Skip to main content

મામાના દિકરા સાથે નકકી થતું સંબંધ પસંદ ન હોવાથી યુવતિએ આપઘાત કર્યો


જામનગર તા.6:
જામનગર જિલ્લામાં આપઘાતના બે બનાવો નોંધાયા છે જેમાં જામનગર નજીકના ધોરીવાવ ગામે મામાના દિકરા સાથે પરિવારજનો સગપણ નકકી કરતા હોવાથી યુવતિને આ સગપણ પસંદ ન પડતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. જયારે કાલાવડના છતર ગામે પિતાના ઠપકાથી લાગી આવતા પુત્રએ આપઘાત કર્યો છે.
જામનગર નજીકના દડીયા રોડ પર આવેલ ધોરીવાવ ગામે ગઇકાલે નાથીબેન ઉર્ફે નયના અમરાભાઇ દેશુરભાઇ ખરા (ઉ.વ.20) નામની યુવતિએ પોતાના રહેણાંક મકાને પંખાની હુંકમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતોે. આ બનાવ અંગે યુવતિના પિતા નાથાભાઇએ જાણ કરતા પંચકોશી બી ડીવીઝન પોલીસે સ્થળ પર પહોંચી મૃત્કનો કબ્જો સંભાળી મૃતદેહને પીએમ માટે જી.જી.હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકનું સગપણ તેના મામાના દિકરા સાથે કરવાની વાત ચાલતી હોય અને તેને લઇ મૃતકને આ સગપણ કરવું ન હોય તેથી પોતે દુ:ખી હોય, ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું તેના પિતાએ પોલીસમાં જાહેર કર્યું હતું.
આપઘાતનો અન્ય એક બનાવ છતર ગામે નોંધાયો હતો. જેમાં સોહિલભાઇ સાજીદભાઇ મુદ્રાખ (ઉ.વ.20) નામના યુવાને પણ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લઇ જીવતરનો અંત આળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ જાણ કરતા કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.મૃતક નાળીયેરમાંથી પાણી કાઢતો હતો ત્યારે મોટા ભાઇએ કહેલ કે તારાથી પાણી નહી નીકળે જેથી નાળીયેરનું પાણી મોટાભાઇ ઉપર નાખતા મૃતકને તેના પિતાએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાથી લાગી આવતા સોહિલે આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.