Skip to main content

જામનગરમાં બીજા દિવસે પણ બીડી-તમાકું ખરીદવા લોકોની પડાપડી



જામનગર તા.20 : 
જામનગરમાં લોકડાઉન-4માં મળેલી છુટછાટ પછી આજે બીજા દિવસે પણ બજારમાં લોકોની ભીડ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી હતી. એટલું જ નહીં ખાસ આ દુકાનો પર તો ખરીદી કરવા માટે લોકોની કતારો લાંબી લાગી હતી. લોકો દુકાનો પર ભીડમાં સોશ્યલ ડિસ્ટન્સનું પણ ભાન ભુલી ગયા હતાં. 
જામનગરમાં આજે બીજા દિવસે સવારમાં આઠ વાગ્યા પહેલાં જ એટલે કે, માર્કેટમાં દુકાનો ખુલે તે પહેલાં જ લોકોની ખરીદી કરવા માટે થઇને લાંબી કતારો લાગી ગઇ હતી. જેમાં ખાસ કરીને તમાકુ અને પાનની દુકાનો પર લોકોની વધુ ભીડ જોવા મળતી હતી. રસ્તા ઉપર તો ટોળા ઉમટ્યા હતાં. માત્ર પાન-તમાકુની દુકાનો પર જ નહીં પરંતુ ફરસાણ, પ્રોવિઝન સ્ટોર્સ સહિતની દુકાનો પર લોકોની ભીડ લાગી હતી. જો કે, અન્ય દુકાનો પર પાંખી હાજરી લોકોની રહી હતી. આ ભીડમાં લોકો સરકારના સોશ્યલ ડિસ્ટન્સનું ભાન પણ ભુલ્યા હતાં. એટલું જ નહીં અનેક લોકોના મોં પર માસ્ક પણ બાંધેલા ન હોય તેવું નજરે પડ્તું હતું.
જામનગરમાં મહાનગરપાલિકાના કમિશ્ર્નર દ્વારા જાહેરનામું જે બજાર અંગેનું બહાર પાડેલ છે. તે મુજબ એકી-બેકીનો અમલ કરાવવા માટે અને તે પ્રમાણે વેપારીઓ દ્વારા દુકાનો ખોલવામાં આવે તે જરૂરી હોય જેથી મહાનગરપાલિકાની અધિકારીઓની ટીમ દ્વારા વેપારીઓને જાહેરનામાની એકી-બેકીનો અમલ કેવી રીતે કરવો એની માહિતી આપવામાં આવી હતી.
જામનગરના ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં તમાકુની દુકાનો પર વધુ ભીડ જામી હતી. આ ઉપરાંત બેડી ગ્રેઇન, રત્નબાઇની મસ્જીદ, યુનિક શોપિંગ સેન્ટર, પંચવટી, પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં આવેલી ફરસાણ, પ્રોવિઝન સ્ટોર્સ, ઝવેલર્સ, મોબાઇલની દુકાનો, કાપડની દુકાનો, સલુર્ન વગેરે દુકાનો પર વેપારીઓ વેપાર કરવા માટે આપી પહોંચ્યા હતાં. 
વહીવટી તંત્ર દ્વારા પણ જાહેર કરાયેલા જાહેરનામાં અંગે અસમંજસ ફેલાઇ હતી. જો કે, અમુક સ્થળે સોશ્યલ ડિસ્ટન્સના લીરા ઉડ્યા હતાં. આમ જામનગરમાં લોકડાઉનના કારણે પાન-બીડીના બંધાણીઓની હાલત કફોડી થઇ ગઇ હતી. એવી જ રીતે ફરસાણની દુકાન પર ફરસાણ ખરીદવા, મોબાઇલ રીપેર કરાવવા પહોંચ્યા હતાં. રોજનું કમાઇને ધંધો રોજગારી મેળવનાર પાથરણાવાળાઓએ પણ ધંધો ફરી શરૂ કર્યો હતો. 
જામનગરમાં આજે બીજા દિવસે પણ મેઇન બજારો ખુલતા જ અનેક વિસ્તારોમાં પ્રાથમિક સમસ્યા સર્જાય હતી. જો કે જામનગરમાં જન-જીવન ધબકતું થયું હતું. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

મુંબઇ ઇન્ડિયનની મહિલા ક્રિકેટ ટીમ જામનગર-રિલાયન્સની મહેમાન

જામનગર તા.3: આઈપીએલ 2025 પહેલા હાલ ઠઙક 2025 રમાઇ રહી છે. તે 14 ફેબ્રુઆરીથી શરૂ થયેલ ઠઙક 2025 એક પછી એક ચડિયાતી મેચ સાથે ફાઇનલ તરફ આગળ વધી રહી છે અને 15 માર્ચે ફાઈનલ મુકાબલો ખેલાવા જઈ રહ્યો છે. ત્યારે મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ક્રિકેટ ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી. જામનગરમાં હાલ કેટલાક સમયથી સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સમયાંતરે સેલિબ્રિટીઝ જામનગરના મહેમાન બની રહ્યા છે. તેવામાં ગઈકાલે સાંજે મુંબઈ ઈન્ડિયનની મહિલા ક્રિકેટરની ટીમ જામનગર આવી પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયનની વુમન્સ ટીમની કેપ્ટન હરમનપ્રિત કોર, કોચ જુલહન ગોસ્વામી, પ્રિયંકા બાલા સહીતના મહિલા ક્રિકેટરો જામનગરમા પધાર્યા હતા.  જામનગર એરપોર્ટ પર ગઈકાલે સાંજના સમયે આગમન થયું હતું. ત્યારબાદ મહિલા ક્રિકેટરો મોટર માર્ગે જામનગર નજીક આવેલ ખાનગી કંપનીની ટાઉનશીપ ખાતે જવાન રવાના થયા હતા. જે જામનગર અને અંબાણી પરિવારની શાહી મહેમાનગતિ માણસે. આ દરમિયાન તેઓ વિશ્વની અજાયબી સમાન વનતારાની મુલાકાત લઈ શકે છે.