Skip to main content

રિલાયન્સે ચીનથી ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પીપીઈ કિટ તૈયાર કરી

દરરોજ 1 લાખ પીપીઈ કિટ તૈયાર થઈ રહી છે: 10,000 લોકોને રોજગારી આપે છે: અનેકગણી સસ્તી કોરોના ટેસ્ટિંગ કિટ વિકસિત કરી: ટેસ્ટિંગ સ્વેબ ચીનથી 10 ગણી સસ્તી પડે છે

જામનગર તા.29
કોરોનાવાયરસ સમયગાળા દરમિયાન વિવિધ મોરચા પર સેવારત મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હવે ત્રણથી ચાર ગણી સસ્તી અને અજોડ ગુણવત્તાયુક્ત પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ  કિટ બનાવવાનું શરૂ કર્યું છે. આ કિટ આંતરરાષ્ટ્રીય માપદંડોને અનુરૂપ અને શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત છે. કંપનીના સિલ્વાસા પ્લાન્ટમાં દરરોજ 1 લાખ પીપીઈ કિટ બનાવવામાં આવે છે. એક તરફ, ચીનથી આયાત થતી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ  કિટની કિંમત કિટદીઠ રૂ. 2000 થાય છે. તો બીજી તરફ, રિલાયન્સની કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝ રૂ. 650માં પીપીઆઈ કિટ બનાવે છે. પીપીઈ કિટ ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓ ઉપરાંત પોલીસ અને સફાઈ કામદારો જેવા ફ્રન્ટલાઇન વોરિયર્સને કોરોનાવાયરસના ઇન્ફેક્શનથી બચાવે છે.
દરરોજ એક લાખથી વધારે પીપીઈ કિટ બનાવવા માટે રિલાયન્સે પોતાના વિવિધ ઉત્પાદન કેન્દ્રોને આ કામમાં લગાવ્યાં છે. જામનગરમાં સ્થિત દેશની સૌથી મોટી રિફાઇનરીએ એવા પેટ્રોકેમિકલ્સનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું છે, જેમાંથી પીપીઈનું કાપડ બને છે. આ જ કપડાનો ઉપયોગ કરીને આલોક ઇન્ડસ્ટ્રીઝમાં પીપીઈ બનાવવામાં આવે છે. આલોક ઇન્ડસ્ટ્રીઝનું તાજેતરમાં રિલાયન્સે એક્વિઝિશન કર્યું હતું. આલોક ઇન્ડસ્ટ્રીઝની તમામ સુવિધાઓ પીપીઈ કિટ બનાવવામાં લગાવવામાં આવી છે. અત્યારે 10,000થી વધારે લોકો આલોક ઇન્ડસ્ટ્રીઝમાં પીપીઈ બનાવવાના કામમાં લાગેલા છે.
પીપીઈ જ નહીં ‘કોરોના ટેસ્ટિંગ કિટ’ના ક્ષેત્રમાં પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સ્વદેશી ટેકનિક વિકસિત કરી છે. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદની સાથે મળીને રિલાયન્સે સંપૂર્ણપણે સ્વદેશી આરટી-એલએએમપી  આધારિત કોવિડ-19 ટેસ્ટ કિટ બનાવી છે. આ ટેસ્ટિંગ કિટ ચીનની કિટથી ઘણી સસ્તી છે. 45થી 60 મિનિટની અંદર ટેસ્ટિંગના સટિક પરિણામો મળી જાય છે.
આરટી-એલએએમપી ટેસ્ટિંગ કિટમાં એક ટ્યુબનો ઉપયોગ થાય છે. એટલે એને એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ જેવી જાહેર જગ્યાઓ પર ઉપયોગમાં લાવી શકાય છે. આ ટેસ્ટ કિટમાં મૂળભૂત લેબ અને સાધારણ કાર્યદક્ષતાની જરૂર હોય છે, જેથી એનો ઉપયોગ ટેસ્ટિંગ મોબાઇલ વેન/કિયોસ્ક જેવા જગ્યાઓ પર થઈ શકે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અગાઉ નમૂના લેવામાં ઉપયોગ થતી ટેસ્ટિંગ સ્વેબના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. અગાઉ આ ટેસ્ટિંગ સ્વેબની આયાત પણ ચીનથી થતી હતી, જેની કિંમત ભારતમાં સ્વેબદીઠ રૂ. 17 બેસતી હતી. રિલાયન્સ અને જહોન્સન એન્ડ જહોન્સનના સહયોગથી વિકસિત નવી દેશી સ્વેબની કિંમત ચીનની સ્વેબથી 10 ગણી ઓછી એટલે કે રૂ. 1.70 બેસે છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.