા લોકોએ સંવેદના દર્શાવવાના બદલે મોઢુ ફેરવી લીધુ છે એટલું જ નહીં તેમના વિરુદ્ધ કાવાદાવા શરુ કર્યા હોય તેમ ખોટા અને મનઘડત મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યા છે. આસપાસમાં રહેતા ન હોવા છતાં કેટલાક લોકોએ તેમના વિરુદ્ધ મેસેજ વાયરલ કર્યા છે. સામાન્ય લોકો તો ઠીક જામનગરના રાજકીય નેતા પણ સંવેદના ચૂકયા હોય તેમ ફોનમાં ‘ગમે તેવો બફાટ’ કર્યો હતો. જેના કારણે પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.
જગત રાવલ સિનિયર પત્રકાર છે અને જામનગરના પ્રજાકીય પ્રશ્ર્નો ઉઠાવીને લોકોની અનેકવિધ સમસ્યાઓ ઉકેલી છે તેવી જ રીતે તેમના પત્ની કોર્પોરેટર છે અને હજારો લોકોના સમાજસેવાના કાર્યો કર્યા છે. આવા સેવાભાવી પરિવાર સાથે લોકોનું વિચિત્ર અને અનુચિત વર્તન જામનગરના લોકોમાં ટીકાપાત્ર બનવા લાગ્યું છે. અમદાવાદથી સર્જરી કરાવીને પરત આવ્યા બાદ જગત રાવલ, તેમના પત્ની, માતા અને બે સંતાનોમાંથી કોઈએ ઘરની બહાર પગ મુકયો ન હોવા છતાં લોકોનું વર્તન ટીકાપાત્ર ગણાવાઈ રહ્યું છે. તેમના પત્નીની સેલ્બી હોસ્પિટલમાં બે વખત સર્જરી કરાવવામાં આવી હતી. છેલ્લી સર્જરી તો ઈમરજન્સીમાં કરાવવામાં આવી હતી એટલે લોકડાઉન વચ્ચે તેઓને ફરજીયાત અમદાવાદ જવુ પડયું હતું.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.