Skip to main content

જામનગર શહેરમાં આવેલા બ્રાસપાર્ટસના કારખાનાઓ આખરે આજથી ખુલી ગયા

જામનગર તા.4:
જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતા ઉદ્યોગોને પણ છુટ મળી જતા આજથી શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલ જી.આઇ.ડી.સી. ફેસ-1ના કારખાના પણ ખુલવા લાગ્યા છે.
જામનગરના જી.આઇ.ડી.સી. ફેસ-3 પાસેની વસાહતમાં એક શ્રમિક પરપ્રાંતિય પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ આવતા આ વિસ્તારને સીલ કરી કોરેન્ટાઇન જાહેર કરાયો હતો. લોકડાઉનમાં જામનગર મહાનગરપાલિકાની હદમાં ઉદ્યોગોને પ્રતિબંધિત જાહેર કરાતા જી.આઇ.ડી.સી.ના દરેડ પાસેના ફેસ-2 અને 3 તેમજ શંકર ટેકરીમાં આવેલ ફેસ-1ના કારખાના પણ બંધ થઇ ગયા હતાં.
જામનગર જિલ્લો ગ્રીન ઝોનમાં આવતા સરકારે મહાનગરપાલિકા વિસ્તારમાં પણ કારખાના શરૂ કરવા છુટ આપી હતી. જો કે માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ, સેનેટાઇઝર સહિતની શરતોનું પાલન કરવાનું રહેશે.
આજે સવારે જી.આઇ.ડી.સી.ના ત્રણેય ફેસમાં આવેલા બ્રાસપાર્ટસના કારખાના શરૂ કરવાની આજથી છુટ આપવામાં આવતા અનેક કારખાના ખુલી ગયા છે. બ્રાસપાર્ટસ ઉદ્યોગ આજથી ધીરે-ધીરે ધમધમવો શરૂ થયો હોવાથી આગામી બે માસમાં તેની ગાડી પાટે ચડે તેવી શકયતા છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.