Skip to main content

જામનગરની જી.જી.હોસ્પિટલના વધુ બાર તબીબોને અમદાવાદ ફરજ માટે મોકલાયા


જામનગર તા.20
જામનગરની ગુરુ ગોવિંદસિંધજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ પાંચ તબીબોને કોવીડ-19ની આપત્કાલીન મેડીકલ સેવાના ભાગ રૂપે અમદાવાદ ફરજ સોંપવામાં આવી છે. પ્રથમ ટુકડીના જ અમદાવાદ ગયેલ તબીબો પૈકી ચાર તબીબો કોરોનાગ્રસ્ત બન્યા બાદ તબીબોમાં રોષ ફેલાયો હતો અને રાજ્ય સરકાર દ્વારા હવે પછી ફરજ નહી સોપવામાં નહી આવે તેમ પણ ખાતરી આપવામાં આવી હતી. છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા વધુ બાર તબીબોના ઓર્ડર કાઢી અમદાવાદ રવાના કરવામાં આવતા અન્ય તબીબી આલમમાં ફરી રોષ પ્રબળ બન્યો છે.
રાજ્યમાં કોરોના સંક્રમણમાં અમદાવાદ બફર સ્ટેશન પુરવાર થયું છે. રાજ્યના મોટાભાગના કેશ પૈકી મહતમ દર્દીઓમાં અમદાવાદના દર્દીઓનો સમાવેશ થાય છે. એક્ટીવ કેશનું સતત પ્રમાણ વધતા અમદાવાદની સરકારી હોસ્પિટલ્સમાં તબીબોની ઘટ ઉભી થઇ હતી. જેને પહોચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાંથી તબીબોને અમદાવાદની ફરજ સોપી હતી. જેમાં પ્રથમ વખત જામનગર ખાતેથી કોલેજ ફેકલ્ટીઝ સહીત 24 તબીબોને અમદાવાદ જવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સાપ્તાહિક ફરજ બજાવ્યા બાદ રીપોર્ટ કરવામાં આવતા 24 પૈકી ચાર તબીબો કોરોનાગ્રસ્ત જાહેર થયા હતા. જેને લઈને તબીબોમાં ફફડાટ ફેલાયો હતો. દરમિયાન વધુ તબીબોની એક ટુકડીને અમદાવાદની ફરજ સોંપવામાં આવતા હોસ્પિટલ-કોલેજના બબીબી વર્તુળમાં રોષ ફેલાઈ ગયો હતો. આ રોષ ખાળવા માટે રાજ્ય સરકારે દરમિયાનગીરી કરી હતી. તબીબોમાં રોષ ધીરે ધીરે પ્રબળ બનતા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, જામનગરના જ કેબીનેટ મંત્રી આરસી ફળદુ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ તબીબોને ખાતરી આપી હવે પછી અમદાવાદ નહી મોકલાય,  રાજ્ય સરકારની મૌખિક ખાતરી છતાં પણ રાજ્યના આરોગ્ય સચિવે ઉપરવટ જઈ જીજી હોસ્પીટલના વધુ બાર તબીબોને અમદાવાદની ફરજ સોપતા ઓર્ડર કાઢ્યા હતા. જેને લઈને જીજી હોસ્પીટલના તબીબોમાં ફરી રોષનું મોજું પ્રબળ બન્યું છે. જે તબીબોનો ઓર્ડર કરવામાં આવ્યો છે તે તબીબી ટુકડીને જામનગરથી રવાના પણ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં તબીબો ફરજને લઈને રસ્તા પર આવે તો નવાઈ નહી. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.