Skip to main content

જામનગર એસટી વિભાગને એક સપ્તાહમાં થઇ રૂ.6 લાખથી વધુની આવક

ચોથા લોક ડાઉનમાં છૂટછાટ મળતા જામનગર સહીત અન્ય જીલ્લામાં પણ શરૂ કરાઈ એસટી: જામનગર એસટી વિભાગ દ્વારા તમામ પ્રકાની સાવચેતી સાથે શરૂ કરાઈ છે એસટી બસ: સપ્તાહ દરમ્યાન 898 ટ્રીપ થકી 17069 મુસાફરોએ લીધો એસટી બસનો લાભ

જામનગર.તા.26
જામનગરમાં લોક ડાઉન એસટી વિભાગને સારી એવી આવક થઇ છે. તા.20/6 થી 26/6 સુધીમાં જામનગર એસટી વિભાગને રૂ.607704ની આવક થઇ છે જયારે અત્યાર સુધીમાં 17069 મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે.
દેશમાં જનતા કર્ફ્યુંના દિવસથી જ રાજ્યની એસટી બસના પૈડા થંભી ગયા હતા. સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહી તેવા હેતુ સાથે તા.22મી માર્ચે જનતા કર્ફ્યું જાહેર કારવામાં આવ્યું હતું. જનતા કર્ફ્યું બાદ તબક્કાવાર ત્રણ લોક ડાઉન જાહેર કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન એસટી બસ સદંતર બંધ રાખવામાં આવી હતી. જ્યારે હવે ચોથા લોક ડાઉનમાં અંદાજે 58 દિવસ બાદ ફરી એકવાર લોક ડાઉનમાં છૂટછાટ મળતા એસટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.
રાજ્યમાં ચોથા લોક ડાઉનમાં એસટી બસ સેવા શરૂ કરવાની મંજુરી સરકારે આપ્યા બાદ ફરી એકવાર એસટી બસ દોડતી થઇ હતી. જામનગરમાં પ્રથમ જીલ્લામાં અને ત્યાર બાદ અન્ય જીલ્લામાં પણ એસટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેમાં જામનગર, દ્વારકા, જુનાગઢ, રાજકોટ, મોરબી જીલ્લામાં પણ એસટી બસ શરૂ કરવામાં આવી છે. જેના કારણે એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જવા માંગતા મુસાફરોને પણ રાહત મળી છે. ખાનગી બસ બંધ હોવાનો લાભ એસટી વિભાગને મળી રહ્યો છે.
જામનગર એસટી વિભાગના ડીવીઝનલ ટ્રાફિક ઓફિસર વી.બી. ડાંગરે જણાવ્યું હતું કે, જામનગર એસટી વિભાગ દ્વારા તમામ પ્રકારની સાવચેતી સાથે એસટી બસ શરૂ કરી છે. જેમાં એસટી બસમાં મુસાફરી કરવા આવતા તમામ મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે. જયારે એસટી બસ સેનેટાઈઝ કરવામાં આવે છે. તેમજ માર્યાદિત મુસાફરો સાથે એસટી બસમાં સોશ્યલ ડીસટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જામનગરમાં એસટી વિભાગ દ્વારાતા.20/5 થી તા.26/5 સુધીમાં કુલ 898 ટ્રીપ લગાવવામાં આવી છે.  જેમાં કુલ 17069 મુસાફરોએ એસટી બસનો લાભ લીધો છે. જયારે જામનગર એસટી વિભાગને કુલ રૂ.607704ની આવક થઇ છે.
નોંધનીય છે કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકે તે માટે રાજ્યમાં જનતા કર્ફ્યું જાહેર કર્યું ત્યારથી જ એસટી બસના પૈડા થંભી ગયા હતા અને અંદાજે 58 દિવસ એસટી બસ સેવા સમગ્ર રાજ્યમાં બંધ રહેતા એસટી વિભાગને કરોડો રૂપિયાની આવક ગુમાવી પડી હતી. તેવામાં હવે ચોથા લોક ડાઉનમાં સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવતા હવે આંશિક રીતે એસટી બસ રાજ્યમાં દોડતી થતા એસટી વિભાગને ફરી ધીમી આવક શરૂ થઇ છે.

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.