Skip to main content

ઘંટેશ્ર્વર એસઆરપીના ડીવાયએસપીની જીપ સાથે અથડાતા બાઈક ચાલકનું મોત



જામનગર તા.16
જામનગર નજીક ઠેબા અને ખીજડીયા બાયપાસ રોડ પર આવેલ સાંઢીયા પુલ પાસે ગઈ કાલે સાંજે એક મોટરસાયકલ એસઆરપીના ડીવાયએસપીની જીપ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. એસઆરપી અધિકારીની જીપ રસ્તા પરથી પસાર થતી હતી ત્યારે ગેરકાયદે ડીવાયડર ઓળંગી બાઈક ચાલક રોંગ સાઈડમાં આવતા જીપ સાથે અથડાઈ ગયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીક સર્જાયેલ અકસમાતની પ્રાપ્ત વિગતો મુજબ, શુક્રવારે સાંજે ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ વચ્ચેના ફોર લેન માર્ગ પર સાંજે સાતેક વાગ્યાના સુમારે રાજકોટના ઘંટેશ્વર  એસઆરપી કેમ્પના ડીવાયએસપીની જીજે 3 જી 1662 નંબરની સુમો જીપ પસારથતી હતી ત્યારે સામેના રોડ પરના તૂટેલ ડીવાયડરમાંથી પોતાનું જીજે 10 ડીડી 5873 નંબરનું મોટરસાયકલ લઇ રોડ પર આવેલ શિવાજી રામભોલ મિશ્રા રે. ખોડીયાર કોલોની વાળો જીપ સાથે અથડાઈ ગયો હતો. જેમાં ગંભીર ઈજાઓ પહોચતા તેમનું સ્થળ પર જ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા જ પંચકોશી એ ડીવીજન પોલીસ દફતરનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર ચકાસણી અને પંચનામું કરી મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધી, મૃતકને જીજી હોસ્પીટલ ખસેડી મેડીકલ કોલેજના ફોરેન્સિક વિભાગમાં પીએમ વિધિ પાર પાડી હતી. પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની જાણ થતા જામનગર રહેતા મૃતકના પરિવારજનો સ્થળ અને હોસ્પિટલ પહોચ્યા હતા, યુવાનનાં મૃત્યુના પગલે પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...