Skip to main content

જામનગરમાં આવતીકાલથી લોકડાઉન ત્રણના નિયમો મુજબ ગ્રેઈન માર્કેટ ખુલશે

રીટેઇલર અને છૂટક ગ્રાહકો ઉમટી પડતા જીલ્લા પોલીસ વડાએ અગાઉની પાસ સીસ્ટમ અમલમાં મૂકી: આવતી કાલથી જૂની સીસ્ટમ મુજબ વ્યાપાર

જામનગર તા.20
જામનગરમાં લોકડાઉન ચારના શરૂઆતી તબક્કામાં ગ્રેઇન માર્કેટમાં સતત બીજા દિવસે ગ્રાહકોની લાઈનો લાગી જતા આંતરિક વ્યવસ્થાના છોતરા ઉડી ગયા હતા. સામજિક અંતરના લીરેલીરા ઉડતા પોલીસે આવતીકાલથી લોકડાઉન ત્રણ મુબજની ખરીદ પ્રકિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.
કોરોના સંક્રમિત થતો અટકાવવા સરકાર દ્વારા જામનગર સહિત દેશભરમાં ત્રણ-ત્રણ લોકડાઉનના તબક્કાઓની અમલવારી કરી હતી. લાંબો સમયગાળો લોકડાઉન ચાલતા સરકાર દ્વારા થોડી છૂટછાટ સાથે રાજ્યમાં ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન નક્કી કરે હળવા નિયંત્રણો સામે ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. ચોથા તબક્કામાં મોટા ભાગના વ્યવસાય ખોલી દેવામાં આવ્યા છે. જામનગરમાં આ જ સીસ્ટમ અમલમાં મુકાઈ છે. બજાર ખુલી જતા પ્રથમ દિવસે જ શહેરની હાર્દ સમી ગ્રેઇન માર્કેટમાં ગ્રાહકોનો તોતિંગ ઘસારો થતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. પાન-મસાલાની હોલસેલ પેઢીઓ બહાર છૂટક ધંધાર્થીઓ સાથે ગ્રાહકોએ ખરીદી માટે લાઈનો  લગાવી દેતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર ચાલી ગઈ હતી. લાંબી લાઈનોમાં સામાજિક અંતરના નિયમના ધજાગરા ઉડી જતા ગઈ કાલે વેપારીઓએ જ વેપાર અટકાવી દીધો હતો. આજે બીજા દિવસે પણ સવારે છ વાગ્યા થી ગ્રાહકોની લાઈનો લાગી જતા ફરી એ જ માહોલ સર્જાયો હતો. જેને લઈને જીલ્લા પોલીસવડા શરદ સિંઘલે ફરી એક વખત સીસ્ટમ સુધારવા માટે પ્રયાસ કરી લોક ડાઉન ત્રણમાં અપનાવવામાં આવેલને આવતી કાલથી ફરી લાગુ કરવા જણાવ્યું છે, જે મુજબ ગ્રેન માર્કેટમાં ફરી પાસ સીસ્ટમ અમલમાં મુકાશે, ત્રીજા  લોકડાઉનમાં જે વેપારીઓને પાસ કાઢી આપવામાં આવ્યા હતા તે પાસ આધારિત જ સીસ્ટમ ચાલુ રહેશે. નવા ઉમેરાયેલ પાન મસાલાનો વ્યાપાર જે તે જથ્થાબંધ વેપારી માત્ર ઓર્ડર લઇ જે તે છૂટક વેપારીને પહોચતો કરશે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવું પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું છે. બીજી તરફ મોટરસાયકલમાં ડબલ સવારીની ભરમાર થઇ જતા તેઓએ ઉમેર્યું છે કે આજ પ્રમાણે નાગરિકોનો પ્રવાહ ચાલુ રહેશે તો આવતીકાલથી દ્વિચકરી વાહન ચાલકોના ડબલ સવારી વાહનો ડીટેઈન કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...