Skip to main content

જામનગર જિલ્લાના બે તાલુકાઓ છે કોરોના મુક્ત

જિલ્લમાં કુલ પોજીટીવ આંક 29 પર પહોચ્યો:  બે બાળ દર્દીઓના થયા છે મોત: છેલ્લા દશ દિવસમાં સતત જ દર્દીઓની સંખ્યામાં ઉછાળો


જામનગર તા.12
કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટી પ્રસાસન, આરોગ્ય અને પોલીસ તંત્ર એક થઇ કામગીરી કરી રહ્યું છે. જેના કારણે જ લોકલ સંક્રમણ ખાળી સકાયું છે. પરંતુ ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે જ હાલની પરિસ્થિતિ નિર્માણ પામી છે. હજુ પણ જીલ્લાના બે તાલુકાઓમાં સંક્રમણ ખાળવામાં તંત્ર સફળ રહ્યું છે. હાલની સ્થિતિએ જીલ્લામાં કુલ પોજીટીવ દર્દીઓનો આંક 29 પર પહોચ્યો છે.
કોવીડ-19ના આક્રમણને લઈને વિશ્વના મોટાભાગના દેશોમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ચાઈના, સ્પેન, બ્રિટન અને અમેરિકામાં હાહાકાર મચાવનાર આ વૈશ્વિક મહામારીએ હાલ આપણા દેશમાં પણ એટલી જ ખુવારી વેરવા તરફ સંક્રમિત થઇ રહી છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ત્રીજી વખત દેશમાં લોકડાઉનની અમલવારી હાથ ધરવામાં આવી છે. સતત લોકડાઉનના કારણે જ દેશમાં કોવિદ 19 દર્દીઓની સંખ્યા અન્ય દેશોની સાપેક્ષમાં ખુબ જ ઓછી નોંધાઈ છે. છતાં પણ મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા નંબરે છે. આપણા રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી રીકવરીનો આકડો વધતા સરકારને થોડી રાહત થઇ છે. બીજી તરફ અમદાવાદનું સંક્રમણ સમગ્ર રાજ્યમાં ફેલાઈ જતા છેલ્લા સપ્તાહમાં પોજીટીવ દર્દીઓની સંખ્યામાં ખાસ્સો ઉછાળો આવ્યો છે. જામનગરની વાત કરવામાં આવે તો પ્રથમ કેશ દરેડ ગામે પરપ્રાંતીય વસાહતમાં પાંચમી એપ્રિલના રોજ નોંધાયો હતો અને સાતમી એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ વહીવટી, આરોગ્ય અને પોલીસ તેમજ અન્ય શાખાઓ દ્વારા સેનીટાઈઝેશન અને અન્ય જરૂરી કાર્યવાહીના પગલે સંક્રમણ થતું અટક્યું હતું. જે છેક એક મહિના સુધી સારું ચિત્ર રહ્યા બાદ અન્ય જિલ્લાઓની ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને સંક્રમણ શરુ થયું હતું. આ સંક્રમણના કારણે છેલ્લા એક જ સપ્તાહમાં દરરોજ પોજીટીવ દર્દ્રીઓની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. જેમાં ચોથી તારીખના રોજ અમદાવાદથી જામનગર આવી રહેલ ત્રણ મહિલાઓ પોજીટીવ આવ્યા બાદ જે સિલસિલો શરુ થયો છે તે હજુ યથાવત છે. જેમાં પાંચમી મે ના રોજ મુબઈથી આવેલ એક વિદેશી નાગરિક, ત્યારબાદ 6 મેનાં રોજ ચેલા એસઆરપી કેમ્પના જવાન, સાતમી મેના રોજ ધાંચીવાડ અને મસીતીયા ગામની બે મહિલાઓ, ત્યારબાદ આઠમી મે ના રોજ જામજોધપુરના ચાર અને જામનગરની ત્રણ મહિલાઓ સહિત 14 વ્યક્તિઓ પોજીટીવ આવી હતી. ત્યારબાદ નવમીના રોજ જામનગરના બે અને એક ધ્રોલ સહિત ત્રણ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં ધ્રોલના બાળ દર્દી પોજીટીવ જાહેર થયા તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોજીટીવ દર્દીઓનો સિલસિલો ત્યારબાદ પણ ચાલુ જ રહ્યો હતો અને ગઈ કાલે વધુ બે દર્દીઓ પોજીટીવ આવતા અંતે એક જ સપ્તાહમાં દર્દીઓની સંખ્યા 28 થઇ છે. આજે પણ જામનગરમાંથી સંખ્યાબંધ દર્દીઓના નમૂનાઓ જીજી હોસ્પિટલમાં પ્રુથકારણ હાથ ધરાયું છે. હાલ જીજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં 26 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં એક દર્દીઓ દેવભૂમિ દ્વારકા જિલાના હોવાનું સામે આવ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.