Skip to main content

કાલાવડ પોલીસ દફતરના એક એએસઆઇ સહિત પાંચ પોલીસ કર્મીઓ કોરેન્ટાઇન

એક ગ્રામ રક્ષકદળના જવાનનો પણ સમાવેશ : પરિણિતાને મૃત્યુંની દુષ્પ્રેરણા આપવા બદલ ધરપકડ કરાયેલા આરોપીનો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રની કાર્યવાહી




જામનગર તા.14 : 
કાલાવડના બામણ ગામમાં ભાભીના આપઘાતમાં ધરપકડ બાદ આરોપીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા તે પોઝિટીવ આવ્યો હતો. તેમજ આરોપીના સંપર્કમાં આવતા તે પોઝીટીવ આવેલા 1 એએસઆઇ, 4 પોલીસ કોન્સ્ટેબલ, 1 જીઆરડી જવાનને કોરેન્ટાઇન કરાયા છે. 
કાલાવડ તાલુકાના બામણ ગામમાં ગત તા. 10 ના રોજ રેખાબેન (ઉ.વ.28) નામની પરિણિતાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં મોત નિપજ્યું હતું. જે બાદ મૃતક રેખાબેનના કાકાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે રેખાબેનના પતિ નરેન્દ્ર ઉર્ફે લાલો સામતભાઇ ચૌહાણ, દિયર વિજય સામતભાઇ ચૌહાણ, દિયર વિજય સામતભાઇ ચૌહાણ અને કુટુંબીક દિયર વિજયભાઇ દેવશીભાઇ ચૌહાણ સામે મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી છે. આ ત્રણેય આરોપીઓને ગઇકાલે કાલાવડ પોલીસે અટક કરીને મેડીકલ ચેકઅપ માટે કવોરેન્ટાઇન સેન્ટર ખાતે રાખ્યા હતાં. તેઓના કોરોનાના રીપોર્ટ કરાવતાં વિજય ચૌહાણનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં અન્ય બે આરોપીઓનો રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. એક આરોપીનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવતાં પોલીસ સ્ટેશનમાં ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. આરોગ્યની ટીમ કોરોનાના દર્દી વિજય ચૌહાણને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ હતી. જયારે તેની સાથે રહેલા બે આરોપીઓને કાલાવડ સરકારી કવોરેન્ટાઇન સેન્ટર ખાતે કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે કોરોના પોઝીટીવ આરોપીના સંપર્કમાં આવેલા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના 1 એએસઆઇ, 4 પોલીસ કોન્સ્ટેબલ, 1 જીઆરડીના પણ સેમ્પલો લેવામાં આવ્યા છે. જેમાં બે પોલીસ કર્મીના કોરોનાના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલ સંપર્કમાં આવેલા 5 પોલીસ અને 1 જીઆરડીઆ જવાનને પણ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...