Skip to main content

જામનગર જિલ્લાના બે તાલુકાઓ છે કોરોના મુક્ત

જિલ્લમાં કુલ પોજીટીવ આંક 29 પર પહોચ્યો:  બે બાળ દર્દીઓના થયા છે મોત: છેલ્લા દશ દિવસમાં સતત જ દર્દીઓની સંખ્યામાં ઉછાળો


જામનગર તા.12
કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટી પ્રસાસન, આરોગ્ય અને પોલીસ તંત્ર એક થઇ કામગીરી કરી રહ્યું છે. જેના કારણે જ લોકલ સંક્રમણ ખાળી સકાયું છે. પરંતુ ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે જ હાલની પરિસ્થિતિ નિર્માણ પામી છે. હજુ પણ જીલ્લાના બે તાલુકાઓમાં સંક્રમણ ખાળવામાં તંત્ર સફળ રહ્યું છે. હાલની સ્થિતિએ જીલ્લામાં કુલ પોજીટીવ દર્દીઓનો આંક 29 પર પહોચ્યો છે.
કોવીડ-19ના આક્રમણને લઈને વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ચાઈના, સ્પેન, બ્રિટન અને અમેરિકામાં હાહાકાર મચાવનાર આ વૈશ્વિક મહામારીએ હાલ આપણા દેશમાં પણ એટલી જ ખુવારી વેરવા તરફ સંક્રમિત થઇ રહી છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી વખત દેશમાં લોકડાઉનની અમલવારી હાથ ધરવામાં આવી છે. સતત લોકડાઉનના કારણે જ દેશમાં કોવિદ 19 દર્દીઓની સંખ્યા અન્ય દેશોની સાપેક્ષમાં ખુબ જ ઓછી નોંધાઈ છે. છતાં પણ મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે છે. આપણા રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી રીકવરીનો આકડો વધતા સરકારને થોડી રાહત થઇ છે. બીજી તરફ અમદાવાદનું સંક્રમણ સમગ્ર રાજ્યમાં ફેલાઈ જતા છેલ્લા સપ્તાહમાં પોજીટીવ દર્દીઓની સંખ્યામાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. જામનગરની વાત કરવામાં આવે તો પ્રથમ કેશ દરેડ ગામે પરપ્રાંતીય વસાહતમાં પાંચમી એપ્રિલના રોજ નોંધાયો હતો અને સાતમી એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ વહીવટી, આરોગ્ય અને પોલીસ તેમજ અન્ય શાખાઓ દ્વારા સેનીટાઈઝેશન અને અન્ય જરૂરી કાર્યવાહીના પગલે સંક્રમણ થતું અટક્યું હતું. જે છેક એક મહિના સુધી સારું ચિત્ર રહ્યા બાદ અન્ય જિલ્લાઓની ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને સંક્રમણ શરુ થયું હતું. આ સંક્રમણના કારણે છેલ્લા એક જ સપ્તાહમાં દરરોજ પોજીટીવ દર્દ્રીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. જેમાં ચોથી તારીખના રોજ અમદાવાદથી જામનગર આવી રહેલ ત્રણ મહિલાઓ પોજીટીવ આવ્યા બાદ જે સિલસિલો શરુ થયો છે તે હજુ યથાવત છે. જેમાં પાંચમી મે ના રોજ મુબઈથી આવેલ એક વિદેશી નાગરિક, ત્યારબાદ 6 મેનાં રોજ ચેલા એસઆરપી કેમ્પના જવાન, સાતમી મેના રોજ ધાંચીવાડ અને મસીતીયા ગામની બે મહિલાઓ, ત્યારબાદ આઠમી મે ના રોજ જામજોધપુરના ચાર અને જામનગરની ત્રણ મહિલાઓ સહિત 14 વ્યક્તિઓ પોજીટીવ આવી હતી. ત્યારબાદ નવમીના રોજ જામનગરના બે અને એક ધ્રોલ સહિત ત્રણ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં ધ્રોલના બાળ દર્દી પોજીટીવ જાહેર થયા તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોજીટીવ દર્દીઓનો સિલસિલો ત્યારબાદ પણ ચાલુ જ રહ્યો હતો અને ગઈ કાલે વધુ બે દર્દીઓ પોજીટીવ આવતા અંતે એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યા 28 થઇ છે. આજે પણ જામનગરમાંથી સંખ્યાબંધ દર્દીઓના નમૂનાઓ જીજી હોસ્પિટલમાં પ્રુથકારણ હાથ ધરાયું છે. હાલ જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 26 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દીઓ દેવભૂમિ દ્વારકા જિલાના હોવાનું સામે આવ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...