Skip to main content

કિશાન કોંગ્રેસના અધ્યક્ષ અને ખેડૂત આગેવાનો પરના પોલીસ દમન અંગે પગલા ભરવા માંગણી


જામનગર તા.25
જામનગરના કોંગ્રેસ આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી કિશાન કોંગ્રેસના અધ્યક્ષને સરકારના ઇશારે રાજકોટમાં પોલીસ દ્વારા માર મરાયાની ઘટનાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જામનગર જિલ્લા કલેકટરને કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મૂછડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, વિરોધપક્ષ નેતા અલતાફભાઈ ખફી તથા જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કર્ણદેવસિંહ જાડેજા દ્વારા આવેદન આપી રજુઆત કરી કે વૈશ્વિક કોરોના મહામારીમાં 55 દિવસના લોકડાઉનના પરિણામે તમામ ધંધા-રોજગાર બંધ છે. સામાન્ય-મધ્યમવર્ગને જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ થઈ ગયો છે. તેવા સમયે જગતનો તાત સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. મોંઘા ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, મોઘી વિજળી, સિંચાઈના મોંઘા પાણી સહિતના કારણે દિવસેને દિવસે ખેતી અને ખેતપેદાશો મોંઘી થતી જાય છે. ખેડૂતોને ખેતપેદાશોના ભાવ મળતા નથી. ત્યારે ખેડૂતોના પ્રશ્નો માટે વહીવટીતંત્ર જાગૃત થાય તે હેતુસર લોકત્રાંતિક રીતે ડુંગળી સહિતની ખેતપેદાશો પીએમ કેર ફંડ માં જમા કરાવવાનો પ્રતિકાત્મક કાર્યક્રમ ગુજરાત કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા અને ખેડૂત પ્રતિનિધિઓ રાજકોટ કલેક્ટર સમક્ષ જાહેર કર્યો હતો.
આ કાર્યક્રમનો હેતુ ખેડૂતોને પડતી મુશ્કેલીમાં વહિવટીતંત્ર સંવેદનશીલ બને અને ખેડૂતોને ન્યાય મળે, ખેત પેદાશોના ભાવ મળે તે હતો પણ વહિવટીતંત્ર - સરકારના ઈશારે કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓ પર જુદી જુદી કાયદાની કલમો હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો. માત્ર ગુન્હો દાખલ કરીને અટકાયત જ નહી પણ સાથોસાથ કિસાન આગેવાનોને પોલીસે બેરહમીપૂર્વક ઢોર માર માર્યો. અંગ્રેજોને પણ શરમ આવે તેવો પોલીસે ખેડૂતો ઉપર અત્યાચાર ગુજાર્યો હતો. ખેડૂતોના મુદ્દે વિચારપૂર્વક લડત લડતા કિસાન આગેવાનો પર પોલીસનો અત્યાચાર નિંદનીય છે અને ગેરબંધારણીય પણ છે. કિસાન આગેવાનો અને ખેડૂત પ્રતિનિધિઓએ કોઈ નિયમનું ઉલ્લંઘન કર્યુ હોય તો તેમને સજા કરવાનો અધિકાર ન્યાયતંત્રને છે, પોલીસ ને નહિ. સમગ્ર ઘટનામાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સ્પષ્ટ ઉજાગર થઈ છે. ખેડૂતો માટે ન્યાય માંગનાર, ખેડૂતોના મુદ્દે લડત ચલાવનાર અને ખેડૂતોના હક્કના નાણાં ચાઉં કરી જનારને ખુલ્લા પાડનારને પોલીસના અત્યાચારથી શું રાજ્ય સરકાર મૌન કરાવવા માંગે છે ? શું ખેડૂતોના હક્કની લડાઈ લડવી ગુન્હો છે?
ગુજરાત કિશાન કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલીયા પર બેરહમીપૂર્વ અત્યાચાર કરી ઢોર માર મારનાર પોલીસ અધિકારી અને જેના ઈશારે આ ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવ્યુ છે તેમની સામે તાત્કાલીક પગલાં ભરવા માંગ કરવામાં આવે છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.