Skip to main content

જામનગરમાં કોરોનાના ત્રણ નવા પોઝીટીવ કેસ આવતા ખળભળાટ

અમદાવાદથી ગઇકાલે આવેલા કેટલાંક લોકોને ઠેબા પાસેના કોરેન્ટાઇન સેન્ટર સમરસ હોસ્ટેલમાં ખસેડાયા હતાં: જામનગર શહેરના વાણિયાવાડ નજીક રહેતી ત્રણ મુસ્લિમ મહિલાઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યાના અહેવાલ: કલેક્ટરે બપોરે અહેવાલોને સમર્થન આપ્યું


જામનગર તા.4: 
જામનગરમાં 29 દિવસ બાદ આજે કોરોનાના વધુ ત્રણ કેસ પોઝીટીવ સામે આવતા સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. દરેડના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ નોંધાયા બાદ જામનગર શહેર ઓરેન્જ ઝોનમાં આવી ગયું હતું. આ પછી સરકારની ગાઇડલાઇન મુજબ 21 દિવસ નવો કેસ ન આવતા જામનગર જિલ્લો કોરોના મુકત થયો હતો. ગઇકાલે જામનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં લવાયા બાદ જામનગરને આ ગ્રીન જાણે માફક ન આવ્યો હોય તેમ આજે વધુ ત્રણ દર્દીના રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર ઉપરાંત સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પણ દોડતુ થયું છે. સંબંધિત વિસ્તારમાં આરોગ્યની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી છે.
જામનગરના દરેડ ગામે નબી ખોલી વસાહતમાં રહેતા શ્રમિક પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ હોવાનું તા.5 એપ્રિલના રોજ નોંધાયું હતું. આ પછી સમગ્ર દરેડ વિસ્તારને કવોરેન્ટાઇન કરવામાં આવ્યું હતું. આ પછી આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રએ લીધેલા તકેદારીના પગલાને કારણે નવો કેસ નોંધાયો ન હતો. પરિણામે 21 દિવસ બાદ જામનગર જિલ્લાને કોરોના મુકત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે એક મૃત્યું થયું હોવાથી જામનગર જિલ્લાનો સમાવેશ ઓરેંન્જ ઝોનમાં કરાયો હતો. આ પછી મીડિયામાં આ મુદ્ો ચમકીયા બાદ સ્થાનિક નેતાઓ સફાળા જાગ્યા હતા અને રાજય અને કેન્દ્ર સરકારમાં જામનગર જિલ્લાના ગ્રીન  ઝોનમાં મુકવા રજૂઆતો કરી હતી. 
ગઇ રાત્રે જામનગર જિલ્લા કલેકટર રવિશંકરે બહાર પાડેલા જાહેરનામામા જામનગર જિલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ થયાની જાહેરાત સાથે વધુ કેટલીક છુટછાટો આપી હતી. જેનો અમલ આજે સવારથી શહેર અને જિલ્લામાં શરૂ થયો છે. પરંતુ જામનગર શહેર અને જિલ્લાની જનતાની કમનશીબી છે કે આ ગ્રીન ઝોનના સત્તાવાર પ્રથમ દિવસે પોઝીટીવ કેસનું ગ્રહણ લાગ્યું છે. આજે શહેરની જ ત્રણ વ્યકિતને કોરોના પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. 
આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરની જી.જી.હોસ્પિટલની લેબોરેટરીમાં આવેલા સેમ્પલ પૈકી 3 મુસ્લીમ મહિલાઓના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ જણાયા છે. આ દર્દીમાં જામનગર શહેરના વાણિયાવાડ વિસ્તાર નજીક રહેતી શબાના ઇરશાદ (ઉ.વ.40), મેઝબીન અહેજાઝ (ઉ.વ.23), રૂબિના સુમરા (ઉ.વ.27) નામની ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. 
મળતી વિગત અનુસાર આ ત્રણેય મહિલાઓ અમદાવાદ લગ્ન પ્રસંગે ગઇ હતી અને લોકડાઉન જાહેર થવાને કારણે અમદાવાદમાં ફસાઇ ગઇ હતી. ગઇકાલે જ આ ત્રણેય મહિલાઓ સહિત કેટલાક લોકો અમદાવાદથી જામનગર જિલ્લામાં પ્રવેશ્યા હતા. પરંતુ ચેકપોસ્ટ ઉપર જ તેઓને અટકાવી નિયમ અનુસાર આ લોકોને ઠેબા પાસે આવેલી સમરસ હોસ્ટેલ કે જેને જિલ્લાનું મુખ્ય કવોરેન્ટાઇન સેન્ટર બનાવવામાં આવ્યું છે ત્યાં લઇ જવાયા હતા. સમરસ હોસ્ટેલ ખાતેથી જ મેડીકલ ટીમ દ્વારા શંકાસ્પદ કેટલાક લોકોના અને ખાસ કરીને અમદાવાદ કે અન્ય જિલ્લામાંથી આવેલા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પૃથ્થકરણ માટે જી.જી.હોસ્પિટલની લેબોરેટરીમાં લઇ જવાયા હતા. 
જી.જી.હોસ્પિટલની લેબમાં પરીક્ષણ કરાયેલા સેમ્પલો પૈકી ઉપરોકત ત્રણ મહિલાઓના સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ જણાતા હોસ્પિટલ અને સમગ્ર વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. ઉચ્ચ અધિકારીઓ બંધ બારણે મીટીંગ કરી રહ્યા છે. જો કે સોશ્યલ મીડીયામાં પણ કોરોનાના કેસ નંબર (4167, 4214, 4215) સાથે ઉપરોકત મહિલાઓના નામ પોઝીટીવ દર્દી તરીકે વાયરલ થઇ રહ્યા છે.
આ અંગે બપોરે 1:40 કલાકે જિલ્લા કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, અમદાવાદથી ગઇકાલે આઠ વ્યક્તિ જામનગર જિલ્લામાં પ્રવેશી હતી જેમાં પાંચ મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ લોકોને ધ્રોલ નજીકની ચેકપોસ્ટ ખાતેથી જ નિયમોનુસાર સમરસ હોસ્ટેલ ખાતે લઇ જવામાં આવ્યા હતાં અને ત્યાંથી તમામના સેમ્પલ લઇ જી.જી.હોસ્પિટલમાં મોકલાયા હતાં. આજે સવારે આ સેમ્પલના પૃથ્થકરણ બાદ ત્રણ મુસ્લિમ મહિલાઓને કોરોના પોઝીટીવ હોવાનું જાહેર થયું હતું. જો કે આ લોકોને જામનગર શહેરમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હોવાથી જામનગર સુરક્ષિત છે. આ ત્રણેય દર્દીઓની કોરોનાની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...