Skip to main content

મુંબઇથી આવેલા જામનગરના પુરૂષ અને મહિલાનો રિપોર્ટ પોઝીટીવ

બે કેસ વધતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ: આજે સાંજે બે દર્દીઓને રજા અપાય તે પહેલાં સવારે બે નવા દર્દી જી.જી.હોસ્પિટલમાં દાખલ થયા: જામનગર જિલ્લામાં કોરોનાને પછડાટ આપનાર દર્દીઓનું પ્રમાણ 79.24 ટકા

જામનગર તા.30
જામનગર જિલ્લામાં આજે ફરી કોરોનાએ ફૂંફાડો મારતા વધુ બે કેસ પોઝીટીવ આવ્યા છે. મુંબઇથી આવેલા બે પ્રવાસીઓને સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતાં. ગઇકાલે તેમના સેમ્પલ લઇ જી.જી.હોસ્પિટલની કોરોના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. આજે સવારે આ બન્ને પ્રવાસી નાગરિકોનો રિપોર્ટ પોઝીટીવ આવતા જામનગર જિલ્લાના પોઝીટીવ કેસની સંખ્યા વધીને 53 થઇ છે. જ્યારે જી.જી.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
જામનગર જિલ્લામાં તા.પ એપ્રિલથી કોરોનાની એન્ટ્રી થઇ હતી. દરેડના શ્રમિક પરિવારના 14 માસના બાળકને કોરોના પોઝીટીવ આવ્યો હતો. કમનસીબે કોરોનાનું આ પ્રથમ દર્દી બે દિવસમાં મોતને ભેટ્યું હતું. આ પછી સતત 25 દિવસ સુધી જામનગર જિલ્લામાં કોરોનનો એક પણ કેસ નોંધાયો ન હતો. આ પછી જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેસ આવવાનું શરૂ થયું હતું.
અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયાએ આજે જણાવ્યા અનુસાર જી.જી.હોસ્પિટલની કોરોના લેબોરેટરીમાં ગઇકાલે બીજા બેચમાં કુલ 54 સેમ્પલ પરિક્ષણ અર્થે આવ્યા હતાં. આ તમામ સેમ્પલ જામનગર જિલ્લાના હતાં. આ પૈકી 52 ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં જ્યારે બે સેમ્પલના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતાં. આથી જામનગર જિલ્લાના કોરોના પોઝીટીવનો કુલ આંક વધીને 53 થયો છે. જે-જે શંકાસ્પદ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવે તેને સારવાર માટે ગુરૂ ગોવિંદસિંહ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે. આથી જે બે દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે તેઓને પણ જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જે બે દર્દીના રિપોર્ટ આજે સવારે પોઝીટીવ જાહેર થયા છે તે બન્ને દર્દીઓ મૂળ જામનગર પંથકના જ છે પરંતુ મુંબઇથી આવ્યા હોવાથી તેઓને ઠેબા ગામ નજીકની સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરાયા હતાં અને હવે તેઓને હોસ્પિટલ ખસેડાયા છે.
જામનગર જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 53 દર્દીઓને જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ પૈકી આજ દિવસ સુધીમાં 42 દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા થવાને કારણે રજા આપવામાં આવી છે. જ્યારે બે દર્દીના મૃત્યુ નિપજ્યાં હતાં. આજે સવારની સ્થિતિએ જી.જી.હોસ્પિટલ ખાતે હવે 9 દર્દીઓ સારવાર હેઠળ છે. આ પૈકી વધુ બે દર્દીને બપોર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવનાર છે. આથી આજે સાંજે હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા ઘટીને 7 થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
આજે જે બે પોઝીટીવ કેસ જાહેર થયાં છે તે બન્ને જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાં રહે છે અને પુરૂષ દર્દીની ઉંમર 27 વર્ષ તથા મહિલા દર્દીની ઉંમર 20 વર્ષની છે. આ બન્ને મુંબઇથી આવ્યા હતાં. જામનગર જિલ્લામાં કોરોનાના 53 દર્દીમાંથી સાજા થયેલ દર્દીઓની ટકાવારી 79.24 ટકા જેટલી નોંધાઇ છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.