Skip to main content

જામનગરમાં બીજા દિવસે પણ બીડી-તમાકું ખરીદવા લોકોની પડાપડી



જામનગર તા.20 : 
જામનગરમાં લોકડાઉન-4માં મળેલી છુટછાટ પછી આજે બીજા દિવસે પણ બજારમાં લોકોની ભીડ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી હતી. એટલું જ નહીં ખાસ આ દુકાનો પર તો ખરીદી કરવા માટે લોકોની કતારો લાંબી લાગી હતી. લોકો દુકાનો પર ભીડમાં સોશ્યલ ડિસ્ટન્સનું પણ ભાન ભુલી ગયા હતાં. 
જામનગરમાં આજે બીજા દિવસે સવારમાં આઠ વાગ્યા પહેલાં જ એટલે કે, માર્કેટમાં દુકાનો ખુલે તે પહેલાં જ લોકોની ખરીદી કરવા માટે થઇને લાંબી કતારો લાગી ગઇ હતી. જેમાં ખાસ કરીને તમાકુ અને પાનની દુકાનો પર લોકોની વધુ ભીડ જોવા મળતી હતી. રસ્તા ઉપર તો ટોળા ઉમટ્યા હતાં. માત્ર પાન-તમાકુની દુકાનો પર જ નહીં પરંતુ ફરસાણ, પ્રોવિઝન સ્ટોર્સ સહિતની દુકાનો પર લોકોની ભીડ લાગી હતી. જો કે, અન્ય દુકાનો પર પાંખી હાજરી લોકોની રહી હતી. આ ભીડમાં લોકો સરકારના સોશ્યલ ડિસ્ટન્સનું ભાન પણ ભુલ્યા હતાં. એટલું જ નહીં અનેક લોકોના મોં પર માસ્ક પણ બાંધેલા ન હોય તેવું નજરે પડ્તું હતું.
જામનગરમાં મહાનગરપાલિકાના કમિશ્ર્નર દ્વારા જાહેરનામું જે બજાર અંગેનું બહાર પાડેલ છે. તે મુજબ એકી-બેકીનો અમલ કરાવવા માટે અને તે પ્રમાણે વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં આવે તે જરૂરી હોય જેથી મહાનગરપાલિકાની અધિકારીઓની ટીમ દ્વારા વેપારીઓને જાહેરનામાની એકી-બેકીનો અમલ કેવી રીતે કરવો એની માહિતી આપવામાં આવી હતી.
જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં તમાકુની દુકાનો પર વધુ ભીડ જામી હતી. આ ઉપરાંત બેડી ગ્રેઇન, રત્નબાઇની મસ્જીદ, યુનિક શોપિંગ સેન્ટર, પંચવટી, પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી ફરસાણ, પ્રોવિઝન સ્ટોર્સ, ઝવેલર્સ, મોબાઇલની દુકાનો, કાપડની દુકાનો, સલુર્ન વગેરે દુકાનો પર વેપારીઓ વેપાર કરવા માટે આપી પહોંચ્યા હતાં. 
વહીવટી તંત્ર દ્વારા પણ જાહેર કરાયેલા જાહેરનામાં અંગે અસમંજસ ફેલાઇ હતી. જો કે, અમુક સ્થળે સોશ્યલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતાં. આમ જામનગરમાં લોકડાઉનના કારણે પાન-બીડીના બંધાણીઓની હાલત કફોડી થઇ ગઇ હતી. એવી જ રીતે ફરસાણની દુકાન પર ફરસાણ ખરીદવા, મોબાઇલ રીપેર કરાવવા પહોંચ્યા હતાં. રોજનું કમાઇને ધંધો રોજગારી મેળવનાર પાથરણાવાળાઓએ પણ ધંધો ફરી શરૂ કર્યો હતો. 
જામનગરમાં આજે બીજા દિવસે પણ મેઇન બજારો ખુલતા જ અનેક વિસ્તારોમાં પ્રાથમિક સમસ્યા સર્જાય હતી. જો કે જામનગરમાં જન-જીવન ધબકતું થયું હતું. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.