Skip to main content

જામનગરમાં ફુડ શાખા દ્વારા આરોગ્યને હાનિકારક કેરીના 580 કિલો જથ્થાનો નાશ કરાયો



જામનગર તા.28 :
જામનગર મહાનગરપાલિકાની ફ્રુડ શાખા દ્વારા હાલના કોરોના વાયરસની મહામારીની સ્થિતિને ધ્યાને લઇ સઘન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી જે દરમ્યાન સાત કેરીઓના વેપારીઓના ગોડાઉન ઉપર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન અખાદ્ય આરોગ્યને હાનિકારક કેરીનો 580 કિલો જથ્થાનો નાશ કરાયો હતો અને દુધ, મીઠાઇ અને ફરસાણની 30 પેઢીઓ પર તપાસ હાથ ધરી સરકારની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાણવવા સેનીટાઇઝર અને માસ્કનો ઉપયોગ કરવા ફુડ સેફટી ઓફીસરે તાકીદ કરી હતી.
કોરોના વાયરસ સંદર્ભે જામનગર શહેરમાં ખાદ્ય પદાર્થોનું લોકોને હાનિકારક વેંચાણ ન થાય તે માટે મહાનગરપાલિકાના કમિશ્ર્નર સતીષ પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા 3 દિવસથી આરોગ્યની ફુડ વિભાગની ટીમ સઘન ઝુંબેશ ચલાવી રહી છે. આ ફુડ વિભાગની ટીમ દ્વારા હાપા માર્કેટીંગ યાર્ડ અફજલ નુરમામદની દુકાનમાંથી 30 કિલો સડેલ અખાદ્ય મોસંબીનો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરેલ છે. આ ઉપરાંત દાડમ અને કેરી વાળા ચિરાગભાઇની પેઢી ઉપર દરોડો પાડી 50 કિલો સડેલા દાડમનો જથ્થાનો નાશ કર્યો હતો અને સમીરભાઇના કેરીના ગોડાઉન ઉપર તેમજ કેશુભાઇના કેરીના ગોડાઉન ઉપર ફુડ શાખાની ટીમ ત્રાટકી હતી અને 150 કિલો જેટલી સડી ગયેલ કેરીનો જથ્થો જોઇને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતાં અને તુરંત જ 300 કિલો કેરીના જથ્થાનો નાશ કરાવ્યો હતો. આ ઉપરાંત જગદીશભાઇ નાગપાલના કેરીના ગોડાઉનમાંથી 50 કિલો કેરી, ઇરફાનભાઇના કેરીના ગોડાઉનમાંથી 50 કિલો કેરી તેમજ સુનિલભાઇના કેરીના ગોડાઉનમાંથી 100 કિલો દાડમના બગડી ગયેલો જથ્થાનો નાશ કર્યો હતો. આમ ફુડ શાખાની ટીમ દ્વારા 7 કેરીના ગોડાઉનમાંથી 580 કિલો આરોગ્યને હાનીકારક કેરીના જથ્થાનો નાશ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત શહેરમાં આવેલ મીઠાઇ,ફરસાણ અને દુધની ડેરીઓ મળી કુલ 30 પેઢીઓ પર તપાસ હાથ ધરાઇ હતી અને આ પેઢીના સંચાલકોને સોશ્યલ ડીસ્ટન્સ જાણવવા તેમજ સેનીટાઇઝર તેમજ માસ્કનો ઉપયોગ કરવા ફુડ સેફટી ઓફીસર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી હતી. જામનગરમાં કેરીના વેપારીઓમાં આ ફુડ શાખાના દરોડાથી ફફડાટ ફેલાયો છે. 

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.