Skip to main content

જામનગરના અર્થતંત્રનો 55 માં દિવસે લોકડાઉનમાંથી છૂટકારો





જામનગર તા.19:
મુખ્યમંત્રીએ ગઇકાલે સાંજે નોન ક્ધટેન્મેન્ટ ઝોનમાં મોટા ભાગની વ્યવસાયિક પ્રવૃત્તિઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે શરૂ કરવાની મંજૂરી આપતી જાહેરાત કર્યાને પગલે આજે જામનગર શહેર અને જિલ્લામાં મોટાભાગના ધંધાઓને 55 દિવસના કારાવાસ બાદ મુકિત મળી છે. જો કે હજુ શૈક્ષણિક સંસ્થાઓ, ભીડ-ભાડ થઇ શકે તેવા ધાર્મિક સ્થાનો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષો, જીમ, ગાર્ડન કે પિકનિક પોઇન્ટ હજુ 31મે સુધી બંધ રાખવામાં આવશે. સાર્વત્રિક વસતા વ્યસનીઓને પણ આથી પાન-મસાલા-તમાકુ-સિગારેટ ઉપલબ્ધ થવા લાગી છે. જો કે આજે  તમાંકુ-સોપારીના હોલસેલરો આજે સાંજે બેઠક બાદ આવતીકાલથી ખોલવા અંગે નિર્ણય લેશે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કુલ 55 દિવસ સુધી લોકડાઉન રાખ્યા બાદ આજથી શહેરની બજાર મહદઅંશે ખુલી છે. 3 લોકડાઉન પુરા થયા બાદ ગઇકાલે સાંજે કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનો હવાલો આપી મુખ્યમંત્રીએ વેપારી સહિતના લોકો માટે રાહતરૂપ જાહેરાતો કરી હતી. ક્ધટેમેન્ટ ઝોનના માપદંડ જાહેર કરાયા હતા.
ક્ધટેમેન્ટ ઝોનમાં દુધ-દવા-શાકભાજી અને અનાજ સિવાયના તમામ ધંધા પ્રતિબંધિત જાહેર કરાયા છે. જયારે નોન ક્ધટેમેન્ટ ઝોન કે જયાં કોરોનાના કેસ નોંધાયા નથી તેવા વિસ્તારમાં મોટાભાગની ધંધાકીય પ્રવૃત્તિને છુટ અપાઇ છે. આ છુટ સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી રહેશે.
જો કે જામનગર જિલ્લામાં આજથી શરૂ થયેલી પ્રવૃતિમાં કપડા, ફૂડવેર, દરજી, સલુન, બ્યુટી પાર્લર, ફરસાણ-મિઠાઇ, મોચી, બેકરી, પાન-મસાલા, તમાકુ, બીડી-સિગરેટ, ખાનગી ઓફિસો, ઓટો રીક્ષા, ટેકસી, દવાખાના, ચશ્માની દુકાનો, ઇલેકટ્રોનીકસ શો-રૂમ, તમામ પ્રકારનો માલસામાન વેચતી દુકાનોના તાળા આજે 55 દિવસ બાદ ખુલી ગયા હતા.
જો કે સરકારની ગાઇડલાઇન મુજબ હજુ શાળા-કોલેજ, ટયુશન કલાસ, ધાર્મિક સંસ્થા-મંદિર, સીટી બસ, ટ્રેન-વિમાનની સેવા બંધ રહેવા પામી છે. આ ઉપરાંત સાંજના 7 થી સવારના 7 સુધી તમામ પ્રકારની (મેડીકલ ઇમરજન્સી સિવાય) અવર-જવર પ્રતિબંધિત રખાઇ છે.
પ્રોફેશનલ, કંપનીની ઓફિસોમાં 33 ટકા સ્ટાફ સાથે પ્રવૃત્તિ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે. જો કે જામનગરમાં આજે એસ.ટી.બસ 10 વાગ્યા સુધી શરૂ થઇ ન હતી. સરકારે પાનની દુકાનોને છુટ આપી છે પરંતુ આજે ઘણી દુકાનો ખુલી ન હતી. કેટલીક દુકાનો હજુ દુકાનદારોએ ખોલીને કચરો કાઢતા હતા ત્યાં જ બંધાણીઓ પહોંચી ગયા ના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.
આ ઉપરાંત તમાકુ-બીડી-સિગરેટના જથ્થાબંધ વેપારીઓએ દુકાન ખોલવી શરૂ કરતા જ સોશ્યલ ડિસ્ટન્સ સહિતના પ્રશ્ર્નો ઉભા થતા દુકાનો બંધ કરી દેવાઇ હતી. આ જથ્થાબંધ વેપારીઓની એક બેઠક આજે સાંજે મળશે અને તેમાં આવતીકાલથી કેવી રીતે દુકાન ખોલવી તે અંગે નિર્ણય લેવાશે.
આજે સવારથી 2 મુસાફરો સાથે ઓટો રીક્ષા પણ શહેરમાં શરૂ થઇ છે તેમજ બે મુસાફરો સાથેની ટેકસી સેવા પણ શરૂ થઇ છે. આમ 55 દિવસના લોકડાઉન સ્વરૂપના કારાવાસમાંથી ધંધા અને ધંધાર્થીને આજથી મુકિત મળી છે તેમજ લોકો પણ ખુશ છે.  

Comments

Popular posts from this blog

જોડિયાના પીઠડ ગામેથી 1200 બોટલ દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

જામનગર તા.3 જામનગર જિલ્લામાં વધુ એક વખત દારૂબંધીની અમલવારી સામે સવાલ ઉઠાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જોડિયા તાલુકાન પીઠડ ગામેથી પાંચ પચ્ચીસ નહીં પરંતુ 1204 બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે 2.82 લાખની કિંમતની જુદી જુદી બ્રાન્ડની દારૂનો બોટલ તેમજ અશોક લેલન ગાડી સહિત કુલ રૂા.5.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો હતો. જ્યારે તેની પૂછપરછમાં દારૂ સપ્લાય કરનાર, દારૂ વેચાણ કરનાર, હેરાફેરી કરનાર સહિતના પાંચ શખ્સોના નામ ખુલ્યાં છે. જેને પગલે પોલીસે આ પાંચેયને ફરારી જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જોડીયા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.રાજપૂત નાઓના માર્ગદર્શન મુજબ બાલંભા પોલીસ મથકના પીએસઆઇ કે.ડી.જાડેજા તથા એ.એસ.આઇ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા નાઓને મળેલ બાતમીના આધારે જોડીયા તાલુકા પીઠડ ગામનાં ખારાવાડ તરીકે ઓળખાતી અવાવરૂ જગ્યામાં જાહેર ખરાબામાં બાવળની ઝાડીમાં એક અશોક લેલન કંપનીના બડા દોસ્ત મીની ટ્રકમાંથી ઇંગ્લીશ દારૂની જુદી જુદી બ્રાન્ડની રૂા.2,82,400 ની કિંમતની 1204 નંગ બોટલ સાથે મોરબી જિલ્લાના ખાનપર ગામના યશપાલસિંહ ધનુભા જાડેજા (ઉ.વ.26) નામના શખ્સની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા યશપા...

શ્રાવણમાસ દરમિયાન ખ્યાતનામ ગોપનાથ મહાદેવ મંદિર આસપાસ ગંદકીના ગંજ

ગંદકી ન ફેલાવવા સામાજીક કાર્યકરની અપીલ લાખો લોકોના આસ્થાના અખૂટ સમુદ્ર સમાન જામજોધપુર પંથકમાં આવેલ ગોપનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તો ભીડ જામતી હતી. જ્યાં ભક્તો દ્વારા કચરો આડેધડ ફેંકવામાં આવતા હાલ આ મંદિરના રસ્તે નર્કાગાર જેવી સ્થિતિ થઇ છે. જે મંદિરની પવિત્ર શોભાને અભડાવી રહી છે. આથી મોટી ગોપના રહેવાસી અને સામાજીક કાર્યકર કૌશિકભાઇ જોશી દ્વારા આડેધડ કચરો ન ફેંકવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

જામનગરમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વેક્સિન આપવાનો પ્રારંભ

જામનગર તા.16 જામનગર જિલ્લામાં આજે બુધવારથી 12 થી 14 વર્ષના બાળકો માટે કોરોના વેકસીન આપવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરના આશરે 24 હજાર જેટલા બાળકોને કોરોના પ્રતિરોધક વેકસીન બખ્તરથી સજ્જ કરવાનો લક્ષ્યાંક નીર્ધારવામા આવ્યો છે. આ કોવીડ વેક્સીનેશનનો આજે કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતેથી મેયર સહિતના અગ્રણીઓ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ ઉદ્ઘાટન વેળાએ એક પણ બાળક વેકસીન લેવા હાજર ન થતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો અને અગ્રણીઓ ફોટો સેશનની ભૂખ ભાંગી રવાના થયા હતા. સરકારની સૂચનાને અનુસાર રાજયમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમરના બાળકોને કોરોના વેકસીન આપવા માટેનું આયોજન કરાયું છે જેના પગલે જામનગરમાં પણ આજે તા. 16/03થી 12 થી 14 વર્ષ સુધીની ઉમર ધરાવતા બાળકો ને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં અવી હતી. જેમાં 12 થી 14 વર્ષ સુધીની ઉંમર ધરાવતા જામનગર શહેરના આશરે 24,000થી વધુ બાળકો નોંધાયા છે. બાળકો માટેના આ રસીકરણ અભિયાનનો આજે 11: 30 વાગ્યાના સમયગાળા દરમિયાન શહેરના કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર ખાતે જામનગરના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશ્નર વિજયકુમ...