Skip to main content

હવેથી ‘હોમ ક્વોરેન્ટાઇન’માં ઘરમાં રહેતાં તમામે ક્વોરેન્ટાઇન થવું પડશે


જામનગર તા.14
જામનગર જિલ્લામાં અન્ય જિલ્લામાંથી લોકોના આવવાનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને તેને લીધે કેસોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે હવે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન થતા લોકોના ઘટના તમામ સભ્યોને ક્વોરેન્ટાઇન થવું પડશે તેમ જાહેર કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લામાં હવે અન્ય જિલ્લાઓમાંથી સતત લોકો આવી રહ્યાં છે. કોરોનાના કેસની સંખ્યામાં પણ ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. વળી આ સ્થિતિમાં બહારથી આવતા લોકો પણ મોટાભાગે સમરસ કે અન્ય ફેસેલીટી સેન્ટર કરતા હોમ ક્વોરેન્ટાઇન થવાનો આગ્રહ રાખતા હોય છે.
હોમ ક્વોરેન્ટાઇનના નિયમનું પાલન બહારથી આવનાર વ્યક્તિ માટે જ હતું પરંતુ તેમાં પણ હવે સ્થાનિક સંક્રમણનું જોખમ વધતું હોવાનું જણાતા જામનગર જિલ્લા કલેક્ટર રવિશંકર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન અંગે અગત્યના ફેરફારની સુચના જાહેર કરવામાં આવી છે.
હવે હોમ ક્વોરેન્ટાઇન થનાર વ્યક્તિ ઉપરાંત તે વ્યક્તિ જે (મકાન કે ફ્લેટ)માં રહે છે. તેમાં તેની સાથે રહેતાં તેના ઘરના તમામ સભ્યોએ પણ ક્વોરેન્ટાઇન થવું પડશે અને ક્વોરેન્ટાઇનના નિયમનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એટલે કે બહારથી ભલે એક જ વ્યક્તિ આવી હોય પરંતુ તેની સાથે તેન મકાન (ઘર)માં જેટલી પણ વ્યક્તિ રહેતી હશે તે વધી ક્વોરેન્ટાઇન જ ગણાશે.
આમ આ ફેરફાર કરવા પાછળનો જિલ્લા ક્લેકટરનો આશય એવો હોઇ શકે કે હોમ ક્વોરેન્ટાઇનનો આગ્રહ રાખવાનું પ્રમાણ ઘટી શકે એટલું જ નહીં અતિ આવશ્યક હોય તેવા જ કિસ્સામાં ઘરના લોકો જિલ્લા બહારથી તેના પરિવાર કે કુટુંબના સભ્યને બોલાવશે. જો આમ થશે તો તે જામનગર શહેર અને જિલ્લાના હીતમાં ક્લેકટર દ્વારા લેવાયેલું સારૂં પગલું સાબિત થશે. લોકો જેટલો સહકાર આપશે તેટલો લોકોને જ ફાયદો થશે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...