Skip to main content

કોરોના વાયરસને લઇને જિલ્લામાં વધુ ત્રણ ગામોને કન્ટેન્ટમેન્ટ જાહેર કરતા કલેકટર


જામનગર તા. 15 :
જામનગર જિલ્લા કલેકટર દ્વારા કોરોના વાઇરસ સંદર્ભે જિલ્લાના ત્રણ ગામોને કન્ટેન્ટમેન્ટ જાહેર કર્યા હતાં આ માટે થઇને દુધ અને તબીબી સેવા તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ જાહેર કર્યો હતો. 
જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને જામનગર તાલુકાના લાખાબાવળ, અલીયાબાડા ગામો પૈકીના બાડા ગામ તળનો અને કાલાવડ તાલુકાના બામણગામના ગામતળનો વિસ્તાર કોવિડ-19 ક્ધટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ગામોમાં હવે માત્ર દુધ અને તબીબી સેવા સિવાયની તમામ પ્રકારની પ્રવૃતિઓ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકાયો છે. આમ જામનગર જિલ્લામાં કુલ 17 વિસ્તારો કન્ટેન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર થયા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ધ્રોલ તાલુકાના ખારવા, જામજોધપુર તાલુકાના પરડવા અને મેવાસા-આંબરડીગામોનો સમાવેશ થાય છે. આમ હવે જિલ્લામાં કુલ 6 ગામો કન્ટેન્ટમેન્ટ ઝોન બનવા પામ્યા છે. આગામી હુકમ ન થાય ત્યાં સુધી પ્રતિબંધાત્મક હુકમો આ વિસ્તારોમાં ચાલુ રહેશે. જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા અન્ય જાહેરનામામાં શહેરની જાણીતી એવી 16 હોટલોને પેઇડ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે જાહેર કરી છે. આમ શહેર અને આસપાસ મળીને કુલ 19 હોટલો, રીસોર્ટ અત્યાર સુધીમાં પેઇડ કવોરેન્ટાઇન સેન્ટર તરીકે જાહેર થયા છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...