Skip to main content

ઘંટેશ્ર્વર એસઆરપીના ડીવાયએસપીની જીપ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત



જામનગર તા.16
જામનગર નજીક ઠેબા અને ખીજડીયા બાયપાસ રોડ પર આવેલ સાંઢીયા પુલ પાસે ગઈ કાલે સાંજે એક મોટરસાયકલ એસઆરપીના ડીવાયએસપીની જીપ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. એસઆરપી અધિકારીની જીપ રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે ગેરકાયદે ડીવાયડર ઓળંગી બાઈક ચાલક રોંગ સાઈડમાં આવતા જીપ સાથે અથડાઈ ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીક સર્જાયેલ અકસમાતની પ્રાપ્ત વિગતો મુજબ, શુક્રવારે સાંજે ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ વચ્ચેના ફોર લેન માર્ગ પર સાંજે સાતેક વાગ્યાના સુમારે રાજકોટના ઘંટેશ્વર  એસઆરપી કેમ્પના ડીવાયએસપીની જીજે 3 જી 1662 નંબરની સુમો જીપ પસારથતી હતી ત્યારે સામેના રોડ પરના તૂટેલ ડીવાયડરમાંથી પોતાનું જીજે 10 ડીડી 5873 નંબરનું મોટરસાયકલ લઇ રોડ પર આવેલ શિવાજી રામભોલ મિશ્રા રે. ખોડીયાર કોલોની વાળો જીપ સાથે અથડાઈ ગયો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર ચકાસણી અને પંચનામું કરી મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધી, મૃતકને જીજી હોસ્પીટલ ખસેડી મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં પીએમ વિધિ પાર પાડી હતી. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની જાણ થતા જામનગર રહેતા મૃતકના પરિવારજનો સ્થળ અને હોસ્પિટલ પહોચ્યા હતા, યુવાનનાં મૃત્યુના પગલે પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

રણજીતસાગર ડેમ ઉપર પોલીસના નામે સહેલાણીઓની પજવણી કરતા બે શખ્સોને પાંચ વર્ષની સજા

બે રોડછાપ રોમિયોએ નકલી પોલીસ બની યુવતિના ફોટા પાડી બિભત્સ માંગણી કરેલી: યુવતિ તાબે ન થતાં ફોટા સોશ્યલ મીડિયામાં કર્યા હતાં વાયરલ: જાતિય હુમલાનો ભોગ બનેલ યુવતિને 50 હજારની રકમ વળતર પેટે ચુકવવા જામનગરની અદાલતનો હુકમ જામનગર તા.30 જામનગરના રણજીતસાગર ડેમ પર હરવા-ફરવા આવતા સહેલાણીઓની પજવણી કરતા બે રોડછાપ રોમિયોને જામનગરની અદાલતે પાંચ વર્ષની જેલની સજા અને 50 હજારનો દંડ ફટકારી દાખલારૂપ ચુકાદો આપ્યો છે. આ કેસની હકીકત મુજબ રણજીતસાગર નગરજનો માટે ફરવા જવાનું પીકનીક પોઇન્ટ છે. આ પીકનીક પોઇન્ટર પર અવાર-નવાર રોડ રોમિયો દ્વારા નિર્દોષ સ્ત્રીઓ, યુવતિઓને પજવણી કરતી હોવાની રાવ ઉટી છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતિએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી. જે અનુસાર તા.11/5/20215ના રોજ જામનગર બી.એસ.સી.માં અભ્યાસ કરતી યુવતિનું સગપણ થતાં મંગેતર સાથે રણજીતસાગર પર ફરવા ગઇ હતી. બન્ને જણા રણજીતસાગર ડેમ પર બેઠા હતાં ત્યારે સાંજના ચાર વાગ્યે કારમાં બે રોમિયો આવી અને આ બન્ને 25 થી 30 વર્ષની ઉંમરના હતાં. તેઓએ પોતે પોલીસ હોવાનું જણાવી આ યુવતિ અને તેના મંગેતરને અહીં શું કરવા આવેલા છો? તેમ કહી પૂછપરછ કરવા લાગ્યા હતાં અને બન...