Skip to main content

જામનગરમાં આવતીકાલથી લોકડાઉન ત્રણના નિયમો મુજબ ગ્રેઈન માર્કેટ ખુલશે

રીટેઇલર અને છૂટક ગ્રાહકો ઉમટી પડતા જીલ્લા પોલીસ વડાએ અગાઉની પાસ સીસ્ટમ અમલમાં મૂકી: આવતી કાલથી જૂની સીસ્ટમ મુજબ વ્યાપાર

જામનગર તા.20
જામનગરમાં લોકડાઉન ચારના શરૂઆતી તબક્કામાં ગ્રેઇન માર્કેટમાં સતત બીજા દિવસે ગ્રાહકોની લાઈનો લાગી જતા આંતરિક વ્યવસ્થાના છોતરા ઉડી ગયા હતા. સામજિક અંતરના લીરેલીરા ઉડતા પોલીસે આવતીકાલથી લોકડાઉન ત્રણ મુબજની ખરીદ પ્રકિયા અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે.
કોરોના સંક્રમિત થતો અટકાવવા સરકાર દ્વારા જામનગર સહિત દેશભરમાં ત્રણ-ત્રણ લોકડાઉનના તબક્કાઓની અમલવારી કરી હતી. લાંબો સમયગાળો લોકડાઉન ચાલતા સરકાર દ્વારા થોડી છૂટછાટ સાથે રાજ્યમાં ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે. જામનગરમાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડ લાઈન નક્કી કરે હળવા નિયંત્રણો સામે ચોથા ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. ચોથા તબક્કામાં મોટા ભાગના વ્યવસાય ખોલી દેવામાં આવ્યા છે. જામનગરમાં આ જ સીસ્ટમ અમલમાં મુકાઈ છે. બજાર ખુલી જતા પ્રથમ દિવસે જ શહેરની હાર્દ સમી ગ્રેઇન માર્કેટમાં ગ્રાહકોનો તોતિંગ ઘસારો થતા અફડાતફડી ભર્યો માહોલ સર્જાયો હતો. પાન-મસાલાની હોલસેલ પેઢીઓ બહાર છૂટક ધંધાર્થીઓ સાથે ગ્રાહકોએ ખરીદી માટે લાઈનો  લગાવી દેતા પરિસ્થિતિ નિયંત્રણ બહાર ચાલી ગઈ હતી. લાંબી લાઈનોમાં સામાજિક અંતરના નિયમના ધજાગરા ઉડી જતા ગઈ કાલે વેપારીઓએ જ વેપાર અટકાવી દીધો હતો. આજે બીજા દિવસે પણ સવારે છ વાગ્યા થી ગ્રાહકોની લાઈનો લાગી જતા ફરી એ જ માહોલ સર્જાયો હતો. જેને લઈને જીલ્લા પોલીસવડા શરદ સિંઘલે ફરી એક વખત સીસ્ટમ સુધારવા માટે પ્રયાસ કરી લોક ડાઉન ત્રણમાં અપનાવવામાં આવેલને આવતી કાલથી ફરી લાગુ કરવા જણાવ્યું છે, જે મુજબ ગ્રેન માર્કેટમાં ફરી પાસ સીસ્ટમ અમલમાં મુકાશે, ત્રીજા  લોકડાઉનમાં જે વેપારીઓને પાસ કાઢી આપવામાં આવ્યા હતા તે પાસ આધારિત જ સીસ્ટમ ચાલુ રહેશે. નવા ઉમેરાયેલ પાન મસાલાનો વ્યાપાર જે તે જથ્થાબંધ વેપારી માત્ર ઓર્ડર લઇ જે તે છૂટક વેપારીને પહોચતો કરશે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવું પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું છે. બીજી તરફ મોટરસાયકલમાં ડબલ સવારીની ભરમાર થઇ જતા તેઓએ ઉમેર્યું છે કે આજ પ્રમાણે નાગરિકોનો પ્રવાહ ચાલુ રહેશે તો આવતીકાલથી દ્વિચકરી વાહન ચાલકોના ડબલ સવારી વાહનો ડીટેઈન કરવામાં આવશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.