Skip to main content

જામનગરથી વતન જવા પરપ્રાંતિય મજુરોનું પ્રયાણ શરૂ

ગઇકાલે મધ્ય પ્રદેશ તથા ગુજરાતના દાહોદ અને ગોધરા વિસ્તારના વતની 1170 મજુરોને 39 બસમાં રવાના કરાયા: 39 પૈકી 20 બસમાં બ્રાસ ઉદ્યોગના મજુરો જયારે અન્ય 19 બસમાં ગ્રામ્ય વિસ્તારના મજુરોનો સમાવેશ: આજે દરેડ ખાતેથી મજુરોને લઇ જવા 6 બસ તૈયાર : મજુરોની આરોગ્ય ચકાસણી બાદ રવાના થશે બસ




જામનગર તા.2 :
જામનગર શહેર અને જિલ્લામાં મજુરી માટે આવેલા અને લોકડાઉનમાં કામ-ધંધા વગર ફસાયેલા પરપ્રાંતિય મજુરોને તેમના વતન જવા માટે સરકારે મંજુરી આપી છે. સરકારની મંજુરીને પગલે જામનગર જિલ્લામાંથી 1170 મજુરો 39 બસ મારફત ગઇકાલે વતન જવા રવાના થયા હતાં. જયારે આજે બ્રાસપાર્ટ ઉદ્યોગમાં કામ કરતા અને વતન જવા ઇચ્છતા મજુરોમાંથી 180 મજુરોને વતન મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા માટે સરકારે તકેદારીના ભાગરૂપે સમગ્ર દેશમાં 25 માર્ચથી લોકડાઉન જાહેર કરેલું છે. જો કે, જામનગર જિલ્લામાં 24 માર્ચથી લોકડાઉન અમલમાં છે. આ પરિસ્થિતિમાં ખાસ કરીને મજુરવર્ગના લોકોને સૌથી વધુ સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ જોઇએ તો પરપ્રાંતમાંથી આજીવિકા માટે આવેલા મજુરો અને તેમના પરિવારજનોની હાલત વધુ કફોડી છે. કેમ કે, તેઓ સ્થાનિક ન હોવાથી કોઇ તેને વસ્તુ ઉધાર પણ ન આપે. ઘણા દિવસથી મજુરો વતનમાં જવા ઇચ્છતા હતા પરંતુ લોકડાઉનના કારણે વાહનની વ્યવસ્થા થતી ન હોવાથી ફસાયેલા હતાં.
ત્રણ દિવસ પહેલાં રાજય સરકારે પરપ્રાંતિય મજુરોને વતનમાં જવાની મંજુરી આપતો નિર્ણય કર્યો હતો. જો કે, મજુરોએ સ્વખર્ચે વતનમાં જવાનું હોવાથી પૈસાની વ્યવસ્થા પણ બધા મજુરો માટે શકય બની નથી. દાતાઓના સહકાર કે ઉદ્યોગકાર એસોસીએશનની મદદથી જે મજુરોને વ્યવસ્થા થઇ છે તેવા મજુરો વતન જવા લાગ્યા છે.
મળતી માહિતી અનુસાર જામનગર જિલ્લામાંથી ગઇકાલે 39 બસ પરપ્રાંતિય મજુરોને લઇને રવાના થઇ હતી. આ મજુરોમાં મોટા ભાગના મધ્ય પ્રદેશના ઝાંબુવા તથા ગુજરાતના દાહોદ અને ગોધરા વિસ્તારના હતાં. આ મજુરોની આરોગ્ય ખાતાની ટીમે ચકાસણી કર્યા બાદ દરેક બસમાં 30 મજુરોને બેસાડવામાં આવ્યા હતા અને વતન મોકલવામાં આવ્યા હતાં. આમ 39 બસમાં કુલ 1170 મજુરો વતન જવા રવાના થયા હતાં. આ 39 પૈકી 20 બસમાં જીઆઇડીસી ફેસ-2-3 માં કામ કરતા મજુરો હતાં. જયારે અન્ય 19 બસમાં જામનગર સિવાય જિલ્લાના અન્ય વિસ્તારોમાં કામ કરતા મજુરો હતાં.
દરેડ ગામે આવેલ જીઆઇડીસી ફેસ-3 ખાતે આજે સવારે છ બસ મજુરો માટે તૈયાર રાખવામાં આવી હતી. પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે સહિતની દેખરેખ રાખી હતી. જયારે આરોગ્ય વિભાગના કર્મચારીએ વતન જવા માટે આવેલા મજુરોની આરોગ્ય ચકાસણી હાથ ધરી હતી. મજુરો ધીરે-ધીરે બસ ઉપડવાના સ્થળે આવી રહ્યાં છે. જો મજુરોની સંખ્યા વધશે તો વધુ બસ ફાળવવામાં આવશે તેમ જાણવા મળે છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...