Skip to main content

સરહદો સીલ થતાં પણ મંજુરી લઇ અન્ય જિલ્લાઓમાંથી નાગરીકોનો જામનગર તરફ અવિરત પ્રવાહ ચાલુ

તંત્ર મુક પ્રેક્ષક બની વ્યવસ્થામાં જોતરાયું : તમામને હોમ કોરોન્ટાઇનના આદેશ: સરકાર જ કરી રહી છે જાહેરનામાનો ઉલાળ્યો 


જામનગર તા.11 :
જામનગરમાં એક સાથે અનેક કેસ પોઝીટીવ નોંધાયા બાદ કલેકટર દ્વારા જિલ્લાને સીલ કરી દીધો હોવા છતાં પણ અન્ય જિલ્લાઓમાંથી મંજુરી સાથે અનેક નાગરીકો જામનગર જિલ્લામાં પ્રવેશી રહ્યા છે. ત્યારે આશ્ર્ચર્યની બાબત એ છે કે જાહેરનામું હોવા છતાં વહીવટી તંત્ર અન્ય જિલ્લામાંથી આવતા નાગરીકોને મદદ કરી રહ્યું છે. કોરોના પોઝીટીવની હિસ્ટ્રી મુજબ મોટા ભાગના દર્દીઓ બહારથી આવેલા હોવાનું સામે આવ્યું છે અને તંત્રની આ બેવડી નીતિ શહેર-જિલ્લા માટે ચોકકસથી ઘાતક નિવડશે એમ બુદ્ધીજીવીઓ મત દર્શાવી રહ્યાં છે. 
છેલ્લા પાંચ દિવસના ગાળા દરમ્યાન સંખ્યાબધ કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે આ દર્દીઓ પૈકીના મોટા ભાગના દર્દીઓ બહારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા આ બાબતને ગંભીર ગણી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.  જે મુજબ જામનગર જિલ્લાને જોડતા અન્ય જિલ્લાઓના રસ્તાને સીલ કરી દેવામાં   છે.  કલેકટર દ્વારા અન્ય જિલ્લાઓના કલેકટરને પત્ર પાઠવી જામનગર જિલ્લામાં આવવા માંગતા નાગરીકોને મંજુરી ન આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. છતાં પણ ગઇકાલથી વહીવટી તંત્ર જ બહારના જિલ્લાઓમાંથી આવતા નાગરીકોની વ્યવસ્થામાં જોતરાયું છે. જામનગર તાલુકાના વિકાસ અધિકારીએ પત્ર પાઠવી તાલુકાના લગત તલાટી કમ મંત્રીઓને હાજર રહી જે-તે નાગરીકોને હોમ કોરોન્ટાઇન કરવાની સુચના આપવામાં આવી છે.
બીજી તરફ કલેકટર દ્વારા સરહદો સીલ કરી કોઇને અહીં ન આવવાની સુફીયાણી સલાહો આપવામાં આવે છે અને બીજી તરફ બંધ બારણે નાગરીકોને પ્રવેશ અપાવી કાર્યવાહીમાં મદદનો હાથ પણ લંબાવવામાં આવે છે. આ કાર્યવાહી શું સુચવે છે ? એક તરફ તંત્ર દ્વારા કોરોનાની લડાઇ શરૂ કરાઇ છે તો બીજી તરફ આ જ લડાઇમાં નબળી કડી સમાન બહારના નાગરીકોનું જિલ્લામાં આગમનને લઇને પ્રોત્સાહન આપવામાં આવે છે. સુબુધ્ધ નાગરીકો તંત્રની આ કાર્યવાહીથી રોષે ભરાયા છે. જિલ્લામાં ફેલાયેલા કોરોના સંક્રમણ અન્ય જિલ્લાઓમાંથી જ ફેલાયો હોવાની વિગતો સ્પષ્ટ થવા છતાં પણ તંત્ર આટલી બેદરકારી દાખવે તે આશ્ર્ચર્યની વાત કહી શકાય. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...