Skip to main content

જામનગર જિલ્લામાં કોરોના વોરિર્યસ ઉપર કોરોનાની ગાજ

આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા ડ્રાઇવર અને અન્ય બે કર્મચારીઓનો રિપોર્ટ પોઝીટીવ: અલીયાબાડા પીએચસી અને સમરસ હોસ્ટેલ ખાતે ફરજ બજાવતા હતા: કાલાવડ તાલુકાના બામણ ગામનો યુવાન આત્મહત્યાની  ફરજ પાડવાના  આરોપમાં પકડાયો હતો: આરોપીની ધરપકડની પ્રક્રિયા કરનાર પોલીસકર્મીઓમાં પણ ફફડાટ:  આ ચારેય દર્દીના સંપર્કમાં આવેલા તમામની આરોગ્ય ચકાસણી માટે કવાયત શરૂ



જામનગર તા.13: 
જામનગર જિલ્લામાં કોરોના કેસમાં આજે નવા ચાર કેસનો વધારો થયો છે. કેસનો વધારો અત્યાર સુધી મહદઅંશે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતો હતો. પરંતુ આજે આવેલા નવા ચાર કેસોમાં સ્થાનિક સંક્રમણ શરૂ થયું હોવાની વિગતો બહાર આવી રહી છે. જો કે સત્તાવાર રીતે આ અંગે પુષ્ટી કરાઇ નથી. પરંતુ આધારભૂત સુત્રોના જણાવ્યા મુજબ ચાર દર્દી પૈકી એક યુવાન ગઇકાલે આત્મહત્યાની ફરજ પાડવાના ગુન્હામાં કાલાવડ પોલીસના હાથે ઝડપાયો હતો. પરિણામે તેની ધરપકડની કાર્યવાહી સાથે જોડાયેલ કાલાવડ પોલીસ કર્મચારીઓમાં પણ હડકંપ મચી ગયો છે. જયારે અન્ય ત્રણ દર્દીઓ આરોગ્ય ખાતામા ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. 
જામનગર જિલ્લામાં અત્યાર સુધી આવેલા કોરોના પોઝીટીવ કેસો મહદઅંશે ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરિણામે તંત્રને આંશિક રાહત હતી. પરંતુ આજે જે નવા ચાર કેસ નોંધાયા છે તેમા કોરોના વાયરસની ગાજ આરોગ્ય તંત્ર ઉપર પણ ત્રાટકી છે અને પોલીસ તંત્ર માટે પણ ચિંતાનો વિષય થયો છે.
આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર જિલ્લાના જે ચાર નવા કેસ પોઝીટીવ નોંધાયા છે તેમા કાલાવડ તાલુકાના બામણ ગામનો 31 વર્ષનો યુવાન  ગઇકાલે જ આઇપીસી કલમ 306 એટલે કે આત્મહત્યાની ફરજ પાડવાના ગુન્હા હેઠળ કાલાવડ પોલીસના હાથે પકડાયો હતો. જેની તબિયત શંકાસ્પદ લાગતા  તેનું સેમ્પલ લેવાયું હતું. આ સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવતાની સાથે તેની ધરપકડની કાર્યવાહી સાથે જોડાયેલ પોલીસકર્મીઓમાં પણ ફફડાટ ફેલાયો છે અને આ પોલીસકર્મીઓની પણ આરોગ્ય તપાસણી માટે તંત્ર કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળે છે. 
આ ઉપરાંત અન્ય ત્રણ પોઝીટીવ કેસ જે નોંધાયા છે જેમાં જામનગર તાલુકાના અલીયાબાડા ગામનો 30 વર્ષનો  યુવાન આરોગ્ય ખાતાની ગાડીનો ડ્રાઇવર છે.  જયારે લાખાબાવળ ગામનો 33વર્ષનો યુવાન અલીયાબાડા પીએચસી સેન્ટર ખાતે ફરજ બજાવતા હતા. જયારે જામનગરનો 30 વર્ષનો યુવાન ફાર્માસીસ્ટ તરીકે સમરસ હોસ્ટે ખાતે ફરજ બજાવતો હતો. 
ઉપરોકત નવા ચાર કેસને પગલે સમગ્ર જામનગર જિલ્લાના વહીવટી તંત્ર અને પ્રજા માટે ચિંતાનો ગંભીર વિષય એ ઉભો થયો છે કે, ટ્રાવેલ હિસ્ટ્રીના કેસો બાદ સ્થાનિક સંક્રમણ પણ શરૂ થયું છે. સમરસ હોસ્ટેલ ખાતે રખાયેલ મહિલા દર્દીના સંપર્કમાં આવેલ હોવાને કારણે ફાર્માસીસ્ટ યુવાન કોરોનાના વાયરસનો શિકાર થયા છે અને તેમનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને પણ સારવાર આપવી શરૂ કરવામાં આવી છે. જો કે અન્ય ત્રણ યુવાનોને પણ સારવાર આપવાની શરૂ કરી દેવામાં આવી છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.