Skip to main content

જામનગરના અર્થતંત્રનો 55 માં દિવસે લોકડાઉનમાંથી છૂટકારો





જામનગર તા.19:
મુખ્યમંત્રીએ ગઇકાલે સાંજે નોન ક્ધટેન્મેન્ટ ઝોનમાં મોટા ભાગની વ્યવસાયિક પ્રવૃત્તિઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે શરૂ કરવાની મંજૂરી આપતી જાહેરાત કર્યાને પગલે આજે જામનગર શહેર અને જિલ્લામાં મોટાભાગના ધંધાઓને 55 દિવસના કારાવાસ બાદ મુકિત મળી છે. જો કે હજુ શૈક્ષણિક સંસ્થાઓ, ભીડ-ભાડ થઇ શકે તેવા ધાર્મિક સ્થાનો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષો, જીમ, ગાર્ડન કે પિકનિક પોઇન્ટ હજુ 31મે સુધી બંધ રાખવામાં આવશે. સાર્વત્રિક વસતા વ્યસનીઓને પણ આથી પાન-મસાલા-તમાકુ-સિગારેટ ઉપલબ્ધ થવા લાગી છે. જો કે આજે  તમાંકુ-સોપારીના હોલસેલરો આજે સાંજે બેઠક બાદ આવતીકાલથી ખોલવા અંગે નિર્ણય લેશે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કુલ 55 દિવસ સુધી લોકડાઉન રાખ્યા બાદ આજથી શહેરની બજાર મહદઅંશે ખુલી છે. 3 લોકડાઉન પુરા થયા બાદ ગઇકાલે સાંજે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનો હવાલો આપી મુખ્યમંત્રીએ વેપારી સહિતના લોકો માટે રાહતરૂપ જાહેરાતો કરી હતી. ક્ધટેમેન્ટ ઝોનના માપદંડ જાહેર કરાયા હતા.
ક્ધટેમેન્ટ ઝોનમાં દુધ-દવા-શાકભાજી અને અનાજ સિવાયના તમામ ધંધા પ્રતિબંધિત જાહેર કરાયા છે. જયારે નોન ક્ધટેમેન્ટ ઝોન કે જયાં કોરોનાના કેસ નોંધાયા નથી તેવા વિસ્તારમાં મોટાભાગની ધંધાકીય પ્રવૃત્તિને છુટ અપાઇ છે. આ છુટ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી રહેશે.
જો કે જામનગર જિલ્લામાં આજથી શરૂ થયેલી પ્રવૃતિમાં કપડા, ફૂડવેર, દરજી, સલુન, બ્યુટી પાર્લર, ફરસાણ-મિઠાઇ, મોચી, બેકરી, પાન-મસાલા, તમાકુ, બીડી-સિગરેટ, ખાનગી ઓફિસો, ઓટો રીક્ષા, ટેકસી, દવાખાના, ચશ્માની દુકાનો, ઇલેકટ્રોનીકસ શો-રૂમ, તમામ પ્રકારનો માલસામાન વેચતી દુકાનોના તાળા આજે 55 દિવસ બાદ ખુલી ગયા હતા.
જો કે સરકારની ગાઇડલાઇન મુજબ હજુ શાળા-કોલેજ, ટયુશન કલાસ, ધાર્મિક સંસ્થા-મંદિર, સીટી બસ, ટ્રેન-વિમાનની સેવા બંધ રહેવા પામી છે. આ ઉપરાંત સાંજના 7 થી સવારના 7 સુધી તમામ પ્રકારની (મેડીકલ ઇમરજન્સી સિવાય) અવર-જવર પ્રતિબંધિત રખાઇ છે.
પ્રોફેશનલ, કંપનીની ઓફિસોમાં 33 ટકા સ્ટાફ સાથે પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે. જો કે જામનગરમાં આજે એસ.ટી.બસ 10 વાગ્યા સુધી શરૂ થઇ ન હતી. સરકારે પાનની દુકાનોને છુટ આપી છે પરંતુ આજે ઘણી દુકાનો ખુલી ન હતી. કેટલીક દુકાનો હજુ દુકાનદારોએ ખોલીને કચરો કાઢતા હતા ત્યાં જ બંધાણીઓ પહોંચી ગયા ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત તમાકુ-બીડી-સિગરેટના જથ્થાબંધ વેપારીઓએ દુકાન ખોલવી શરૂ કરતા જ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના પ્રશ્ર્નો ઉભા થતા દુકાનો બંધ કરી દેવાઇ હતી. આ જથ્થાબંધ વેપારીઓની એક બેઠક આજે સાંજે મળશે અને તેમાં આવતીકાલથી કેવી રીતે દુકાન ખોલવી તે અંગે નિર્ણય લેવાશે.
આજે સવારથી 2 મુસાફરો સાથે ઓટો રીક્ષા પણ શહેરમાં શરૂ થઇ છે તેમજ બે મુસાફરો સાથેની ટેકસી સેવા પણ શરૂ થઇ છે. આમ 55 દિવસના લોકડાઉન સ્વરૂપના કારાવાસમાંથી ધંધા અને ધંધાર્થીને આજથી મુકિત મળી છે તેમજ લોકો પણ ખુશ છે.  

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

જામનગરમાં યુવતીના મકાનમાંથી દારૂની બોટલો મળી આવી

જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર રહેતી યુવતીના મકાનમાંથી પોલીસે તલાસી દરમિયાન રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પરના વિસ્તારમાં રહેતી મનિષાબેન દિનેશ રાઠોડ નામની મજુરી કામ કરતી મહિલાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા યુવતીના મકાનમાંથી રૂા.7000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 14 બોટલો મળી આવતા પોલીસે દારૂની બોટલના જથ્થા સાથે યુવતીની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.

જામનગર માર્કેટ યાર્ડમાં ધાણાની વિક્રમજનક 30000 મણ આવક

માર્ચ એન્ડીંગના કારણે તા.24 થી 31 માર્ચ દરમિયાન હરરાજી બંધ રહેશે તથા 23 માર્ચથી જણસોની આવક બંધ કરાશે જામનગર તા.16: જામનગર માર્કેટીંગ યાર્ડ આજે ધાણાની વિક્રમજનક 30 હજાર મણની આવક થઈ હતી. જેને લીધે યાર્ડ ધાણાથી છલકાઈ ગયું હતું. જેથી યાર્ડના સતાધીશો દ્રારા  નવી  જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત સેક્રેટરી હિતેષ પટેલે કરી હતી. જામનગર માર્કેટીંગ યાર્ડ હાપામાં જુદી જુદી જણસી બાદ હવે ધાણાની આવક નવો રેકોર્ડ નોંધાવી દીધો છે. આજે 30 હજાર મણ ધાણાની આવક નોંધાઇ હતી. જેનાથી યાર્ડ ધાણાથી છલકાયું હતું.ધાણાની આવક જોતા યાર્ડના સતાધિશો દ્રારા નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની. આવક બંધ કર્યાની જાહેરાત યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલ દ્રારા કરાઈ હતી. આ ઉપરાંત માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વખતે પણ કામગીરી ઉપર બ્રેક લાગશે. તા.24 થી જામનગર યાર્ડમાં જણસોની જાહેર  હરરાજી બંધ કરવામાં આવશે અને તેથી તા.23 થી જણસોની આવકને પણ સ્થગિત કરવામાં આવશે.